________________
પુ
તેમનું મૃત્યુ સં. ૧૯૬૮માં થયું હતું. તેમના પરિવારમાં આજે નગર શેઠાણું મહાલક્ષ્મી બેન તથા પુત્ર શેઠ બાબાસાહેબ વગેરે વિદ્યમાન છે.
૧૨ નગરશેઠ કસ્તુરભાઇ તે નગરશેઠ મણિભાઈના મોટા પુત્ર થાય. તે તીક્ષણ બુદ્ધિવાળા અને બાહોશ કાર્યકર્તા હતા. તેમણે સં. ૧૯૯૦માં અમદાવાદમાં નગરશેઠના વંડામાં મોટું “મુનિસમેલન” કરાવ્યું હતું અને સરળતાથી કાર્ય પાર પાડયું હતું. તેમનું મૃત્યુ સં. ૨૦૦૪ પ૦ વ. ૩ બુધવારે તા. ૨૮-૧–૪૮ થયું. તેમના પરિવારમાં આજે નગરશેઠાણી માણેકબેન તથા પુત્રો શેઠ પ્રિયકાંત બાર. એ. લે. અરુણભાઈ, જગદીશભાઈ વગેરે વિદ્યમાન છે.
૧૩. નગરશેઠ વિમળભાઈ, તે નગરશેઠ મયાભાઈના પુત્ર થાય, તે સ્વભાવે શાંત અને પરોપકારી છે. હાલ નગરશેઠ તરીકે તેઓ વિદ્યમાન છે. તેમના પરિવારમાં માતાજી મુક્તાબા, લઘુબંધુ સારાભાઈ, નગરશેઠાણું લલિતાબેન, પુત્ર અરવિંદભાઈ તથા શેઠાણું પદ્માબેન વગેરે વિદ્યમાન છે.
અમદાવાદમાં આજે શીસેદિયા ઓસવાલ નગરશેઠ કુટુંબનાં લગભગ દોઢસો ઘર વિદ્યમાન છે.
શેઠ કસ્તુરભાઈ લાલભાઈ દલપતભાઈ શેઠ નેમચંદ કેશવલાલ ઘેલાભાઈ, શેઠ જેસંગભાઈ લીલચંદ, શેઠ રમણલાલ સારાભાઈ ડાહ્યાભાઈ (શ્રી સારાભાઇને સ્વ૦ ૧૯૯૪ અ. શુ. ૧) વગેરે નગરશેઠ શાંતિદાસ શેઠના જ વંશજો છે.
નગરશેઠ કુટુંબના નબીરાએ શેઠ વાડીલાલભાઈએ “શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટાલની, શેઠ ભોળાભાઈએ “શેઠ ભોળાભાઈ જેસંગભાઈ વિદ્યાભવન”ની અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ “શેઠ લાલભાઈ દલપતભાઈ કેલેજ”ની સ્થાપના કરી છે.
એકંદરે અમદાવાદના નગરશેઠનું કુટુંબ બહુ પ્રસિદ્ધ છે. તેના નબીરાએ મોટી મોટી સખાવતો કરી છે. લોકોપયોગી સંસ્થાઓને જન્મ આપ્યો છે અને અનેક રીતે જનતા ઉપર ઉપકાર કર્યો છે. (“પુણ્યપ્રકાશ-રાસ” તથા “જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૫૮, ૧૫૯, ૧૦)
પૃષ્ઠ ૩ર, કડી ૧૫ઃ કવિરાજ
આ ઉલ્લેખ ઉપરથી નક્કી થાય છે કે, ઉદેપુરના રાણું ભીમસિંહે શ્રીદીપવિજયજીને “કવિરાજ'નું બિરુદ આપ્યું હતું, અને બીજા ઉલ્લેખો ઉપરથી નકકી થાય છે કે, ગાયકવાડ નરેશે તેમને “કવિ બહાદુર'નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org