________________
૨૮
પીરસાય, ભા. ૨
બાહાશ કાર્યકર્તા, બુદ્ધિવાન અને તેજરવી ઉદ્યોગપતિ છે. શેઠ વખતચંદનું મૃત્યુ સં. ૧૮૭૦માં થયું હતું.
૮. નગરશેઠ હેમાભાઈ-પાલીતાણાનું રાજ્ય તેને ત્યાં ઈજારે હતું. તેમણે શત્રુંજયતીર્થને ઘણું સમૃદ્ધ બનાવેલ છે. ટૂંકે વગેરે બંધાવેલી છે. તેમના વંશવારસદારો માટે શત્રુંજયતીને રોપા કર માફ હતો. તેમણે પ્રજા ઉપયોગી કામોનિશાળ, કન્યાશાળા, હોસ્પીટલ વગેરેમાં ઘણું મદદ કરી છે. તેમનું મૃત્યુ સં. ૧૯૧૪માં થયું હતું. તેમના બેન ઉજમબાઈએ સં. ૧૯૨માં તપાગચ્છાધિરાજ પૂ. શ્રી મૂલચંદજી મહારાજના ઉપદેશથી પિતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે સમર્પિત કર્યું.
૯. નગરશેઠ પ્રેમાભાઈ. તે બહુ બાહોશ હતા. રાવ બહાદુર હતા. આજ સુધી અમદાવાદની જકાતની રકમ નગરશેઠ ખુશાલચંદના વંશવારસદારોને મળતી હતી. અંગ્રેજ સરકારે તેને બદલે રૂપિયા ૨૧૩૩ બાંધી આપ્યા. શેઠજીએ લોકશાહી પદ્ધતિએ શ્રી જૈનસંઘના પ્રતિનિધિ ૨૫
આણંદજી કલ્યાણજીની પેઢી” ની સ્થાપના કરી. સીવીલ હોસ્પીટલ, હેમાભાઈ ઇન્સ્ટીટયૂટ, નગરશેઠ પ્રેમાભાઈ હેલ, ગુજરાત કોલેજ, મુંબઈ મેડિકલ કોલેજ, મ્યુઝિયમ રાણીબાગ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, (ગુજરાત વિદ્યાસભા) વગેરે લોકાપાગી જાહેર સંસ્થાઓ સ્થાપી, મદદ કરી. ધર્મશાળાઓ અને દેરાસરો બંધાવ્યાં. તે તપગચ્છાધિરાજ પૂ. શ્રીમુક્તિવિજયજી ગણિ મહારાજ અપનામ શ્રી મૂળચંદજી મહારાજના અનન્ય ઉપાસક હતા. તેમનું મૃત્યુ સ. ૧૯૪૩માં થયું હતું. તેમને ૧ માયાભાઈ, ૨ લાલભાઈ અને ૩ મણભાઇ એમ ત્રણ પુત્રો હતા.
૧૦. નગરશેઠ મણિભાઈ. તે નગરશેઠ પ્રેમાભાઇના ત્રીજા પુત્ર થાય. તે બહુ પરગજુ હતા. તેમણે સં. ૧૯૫૬ના દુકાળમાં ગરીબોને અનાજ વગેરેની અને પશુઓને ઘાસ પાણી વગેરેની મદદ કરી બચાવ્યાં હતાં. તે એવા દયાવાન હતા કે આ કામમાં બીજા પર ભરોસો ન રાખતાં જાત મહેનતથી કામ લેતા હતા. તેમને ૧ કસ્તુરભાઈ અને ૨ ઉમાભાઈ-એમ બે પુત્રો હતા.
૧૧. નગરશેઠ ચમનભાઈ. તે શેઠ લાલભાઈના પુત્ર થાય. જાહેરહિતની બાબતમાં ખૂબ ઉત્સાહથી કાર્ય કરતા હતા. તેમણે નાની ઉમરમાં જ પ્રજા પર સુંદર છાપ પાડી હતી. અમદાવાદમાં કસાઈખાનાના વિરોધમાં મોટી હડતાલ પડી ત્યારે શેઠે જ સરકારને અને પ્રજાને સમજાવી બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને કસાઈખાનું બંધ રખાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org