________________
૨૧૬
પી -પુરણમ, ભા. ૨ ખેંગાર (સં. ૯૧૬ ) બૌદ્ધ બની ગયો હતો, જેને યાત્રા કરવા દેતે ન હતા. એક મોટો સંઘ જૂનાગઢ ગ અને યાત્રા વિના ૧૨ વર્ષ સુધી ત્યાં જ પડ્યો રહ્યો. આ બલિભદ્રસૂરિએ આકાશ માગે ત્યાં આવી રાજાને જૈનધર્મી બનાવી, બોદ્ધોને હઠાવી ગિરનારને ફરી જૈનતીર્થ બનાવ્યું તથા સંઘને યાત્રા કરાવી. મેવાડના રાણુ અલટે બલિભદ્રસૂરિને આચાર્ય બનાવી વાસુદેવસૂરિ નામ આપ્યું તેની પરંપરા તે હસ્તિકુંડી ગ૭ કહેવાય છે.
શાદિયા વંશના ક્ષત્રિ અને એસવાલો સાંડેરક ગચ્છના ઉપાસક હતા. તે માટે દેહરે પણ મળે છે કે –
શાસદિઆ સંડેસરા, ચઉદ્દસીયા ચઉહાણ;
ચિત્યવાસીયા ચાવડા, કુલગુરુ એ પ્રમાણ. ૧ મેસાણાથી પાટણ અને કંબઈ તીર્થ જતી રેલવે લાઈનમાં મણુંદરોડ સ્ટેશન છે, ત્યાંથી દોઢ માઈલ દૂર સંડેર ગામ છે. આ ગામ પણ પ્રાચીન છે, જો કે તે સાંડેરકગચ્છનું ઉત્પત્તિ સ્થાન નથી કિન્તુ તેને સાંડેર ગચ્છ સાથે વિશેષ સંબંધ હશે એમ લાગે છે. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૯માં આ સંડેર ગામમાં જ મહાપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની આજ્ઞા પ્રમાણે ક્રિહાર કરી સંગીમાર્ગ સ્વીકાર્યો હતો.
(શા. જે. આ. વિજયધર્મસૂરિ સંશોધિત “અ૦ રાસસંગ્રહ ભા. ૨ જે તથા “શ્રી જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૫૮, ૧૫૯, ૧૬૦.).
સાંડેરક ગચ્છના જૈન ગોત્રો-મુંબલીયા, ભંડારી, ચૂતર દુધેરિયા, ઘારેલા, કાંકરેચા, બહેરા, શીસોદિયા વગેરે ૧૨ જાતિ.
આ સાંડેરાવ ગચ્છની જાતિઓ છે. કેઈ સાંડેરાવ ગચ્છના મહાત્મા પિતાની વહી આપના ખરતર ગચ્છના મહાત્માને આપી ગયા, ત્યારથી તે મહાત્મા આમાંની કેટલીક જાતિની વહી લખે છે.
મલબાર ગચ્છના જૈનગાત્રો-પગારિયા, (ગોલિયા કેડારી સિંઘી), કોઠારી, ગિરિયા, બંબ, ગેહલડા, ખીમસરા વગેરે.
(મલબાર ગચ્છના કુલ ગુરુની વહીના આધારે) પૃષ્ઠ ૩૦, કડી ૧૫ નગરશેઠ શાંતિદાસજીની વંશાવલીઃ
૧. પદમશાહ–જે હરપાલના વંશમાં થયા છે. આ વંશ પ્રથમ મેવાડની નૈઋત્ય સીમા પર આવેલ ભૂલાનગરમાં (હિડા પાસે) હતો. તે નગરને નાશ થતાં તે અમદાવાદ આવી વસ્યો અને કુલ્યો ફાલ્યો, રેડિડાના પ્રદેશમાં અને શિસેદિયા ઓસવાલોમાં પાંચમને દિવસ આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org