________________
પુરાણી
૨૧૩
૫૩ રાણા કુંભાજી--તેણે વિ. સં. ૧૪૯૬માં રાણકપુરના ત્રોક્ય દીપક પ્રાસાદમાં બે પાષાણુ સ્તંભ કરાવ્યા છે. જે તેવા જ સ્વરૂપમાં આજે પણ વિદ્યમાન છે. તેના પૌત્ર રાણા રાયમલજીએ દેવકુલપાટણને વિકસાવ્યું છે, જ્યાં આજે ચાર મેટાં જિનાલયે છે.
૫૯ રાણું પ્રતાપસિંહ–જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિ મોગલ બાદશાહ અકબરને પ્રતિબધી જજીવેરો માફ કરાવી ગુજરાત તરફ આવતા હતા ત્યારે રાણા પ્રતાપે લગભગ વિસં. ૧૬૪૩ માં તેઓને મેવાડ. પધારવા નિમંત્રણપત્ર પાઠવ્યા હતા, જે પત્રમાં રાણાજીએ પોતાના રાજવંશને તપગચ્છના આચાર્યોના ઉપાસક તરીકે ઓળખાવેલ છે. એક દોહરો મળે છે કે
શદિઆ સંડેસરા, ચઉદ્દસીયા ચઉહાણ,
ચિત્યવાસીયા ચાવડા, કુલગુરુ એહ પ્રમાણ એટલે શસેદિયા સાંડેરક ગચ્છના ઉપાસકે હતા, અને રાણું જત્રસિંહ પછી તપાગચ્છના ઉપાસક બની રહ્યા હતા. એકંદરે શાદિયા વંશના અનેક રાજાએ જૈનધર્મી કે જનધર્મ પ્રેમી બન્યા છે. (જૈન સત્યપ્રકાશ, ક્રમાંક. ૭૩, ૭૪, ૭૫, ૧૫૮, ૧૫૯, ૧૬)..
પુષ્ટ ૨૯, કડી ૧૧ અને પુષ્ટ ૩૮ કડી ૨, ૫ઃ સાંડેરકગચ્છની પાવલી
મારવાડમાં સાંડેરાવ ગામથી આ ગછ નીકળ્યો છે, જેમાં અનેક માભાવિક આચાર્યો થયા છે. તેની પરંપરા આ રીતે મળે છે–
(૧) આ ઈશ્વરસૂરિ. તેમને મુડારાની બદરીદેવી પ્રત્યક્ષ હતી.
(૨) આ૦ યશોભદ્રસૂરિ. તેમને સં૦ ૯૫૭માં જન્મ, સં૦ ૯૬૮માં સૂરિપદ, સં. ૧૦૧૦ માં ચોરાશીવાદને જય અને સં. ૧૦૨૯ કે ૧૦૩૯ માં સ્વર્ગવાસ થયેલ છે. પીંડવાડા પાસે પિલાઈ ગામના વ્ય. પુણ્યસારની પત્ની ગુણસુંદરના તે પુત્ર હતા. છ વર્ષે દીક્ષા લીધી. તેમને બદરીદેવી પ્રત્યક્ષ થઈ હતી. તેમણે મુડારામાં જ આચાર્ય થયા પછી જાવાજીવ સુધી છ વિગઈને ત્યાગ કર્યો હતે. અને હમેશાં આઠ કાળિયા માત્ર આહારના આંબેલમાં કરતા હતા. તેમને મંત્ર, યંત્ર, અંજનપિકા, ગગનગામિની વિવા, આઠ મહાસિદ્ધિઓ વગેરે અનેક વિદ્યા પ્રાપ્ત થઈ હતી. તેમણે આહડ, કરહેઠા, કવિલાણ, સાંભર, અને ભેસરમાં એક જ દિવસે એક જ મુહૂર્ત પ્રતિષ્ઠા કરાવી હતી. મેવાડ નરેશ અલ્લટરાજ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org