SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સર પટ્ટાવલી-સુશ્રુત, ભા. ૨ રાણીને રેવતીના રામ હતેા, જે સાંડેરકચ્છની હસ્તકુંડી શાખાના આ॰ અલભદ્રસૂરિના વાસક્ષેપથી મટી ગયા હતા. આ રાજા જૈનધર્મી હતા. તેના ખીજો પુત્ર ભુવનપાલ આ॰ વધમાનસૂરિના ઉપાસક હતેા. ૩૫ રાણા રણસિંહ—સંગ્રામસિદ્ધ અને સમર્રાસહુ એ તેના જ બીજાં નામે છે. રાણા રસિંહથી શાસાદિયા રાજાએ રાણા” તરીકે ઓળખાય છે. તેના સમય વિ૰ સં. ૧૨૧૧ છે. તેને એક કરસિદ્ધ નામે પુત્ર હતા. તેના પુત્ર ધીસિંહૈ સં. ૧૨૨૯ ની આસપાસમાં જૈનધર્મ સ્વીકાર્યો હતા, જેનાથી શીસેાદિયા એસવાળ” વશની સ્થાપના થઈ છે. શીસાદિયા આસવાળા મેવાડની નત્યમાં ભૂલાનગરમાં રહેતા હતા. લાનગર દર્દનપન થતાં તેમાંનું એક કુટુંબ અમદાવાદ આવી વસ્યું, જે આજે નગરશેઠના કુટુંબ તરીકે પ્રસિદ્ધ છે, ભૂલાનગરની પાસેના પ્રદેશમાં પાંચમની તિથિ માટે “ પાંચમના કામમાં પંચાત પડે ” એવી માન્યતા છે એ જ રીતે નગરશેઠના કુટુંબમાં પણ પાંચમના દિવસ અશુભ ક્ષેખાય છે, તે માટે એવી દંતકથા મળે છે કે, શાસેાદિયા વંશની એક કુમારિકા પાંચમને દિવસે શુભકામ માટે જતી હતી, તેને રસ્તામાં ખૂબ જ પજવણી થઈ અને રસ્તામાં જ તેનું મૃત્યુ થયું ત્યારથી શીસાક્રિયા આસવાળા પાંચમને દિવસે કાઈ પણ જાતનું શુભ કામ કરતા નથી. પાંચમ માટેની આ માન્યતા ભૂલાવતી નગર અને નગરશેઠના કુટુંબને પ્રાચીન સંબંધ હાવાનું પુરવાર કરે છે. ઘેાડાં વર્ષો પહેલાં ભૂલાનગરનું ખેાદકામ થયેલ છે, તેમાંથી અનેક જિનપ્રતિમાએ મળી આવી છે, જે આજે રાહિડાના દેરાસરમાં વિદ્યમાન છે. ૪૧ રાણા જૈત્રસિંહ--આ રાણાનાં જયતલ, જયમલ, જસિંહ અને જયંતસિંહ એમ. વિવિધ નામે મળે છે. તેના સમય વિ. સં. ૧૨૭૦ થી ૧૩૦૯ મળે છે. તેણે છ લડાઇઓમાં વિજય મેળવ્યેા હતેા. તેણે વિ.સં. ૧૨૮૫ માં આડમાં હીરલા આચાર્ય શ્રીજગચ્ચ કે સૂરિને “તપા”ના બિરુદથી શાભાન્યા હતા. ત્યારથી તપગચ્છ એ નામની શરૂઆત થઈ છે. આ રાણા અને તેની રાણી પરમ જૈન બન્યાં હતાં. ત્યારખાદ પણ તેની ત્રણ પેઢી સુધી રાણીઓએ જૈનધમ નું પાલન કર્યું હતું. પર રાણા મેાકલસિંહ—તેણે ચિત્તોડ પરના જૈન કીર્તિસ્ત ંભના સ. ૧૪૮૫માં સ, ગુણરાજ પાસે જર્ણોદ્ધાર કરાવ્યા હતા. ખાજે પણુ ચિત્તોડના કિલ્લામાં ભ॰ મહાવીરસ્વામીના મંદિર પાસે તે જૈન કીર્તિસ્તંભ વિદ્યમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy