________________
૨૦૬
પટ્ટાલી-સસુરણય, ભા. ૨
विष्यापिता हुतभुजः पयसाऽथ येन, पीतं न किं तदपि दुर्धरवाडवेन ॥ ११ ॥
પૃષ્ઠ ૮, કડી ૧૮: વિક્રમ સંવત :
વીર સં૦ ૪૭૧ થી વિક્રમ સંવત શરૂ થાય છે. પ્રસ્તુત પદાવલી રાસમાં આ બન્ને સંવતે આપ્યા છે. વીર સં. ૪૭૦ સુધીની ઘટનાઓમાં વિરસંવત અને ત્યાર પછીની ઘટનાઓમાં મોટે ભાગે વિક્રમ સંવત આપ્યા છે. વીર સં. ૪૭૦ પછીની ઘટનાઓમાં આ૦ શ્રીવજીસ્વામીનું સ્વર્ગ ગમન, ચંદ્રગછનું બિરુદ ઈત્યાદિ. કેઈ કોઈ સ્થાને તો ચાલુ કડીઓમાં એક વધુ ચરણ ઊમેરીને એટલે પુનરુક્તિ કરીને બને સંવત પણ દર્શાવ્યા છે. આ રાસમાં વિક્રમ સંવત માટે માત્ર સંવત શબ્દ જ વાપર્યો છે.
| પૃષ્ઠ ૧૦, હાથી ૫, કડી ૨ : અણમિસ નયણ મણુકજ સાહણ. આની સંપૂર્ણ માથા નીચે પ્રમાણે છે.
अणिमिसनयणा मण-जसाहणा पुप्फदामअमिलाणा । व उरंगुलेण भूमि, न छिवंति मिणा विति ॥ ११९ ।। (મલધારી આ૦ હેમચંદ્રસુરિ શિષ્ય કૃત “ બહસંગ્રહણ”) પૃષ્ઠ ૧૧, કડી ૧૦ : સંવત એકસે આઠ વધે." અહીં સંવત શબ્દથી વિક્રમ સંવત સમજો. પૃષ્ઠ ૧૩, કડી ૧૬ઃ ઊઠ હાથઃ
ગુજરાતીમાં સાડી એક માટે દોઢ, સાડી બે માટે અઢી, સાડી ત્રણ માટે ઉંઠ (ઉઠા) અને સાડાચાર માટે ઢસાશબ્દો વપરાય છે. અહીં “ઉંઠ હાથ” શબદથી એ સૂચન છે કે, હે રુકિમણ ! તું મારાથી સાડી ત્રણ હાથ દૂર રહીને મારી વાત સાંભળ.
પૃષ્ઠ ૧૩, કડી ૨૨ :
આ કડીના પહેલા ચરણમાં વીર સંવત આપ્યો છે અને પછી તે જ ચરણની પુનરુક્તિ કરી તેમાં જ વિક્રમ સંવત આપે છે. આ રીતે આ કડીમાં ચારને બદલે પાંચ ચરણે છે, પરંતુ વાચકે તે બન્ને ચરણોને એક ચરણરૂપે માની, એક જ રાગે પુનરુક્તિ કરીને બોલવાં.
પૃષ્ઠ ૧૫, કડી ૧૪:
આ કડીના ત્રીજા ચરણમાં વીર સંવત આપે છે અને પછી તે જ ચરણની પુનરુક્તિ કરી તેમાં જ વિક્રમ સંવત આપ્યો છે, આ રીતે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org