________________
૨૦૪.
પાવલી-સમુરલય, ભા. ૨ પ્રાસાદ બિંબ નિપજાવ્ય. ઇલોરગિરિ શિખરે શ્રીનેમિબિંબ સ્થા, તે દક્ષિણ દિસે જાણવો. પૂર્વ દિસિ હિષ્ણુમિરે શ્રી સુપાસને પ્રાસાદબિંબ નિપજાવ્યો. પછિમેં દેવપત્તને પુનઃ ઇડરગઢ શ્રી શાંતિનાથને પ્રાસાદબિંબ નિપજાવ્યો.
બહતકલ્પસૂત્ર” ઉ૦ ૧, સુ૫૦ નિયુક્તિ ગાથા ૩૭૫ થી ૩૨૮૯ માં લખ્યું છે કે–સમ્રાટુ સંપ્રતિએ પોતાના રાજ્યમાં ગરીબો માટે દાનશાળાઓ સ્થાપી, રથયાત્રાઓમાં પોતે જ હતિ. તેના સામંત રાજાઓ પણ પિતપોતાના રાજ્યમાં રથયાત્રામાં જતા હતા. સમ્રાટું સંમતિએ સીમાડાના રાજાઓને બોલાવી સમ્યકધારી બનાવી તેના દેશમાં એકથા. વેશધારીઓને મોકલી મુનિમાર્ગ ખેલાવ્યો અને પછી સાચા સાધુ મોકલી ત્યાં જૈનધર્મને પ્રચાર કરા.
૫૪ ૬, ઢાળ ૩, કડી ૧ અને પૂર્ણ ૨૭, ઢાળ ૧૪મી પૂરી: આ૦ કાલિકસૂરિ.
શ્રીકાલિકાચાર્ય અપરનામ શ્યામાચાર્ય ચાર થયા છે.
૧ વીર સં. ૩૨૦ થી ૩૩૫ માં થયા, જે આ સ્વાતિસૂરિના શિષ્ય હતા. તેમણે ઇદને પ્રતિબોધ કર્યો અને પ્રજ્ઞાપના સૂત્રની રચના કરી.
૨. વીર સે. ૪૫માં જે થયા, જેમણે અવિનયી શિષ્યને ત્યાગ કરી તેમને સન્મા સ્થાપ્યા. નિમિત્તશાસ્ત્રના બળે ઇરાનના શાહીઓને પ્રતિબોધી જૈનધર્મી બનાવ્યા. સતી સાધ્વી આયી સરસ્વતીના શિયલની રક્ષા માટે વ્યભિચારી ગભિલ રાજાને ઉછેદ કરાવ્યો. ઈદ્રિને પ્રતિબોધ કર્યો અને ભા. શુ ? ને દિવસે સંવત્સરી પર્વ સ્થાપ્યું.
૩. વીર સ. ૭૨૦ માં થયા, જે આ વિષ્ણુસૂરિના શિષ્ય હતા.
૪. વીર સં. ૮૮૦ થી ૯૯૩ માં થયા, જે આ. ભૂતદિનમણિના શિષ્ય હતા. આ. દેવર્ધિગણના સમકાલીન હતા. માધુરી વાચનાના ધારક હતા. તેમણે વલભીની આગમ વાચનામાં પૂરી સહાય કરી. વડનગરમાં શ્રીસંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચી સંવત્સરીને દિવસે કલ્પસૂત્ર વાંચવાની મર્યાદા સ્થાપી અને વલભીવંશના રાજા ધરસેનને શોક દૂર કરાવ્યો.
- આ પ્રમાણે ચાર કાલિકાચા થયા છે. શ્રી કાલિકાચાર્ય કથાઓમાં . આ ચારે આચાર્ય દેવોનું મિશ્રત ચરિત્ર મળે છે.
(પદાવલી સમુચ્ચય ભા. ૧, પૃષ્ટ ૧૯૮ ૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org