SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૩૮ જીવની પ્રાથમિક દશા–પહેલાં જીવ સર્વથા શુદ્ધ હતા અને કાલાંતરે એ કર્મરૂપ લેપથી લેપાયે–અશુદ્ધ બન્યું એ માન્યતા યુક્તિસંગત નથી અને જૈન દર્શન અને સ્વીકારતું પણ નથી. આ માન્યતા સ્વીકારાય તે પછી ઉદ્યમ કરવાને શે અર્થ ? જે કરેલું કારવેલું ધૂળમાં મળે તેમ હોય તે એ માટે કયે સુજ્ઞ જન પ્રયત્ન કરે? બંધના ચાર પ્રકારે – કામણ-વણાએ આત્માની સાથે જોડાતાં એને “કર્મ' તરીકે ઓળખાવાય છે. એને આત્મા સાથે બંધ થાય તે સમયે સમકાળે એમાં ચાર અંશોનું નિર્માણ થાય છે. એ અશે તે બંધના ચાર પ્રકાર છે. કઈ ગાય કે બકરી ઘાસ ખાય અને એ ઘાસ દૂધરૂપે પરિણમે તે જ વેળાએ (૧) એની મીઠાશ જે સ્વભાવ બંધાય છે, (૨) એનો સ્વભાવ ક્યાં સુધી ટકી શકશે તે કાલમર્યાદા પણ નકકી થાય છે, (૩) એ મીઠાશની તીવ્રતા કે મંદતા જેવી વિશેષતા પણ એ સમયે જ નિર્માય છે, અને (૪) એ દૂધનું પિગલિક પરિમાણ–એમાં કેટલા પરમાણુએ છે તે વાત પણ સાથે સાથે જ નિર્માય છે. એવી રીતે ભેગને લઈને આવેલી કાર્મણ-વર્ગણ કષાયને લીધે આત્મા સાથે જોડાય અને કર્મરૂપે પરિણમે તે જ સમયે એમાં (૧) પ્રકૃતિ યાને સ્વભાવ, (૨) સ્થિતિ યાને કાલ–મર્યાદા, (૩) અનુભાવ યાને વિપાક એટલે કે ફલાનુભવ કરાવનારી વિશિષ્ટતા–વિવિધ પ્રકારના ફળ આપવાની શક્તિ તેમજ (૪) એના સ્કંધ – દલિકોની–પરમાણુઓની સંખ્યા નિયત બને છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy