SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૧૬ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ - રચાયા છે. કમ્પષ્પવાય એ જૈનેના બંને ફિરકાને માન્ય ગ્રંથ છે પરંતુ એ આઠમું પુવ (પૂર્વ) તેમ જ કર્મસિદ્ધાન્તની થોડીક વાનગી રજૂ કરનાર નાણપૂવાય નામનું પાંચમું પુછવ તથા અગ્રાયણીય નામનું બીજુ કે જે બે પુષ્ય પણ બંને ફિરકાને માન્ય છે તે પણ આજે વિદ્યમાન નથી. સદભાગ્યે - ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા અંગે, ઉત્તરઝયણ, પવણા - વગેરે આગમ ઉપલબ્ધ છે એટલે એ કર્મસિદ્ધાન્ત સંબંધી કેટલીક માહિતી પૂરી પાડે છે. એમાંથી આ સિદ્ધાન્તને લગતા પારિભાષિક શબ્દો એકત્રિત કરવા ઘટે. કમપડિ સયગ અને પંચસંગહ પૈકી એકેને અંગે આવું કાર્ય થયેલું જણાતું નથી. જે તેમ જ હોય તે એ માટે પણ ગ્ય પ્રબંધ કરાવે જોઈએ. પ્રાચીન ચાર કર્મગ્રંથોમાંના પારિભાષિક શબ્દ તારવી કેઈએ એ પ્રસિદ્ધ કર્યાનું જાણવામાં નથી જ્યારે દેવેદ્રસૂરિકૃત પાંચ -નવ્ય કર્મગ્રંથ અને (૦ ) સત્તરિયા માટે તે પ્રયાસ થયો છે. ' આ પ્રયાસની હું ઊડતી નોંધ લઉં તે પૂર્વે એ ઉમેરીશ કે કર્મસિદ્ધાન્ત સંબંધી જેમ સ્વતંત્ર કૃતિએ પાઈયમાં રચાઇ છે તેમ કેટલીક સંસ્કૃતમાં પણ રચાઈ છે. વિશેષમાં કેટલીક પાઈય કૃતિઓને અંગે સંરકૃત ઉપરાંત પાઈયમાં વિવરણે રચાયાં છે. કેઈ કેઈને અંગે કન્નડ ( કાનડી )માં પણ વિવરણ મળે છે. - વળી કેટલીક પાઈય કૃતિઓના ગુજરાતી અને હિન્દીમાં અનુવાદ થયા છે. આ ઉપરાંત કર્મસિદ્ધાન્તને અંગે “મન” ભાષામાં મહાનિબંધ ડે. ગ્લાસેનાપે લખ્યું છે અને એને જી. બી. ગીફર્ડ કરેલે અંગ્રેજી અનુવાદ “The Doctrine of Karman in Jain Philosophy"ના નામથી છપાવાય છે અને -એનું સંપાદન મારે હાથે થયું છે. વીરચંદ રાઘવજી ગાંધીએ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy