SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૬૧ ભાસની ગા. ૧૩૫માં વપરાય છે. આ બંને ગાથાઓ સમાન છે. એ નીચે મુજબ છે – "पोग्गल-मोदय-दन्ते फरुसग-वडसालभञ्जने चेव । थीणद्धियस्स एए दिट्ठन्ता होन्ति नायव्वा ॥" આને અર્થ એ છે કે માંસ, મેદ, દાંત (દંશળ), કુંભાર અને વડની શાખા ભાંગવા સંબંધી સત્યાનદ્ધિકના આ પાંચ ઉદાહરણે જાણવાં. આની સવિસ્તર માહિતી વિસે સાવસ્મયભાસનાં વિવિધ વિવરણે તેમ જ નિસીહના ભાસ (ગા. ૧૩–૧૪૦) તેમ જ નિસીહવિસે સગુણિ (ભા. ૧, પૃ. ૫૫-૫૬) પૂરી પાડે છે. આથી એના આધારે હું પાંચ ઉદાહરણે અત્ર નીચે પ્રમાણે રજૂ કરું છું – (૧) માંસ ખાનારનું ઉદાહરણ કોઈક ગામમાં એક કણબી રહેતું હતું. તે માંસ ખાવાને ખૂબ લાલચુ હતું. માંસ કાચું હોય તે તે પણ એ ખાઈ જતે. એક વેળા કેટલાક ગુણવાન સ્થવિરાએ એને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. ત્યાર બાદ એ સાધુ બનેલા કણબી એ સ્થવિરોની સાથે એક ગામથી બીજે ગામ વિહાર કરતા હતા. એવામાં કઈ એક સ્થળે માંસના લોભી પુરુષને એક પાડાને ચીરતા એમણે જોયા. એ ઉપરથી એમના પૂર્વ સંસ્કાર જાગૃત થયા. એમણે એનું માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. એ ઇચ્છા આહાર કરતાં, સ્પંડિલ ભૂમિએ જતાં તેમ જ છેહલી સૂત્રપૌરુષી, પ્રતિક્રમણ અને રાત્રિની સંરતારક-પૌરુષી કરતાં સુધી પણ શાન્ત થઈ નહિ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy