SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ મતિ-જ્ઞાનાવરણને જે પહેલાં ભાગ મ હતું તેમ પાછળથી મળેલે ભાગ ઉમેરતાં એ એને સર્વદ્યાતી દ્રવ્ય પૂરતા હિસે પૂરે થાય છે જ્ઞાનાવરણ કર્મનું જે દેશઘાતી બહુભાગ દ્રવ્ય છે તે કેવલજ્ઞાનાવરણને તે મળે નહિ કેમકે એ સર્વઘાતિની પ્રકૃતિ છે એટલે એ દ્રવ્ય મતિ-જ્ઞાનાવરણ આદિ ચાર પ્રકૃતિઓમાં ઉપર મુજબ વહેંચાય છે અર્થાત્ સૌથી પ્રથમ દેશઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમા ભાગે ભાગવે. પછી એક ભાગ જુદે રાખી જે બહુભાગ રહે તેના ચાર ભાગ કરવા ઈત્યાદિ. આ વ્યવસ્થા મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મનઃપર્યવજ્ઞાનાવરણને અનુક્રમે લાગુ પાડવી. “દનાવરણ કર્મને મળેલ સર્વઘાતી દ્રવ્યને આવલીના અસંખ્યાતમા ભાગ વડે ભાગવે. પછી એક ભાગ જુદે રાખો અને તેમ કરાતાં જે બહુભાગ રહે તે આ કમેની નવે ઉત્તર-પ્રવૃતિઓમાં વહેચવે. શેષ ભાગની ઉપર મુજબ વ્યવસ્થા કરવી. તેમ થતાં જે બહુભાગે અનુક્રમે આવે તે નીચે મુજબની પ્રકૃતિઓને કમસર આવે અને જે અંતે શેષ ભાગ રહે તે કેવલદર્શનાવરણને આપ – ત્યાન-ગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, નિદ્રા, પ્રચલા, શક્ષ૮નાવરણ, અચક્ષુર્દર્શનાવરણ અને અવધિદર્શનાવરણ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy