SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો ડે. હર્બલે ઉવાસદસાના અંગ્રેજી અનુવાદ (ભા. ૨નું પરિ. શિષ્ટ, પૃ. ૨૩ )માં ઉપર પ્રમાણે બુદ્ધષના વિચારો રજૂ કર્યા છે ખરા પરંતુ બુદ્ધઘે ષના આ વિચારો આધ્યાત્મિક વિકાસ સાથે બંધબેસતા આવે એવા જતા નથી. એ તે બાળકના જન્મ સમયથી માંડીને એના યૌવન-કાળનું વ્યાવહારિક ચિત્ર આલેખે છે. ઉપર્યુક્ત આઠ સ્થિતિએને સંબંધ જન્મ સાથે શે. હઈ શકે ? ખરી રીતે તે એ સ્થિતિઓ એ અજ્ઞાન અને જ્ઞાન સાથે સંલગ્ન હોવી જોઈએ. એ બેની પ્રબળતા અને પુષ્ટિ સાથ આ આઠ સ્થિતિ એ સંકળાયેલી હોવી જોઈએ. આમ પ. સુખલાલજીએ જે મત દર્શાવ્યું છે તે ઉચિત જણાય છે. મન્દ' વગેરે પહેલી ત્રણ સ્થિતિઓ અવિકાસ-કાળની છે અને બાકીની પાંચ વિકાસ-કાળની છે ત્યાર બાદ એક્ષ-કાળ હવે જોઈએ. [ પ ]. આ પ્રમાણે જૈન, આજીવિક, વૈદિક અને બોદ્ધ દર્શને પ્રમાણે આધ્યાત્િમક વિકાસની ભૂમિકાઓનું સંક્ષિપ્ત સ્વરૂપ મેં રજૂ કર્યું છે. એમાં અવિકાસ-કાળ અને વિકાસ-કાળ અંગે ભારતીય દર્શનેના વિચારો ઉપસ્થિત કરાયા છે. તે અહીં કેષ્ટકરૂપે હું દર્શાવું છું કે જેથી એને એકસામટે અને તુલનાત્મક ખ્યાલ આવી શકે – ૧. જુઓ આધ્યાત્મિક વિકાસ કેમ ( પૃ. ૧૮ ). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy