SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૯૩ ‘એકાગ્ર' નામની ચેાથી ભૂમિકામાં વિકાસનું બળ વધે છે અને એ વધતાં વધતાં ‘નિરુદ્ધ' નામની પાંચમી ભૂમિકામાં પૂર્ણતાને પામે છે. આ ‘એકાગ્ર’' અને 'નિરુદ્ધ' એ કે જ ચિત્તના સમયે જે સમાધિ હોય છે તે ‘ચેગ' કહેવાય છે. એકાગ્ર ચિત્તના સમયના ચેગને સંપ્રજ્ઞાત યોગ' અને નિરુદ્ધ ચિત્તના સમયના યેાગને અસંપ્રજ્ઞાત ચેાગ' કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ‘ક્ષિપ્ત', ‘ભૂત' અને ‘વિક્ષિપ્ત’ એ ત્રણ ભૂમિકાઓમાં વિકાસ-ક્રાળ હેાય છે જ્યારે છેલ્લી એ ભૂમિકાઓમાં એકાગ્ર’ અને ‘નિરુદ્ધ' નામની બાકીની બે ભૂમિકામાં આત્માન્નતિના ક્રમ હાય છે. આ પાંચ ભૂમિકાઓની પછીની સ્થિતિ તે મેક્ષ-કાળ છે. ( ૨ ) યાગવાસિષ્ઠ ચેાગવાસિષ્ઠ એ એક જાતનું રામાયણ છે, એથી તે એનું “ચેાગિવાસિષ્ઠ રામાયણ' એવું નામ છે. એની રચના કયારે થઈ એ મામત વિદ્વાનામાં મતભેદ છે. ડૉ. વિનિત્સના અને એસ. એન. દાસગુપ્તના મતે એ ઇ. સ.ની આઠમી સદીને ગ્રન્થ છે જ્યારે ડૉ. વી. રાઘવનના મતે એની રચના ઈ. સ. ૧૧૦૦થી ઇ. સ. ૧૨૫૦ના ગાળામાં થઇ છે. આ ગ્રન્થના મુખ્ય વિષય વસિષ્ઠ અને રામચન્દ્ર વચ્ચેના સંવાદ છે. એ સંવાદ દ્વારા વસિષ્ઠ રામચન્દ્રને મુક્તિ મેળવવાન ઉપાય વિસ્તારથી સમજાવે છે. વાલ્મીકિએ અરિષ્ટનેમિને એ સંવાદ સભળાવ્યેા હતા. ચેાગવાસિષ્ઠમાં અગસ્ત્ય સુતીક્ષ્ણને એધ કરાવવા માટે વાલ્મીકિ-અરિષ્ટનેમિ' સંવાદ કરે છે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy