SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૭૫ કષાને અને ખાસ કરીને મિથ્યાત્વને મંદ બનાવવામાં આત્માને જે પરિણામ કારણરૂપ થાય તેને “યથાપ્રવૃત્તિ-કરણ” કહે છે. આ બુદ્ધિપૂર્વક પ્રયાસ નથી. “યથાપ્રવૃત્તિ” કરણના પ્રત્યેક સમયમાં આત્મા ઉત્તરોત્તર વિશુદ્ધિ સાધતું જાય છે. એને લઈને શુભ કર્મોની જે ફળ આપવાની શક્તિ છે – જે એને અનુભાગ છે તેમાં એ વધારે કરે છે અને અશુભ કર્મોની ફળ આપવાની તાકાતને એ તેડતા જાય છે– એના અનુભાગની હાનિ કરે છે. અંતર્મુહર્ત સુધી આ કાર્ય કરી એ “અપૂર્વ-કરણ” કરે છે. આને પ્રથમ સમયે જે કર્મ એટલે વખત ટકવાવ શું હોય તેટલા વખત કરતાં એ ઘણે એ છે વખત ટકે એવી જાતને એ પ્રયત્ન કરે છે અર્થાત એ કર્મોને “સ્થિતિ-ઘાત” કરે છે. બીજું કાર્ય એ એ કરે છે કે જેથી અશુભ કર્મોનું જોર ધીરે ધીરે ઓછું થતું જાય છે–એને રસ ધીરે ધીરે જાણે સુકાઈ જાય છે. આને “રસ-ઘાત ” કહે છે. જે કર્મોનાં દળિયાં (દલિકેન સ્થિતિઘાત કરાય છે તેનાં દળિયાંઓને અમુક ક્રમે સ્થાપન કરવાનું કાર્ય કરાય છે એને “ગુણશ્રેણિ' કહે છે. આ એનું ત્રીજુ કાર્ય છે. આ કાર્ય દ્વારા જે દલિકે કાલાંતરે ભેગવવાનાં હતાં તે દલકે જેમ બને તેમ જલદી ભેગવાય અને ઉત્પન્ન થતાં દલિકેની સંખ્યા જેમ બને તેમ ઘટે એ પ્રયાસ કરાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy