________________
ત્રીજુ ]
બાર ઉપાંગે
[૩૧
વિષય-ચન્દ્ર નામને ઇન્દ્ર મહાવીરસ્વામીને વંદનાર્થે આવી સૂર્યાભ દેવની જેમ નાટયવિધિ દર્શાવી પાછો ફરે છે. એની ઋદ્ધિ વિષે પ્રશ્ન પૂછાતાં કટાગારશાલાનું ઉદાહરણ અપાયું છે. અને આ ચન્દ્રને પૂર્વ ભવ કહેવાય છે. એમાં એને જેનોના ત્રેવીસમા તીર્થકર “પુરુષાદાનીય પાર્શ્વનાથની પાસે દીક્ષા લીધાને ઉલ્લેખ છે.
સૂર્ય, શુક, બહુપત્રિકા દેવી વગેરે નવની હકીકત આ આગમમાં અપાઈ છે. તેમાં શુકને સેમિલ બ્રાહ્મણ તરીકે પૂર્વ ભવ વિસ્તારથી રજૂ કરાય છે, અને એમાં તાપસ તરીકેની એની રહેણીકરણીનું એણે લીધેલા વિવિધ અભિગ્રહોનું વર્ણન કરાયું છે.
વિવરણ–મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૧) પુચૂલિયા (પુષ્પચૂલિકા –
વિભાગ–વિવાગસુચના ઉપાંગ તરીકે ઓળખાવતે આ આગમ દસ અધ્યયનમાં વિભક્ત છે.
વિષય – આ આગમમાં સંયમની આરાધનામાં સ્વચ્છંદતા સેવવાથી આવતા અનિષ્ટ પરિણામનો ચિતાર અપાય છે. તેમ કરતી વેળા શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલા, સુરા, રસદેવી અને ગંધદેવી એ દસ દેવીઓના પૂર્વ ભવનું વર્ણન કરાયું છે. એ દસે પૂર્વ ભવમાં જિનેશ્વર પાર્શ્વનાથ પાસે દીક્ષા લઈ પુષ્પચલા સાધ્વીની શિષ્યા બની હતી. એ દસેને જળ વડે વસ્તુઓ છેવાને નાદ હતે. એની આલોચના ન કરવાથી એમને વિશેષ ઉચ્ચ સ્થાન મળ્યું નહિ.
વિવરણુ–મુખ્યતયા ગદ્યાત્મક આ આગમ ઉપર શ્રી ચન્દ્રસૂરિની ટીકા છે.
૧-૨ આ બંનેએ પૂર્વ ભવમાં પાર્શ્વનાથ પાસે દીક્ષા લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org