________________
૧૪ ]
પિસ્તાલીસ આગમ
[ પ્રકરણ
પ્રદેશી રાજા અને કેશી ગણધરને પ્રસંગ બૌદ્ધોના પાયાસિસુત્ત સાથે વિલક્ષણ સમાનતા ધરાવે છે.
જાતજાતના ઉત્સવો, ચાતુર્યામ ધર્મ, ચાર પ્રકારની પર્ષદા અને ચાર પ્રકારના વ્યવહાર વગેરે બાબતે પણ આ આગમમાં આલેખાઈ છે.
કળાઓની સામગ્રી
સૂર્યાભ દેવના વિમાનનું એટલું બધું ઝીણવટભર્યું વર્ણન કરાયું છે કે એ ઉપરથી સમર્થ શિલ્પશાસ્ત્રી નવ્ય અને ભવ્ય મહાલયનું નિર્માણ કરી શકે તેમજ આપણને શિલ્પશાસ્ત્રને લગતા અનેક પારિભાષિક શબ્દ જાણવા મળે. આ તે શિલ્પકળાની વાત થઈ. વાદનવિદ્યા, સંગીતશાસ્ત્ર, નાટયશાસ્ત્ર અને નૃત્યકળાના અભ્યાસીને પણ મનન કરવા લાયક વિવિધ માહિતી આ આગમમાં અપાઈ છે.
વિવરણ–આ આગમ ઉપર વ્યાખ્યાવિશારદ અને વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં વિદ્યમાન મલયગિરિસૂરિની ૩૭૦૦ લેક જેવડી વૃત્તિ છે.
(૩) જીવાભિગમ–
નામ—ઠાણના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૪૭૦૦ લેક જેવડા આ આગમનું નામ સમવાયની જેમ સમસંસ્કૃતમાં છે. “જીવાજીવાભિગમ એવું આનું અન્ય નામ પણ આ પ્રકારનું છે.
વિભાગ–પહેલાં આઠ સૂત્રે જેટલા ભાગને બાજુએ રાખતાં આ આગમન નવ વિભાગો પડે છે. એ દરેકને પ્રતિપત્તિ કહે છે. ત્રીજી પ્રતિપત્તિના બે ઉદ્દેશક છે. આ આગમમાં બધાં મળીને ર૭ર સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org