SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] પિસ્તાલીસ આગમ [ પ્રકરણ પ્રદેશી રાજા અને કેશી ગણધરને પ્રસંગ બૌદ્ધોના પાયાસિસુત્ત સાથે વિલક્ષણ સમાનતા ધરાવે છે. જાતજાતના ઉત્સવો, ચાતુર્યામ ધર્મ, ચાર પ્રકારની પર્ષદા અને ચાર પ્રકારના વ્યવહાર વગેરે બાબતે પણ આ આગમમાં આલેખાઈ છે. કળાઓની સામગ્રી સૂર્યાભ દેવના વિમાનનું એટલું બધું ઝીણવટભર્યું વર્ણન કરાયું છે કે એ ઉપરથી સમર્થ શિલ્પશાસ્ત્રી નવ્ય અને ભવ્ય મહાલયનું નિર્માણ કરી શકે તેમજ આપણને શિલ્પશાસ્ત્રને લગતા અનેક પારિભાષિક શબ્દ જાણવા મળે. આ તે શિલ્પકળાની વાત થઈ. વાદનવિદ્યા, સંગીતશાસ્ત્ર, નાટયશાસ્ત્ર અને નૃત્યકળાના અભ્યાસીને પણ મનન કરવા લાયક વિવિધ માહિતી આ આગમમાં અપાઈ છે. વિવરણ–આ આગમ ઉપર વ્યાખ્યાવિશારદ અને વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં વિદ્યમાન મલયગિરિસૂરિની ૩૭૦૦ લેક જેવડી વૃત્તિ છે. (૩) જીવાભિગમ– નામ—ઠાણના ઉપાંગ તરીકે ઓળખાવાતા અને ૪૭૦૦ લેક જેવડા આ આગમનું નામ સમવાયની જેમ સમસંસ્કૃતમાં છે. “જીવાજીવાભિગમ એવું આનું અન્ય નામ પણ આ પ્રકારનું છે. વિભાગ–પહેલાં આઠ સૂત્રે જેટલા ભાગને બાજુએ રાખતાં આ આગમન નવ વિભાગો પડે છે. એ દરેકને પ્રતિપત્તિ કહે છે. ત્રીજી પ્રતિપત્તિના બે ઉદ્દેશક છે. આ આગમમાં બધાં મળીને ર૭ર સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004616
Book TitlePistalisa Agam Sankshipta Ruprekha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Hirabhai Naginbhai Jariwala
Publication Year1954
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy