SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન જેમ કપાળે કપાળે મતિ જુદી હોય છે તેમ રુચિ પણ જાતજાતની હોય છે. કેટલાક જનને કઈ પણ વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ ગમે છે તે કેટલાકને એ જ વિષય વિસ્તારથી છણાયેલા જેવાની ઉત્કંઠા રહે છે. આમ સામાન્ય રીતે “સંક્ષિપ્ત-રુચિ અને વિસ્તીર્ણ-રુચિ એમ જનતાના મુખ્ય બે વર્ગો પડે છે. આમાં એક વચલો વર્ગ પણ છે, અને તેને અતિશય સંક્ષિપ્ત કે ખૂબ જ વિસ્તૃત નિરૂપણ પસંદ નથી. આને લઈને કેટલાંક શાની પણું સંક્ષિપ્ત, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ જાતની સંકલન જોવાય છે. પ્રત્યેક ધર્માવલંબીને પિતાનાં શાસ્ત્ર પ્રત્યે પૂર્ણ આદરભાવ હોય છે. એમાં જેને અપવાદરૂપ નથી. આથી કરીને એઓ પોતાના આગમનું બહુમાન કરતા આવ્યા છે અને કરે છે તે સમુચિત છે, પરંતુ સામાન્ય રીતે હમેશાં બનતું આવ્યું છે તેમ જૈનને મોટો ભાગ વસ્તુસ્થિતિથી પૂર્ણ પરિચિત બન્યા વિના જ પૂજ્ય ભાવ સેવે છે. વળી ઉપલબ્ધ આગમે અદ્ધમાગણી (સં. અર્ધમાગધી)માં રચાયેલા હોવાથી અને એનાં પ્રાચીન વિવરણે પાઈયે (પ્રાકૃત) અને સંસ્કૃતમાં હોવાથી આગમાં ક ક વિષય આવે છે ઈત્યાદિ બાબતેથી માટે ભાગ અજાણ હોય એમ જણાય છે. આ વાતને લક્ષ્યમાં રાખી જૈન આગમેની આછીપાતળી રેખા પિસ્તાલીસ આગની ગુજરાતીમાં પૂજા રચનારાઓએ પૂરી પાડી છે. એમાં શુભ વિજયજીના શિષ્ય કવિ વીરવિજ્યજીની વિ. સં. ૧૮૮૧માં રચાયેલી પૂજા અને પદ્યવિજયજીના શિષ્ય રૂપવિજયજીની વિ. સં. ૧૮૮૫માં રચાયેલી પૂજા સુપ્રસિદ્ધ છે. વિસ્તૃત ચિને માટે આગમનું દિગ્દર્શન અને એના ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004616
Book TitlePistalisa Agam Sankshipta Ruprekha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Hirabhai Naginbhai Jariwala
Publication Year1954
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy