SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ ઉત્તરમાં કહે નેમજી, આયુષ્ય વરસ હજાર; ભોગવ્યું ઘણું ખરું યુદ્ધમાં, બાકી વર્ષ છે બાર. મો. ૪ બાંધવ તુજ એર માન છે, નામે જરા કુમાર; મૃત્યુ લખ્યું તેના હાથથી, શંકા એમાં ન લગાર. મો. દ્વારિકા નગરીના પ્રશ્નમાં, દ્વિપાયન ઋષિ જેહ, પુત્ર તમારા મદ્ય પાનથી, નારીનું કારણ તેહ. મો. પ્રભુ વચને ખેદ પામી, નામે જરાકુમાર કૃષ્ણ ના રક્ષણ કારણે, રહ્યો ન ગામ મેઝાર. મો કૃષ્ણજી ડીંડીર ફેરવે, ઘેર ઘેર કીધો સંદેશ દારૂ છોડી દ્યો માનવી, જે હાય બચવા ઉદેશ. મો. નહિતર નગરીને નાશ છે. જાણો પ્રભુનું વચન ધર્મ સાધન કરે સામટું, જેથી નગરીનું જતન. મે વ્યસન તજવી દારૂનું, લોકોને જાગૃત કીધ; ખીણ દારૂ ફેંકાવી, ભયથી કેઈએ ન પી. મો. એક દિન ચરના રે વાકયથી, શાંબ–પ્રદ્યુમ્ન કુમાર; મદ્યપાન કીધું રે આવીને, ઉન્મત્ત થયા તેણી વાર મે ફરતા ફરતા રે આવીયા, દ્વિપાયન રૂષિ પાસ; મારો કહે રે એહને, જેનાથી નગરી વિનાશ. મે મારી મારી નાશી ગયા, કુંવર ગામ મેઝાર; ક્રોધની જવાલાથી ઋષિએ, કર્યું નિયાણું તે વાર, આ ભવમાં ત૫ જે કર્યું, તેનું ફળ કાંઈ જે હોય નાશ કરૂં તે હું પુરીને, એમ કહી સાચું ફળ ખાય. એ રામકૃષ્ણ વાત સાંભળી, આવ્યા ઋષિની પાસ; નિદાન પાછું ખેંચી લીયો, પુરો અમારી આશ. મે. ઋષિ કહે બે ભાઈ તુમ વિના, કરીશ હું નગરીને નાશ; વચન ન મારૂં હું ફેરવું, કહેશો નહિ ફરીવાર. મો ઋષિ અણસણ કરી મરણથી, અગ્નિકુમાર દેવ હોય; કયા કારણથી અહીં અવતર્યો, વિભંગ જ્ઞાનથી જોય. મો. ૧૭ ઢાલ-૨ જી. કોધથી ધમધમી દ્વારિકા આવી, દ્વિપાયન રૂષિ જીવ રે; બહાર જતા અટકાવી દીધા, લોકોની પકડી ગ્રીવ રે, કર્મ બંધનના કડવા વિપાકે, ભગવ્યા વિણ નવિ છૂટે રે. કમ ૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy