SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રવૃત્તિ હોય છે એમ જ લખવું હતું ને ? સમાધાનઃ પુનઃ જે લખ્યું છે તે સમક્તિના અભાવમાં ઉપાત્તકર્મના સામર્થ્યથી એકવાર દુર્ગતિ થઈ શકે છે. એ ખ્યાલથી લખ્યું છે. સામાન્ય રીતે સમ્યકત્વ પામેલા જીવને ચરમ પાપ પ્રવૃત્તિ હોવાના કારણે તેનાથી નવી પાપ પ્રવૃત્તિ કરાવે તેવું પાપ કર્મ બંધાતું નથી. તેથી સમ્યકત્વ પામ્યા પછી આયુષ્યનો બંધ થાય તો દુર્ગતિનો થતો નથી અને તેથી સામાન્ય રીતે દુર્ગતિનો અયોગ હોવા છતાં સમ્યકત્વ પામતા પહેલા જીવે અશુભ આયુષ્ય બાંધી દીધું હોય તો એકવાર દુર્ગતિમાં જવું પડે છે માટે પુનતિ યોગાત્ એમ લખ્યું છે તેમાં શ્રેણિક મહારાજનું ઉદાહરણ છે. શંકાઃ સમ્યગદર્શનથી પડેલા અને અનંત સંસારી થયેલા જીવોને અનેકવાર દુર્ગતિનો યોગ થાય છે. એવું શાસ્ત્રોમાં જણાય છે તેથી સમકિતી જીવને ફ્રીથી દુર્ગતિનો અયોગ છે એવું તમારું કથન યત્કિંચિત્ અર્થાત તુચ્છ છે. સમાધાન : તમારી શંકા બરાબર નથી કારણ કે તમે અમારા અભિપ્રાયને સમજતા નથી. ક્ષાયિક સમ્યગ દૃષ્ટિ જીવને જ નેઋચિક વેધસંવેધપદ હોય છે અને તેથી તેને જ ચરમા પાપપ્રવૃત્તિ હોય છે એ અભિપ્રાયથી અમારું કથન છે. વળી વ્યાવહારિક એવું વેધસંવેધપદ પણ સુંદર જ છે. (મપિ થી નૈૠયિક વેધસંવેદ્યપદ તો. સુંદર છે જ , કારણ કે તે હોતે છતે દુર્ગતિ થવા છતાં પણ પ્રાયઃ કરીને માનસિક દુ:ખનો અભાવ હોય છે. “સુતાવાપ'માં પિ થી સામાન્ય રીતે તો વ્યાવહારિક વેધસંવેધપદ હોતે છતે દુર્ગતિ થતી જ નથી પરંતુ ક્યારેક થાય તો પણ ત્યાં માનસિક દુ:ખનો પ્રાય: અભાવ હોય છે. પ્રાયઃ એટલા માટે કહ્યું કે નરકાદિમાં ગયેલા જીવને ત્યાંની અસહ્ય વેદનામાં પોતાની કરેલી ભૂલ જ યાદ આવે છે. તેનો જ અત્યંત પશ્ચાત્તાપ હોય છે. એને એકજ વિચાર આવે છે કે જો મેં ભૂલ ન કરી હોત તો અહિંયા આવવું ન પડત માટે હવે આ ભૂલથી આવેલા દુ:ખને એવી રીતે વેઠી લેવા જેવું છે કે જેથી નવા દુ:ખ આપનાર કર્મી ન બંધાય એમ આત્માને સમજાવી શાંતિથી દુ:ખને વેઠવાનો પ્રયત્ન કરે છે અને તેથી બહુલતયા સંકલેશ, અરતિ, મારનાર ઉપર ક્રોધાદિ થતા નથી છતાં ક્યારેક દુઃખની પીડા અસહ્ય બને તો સંકલેશ થઈ જાય તેવું બને તો તેમાં તે સંક્લેશને સારો માનવા રૂપ ઉપાદેય બુદ્ધિ તો થતી જ નથી માટે પ્રાય: લખ્યું છે. વજના ચોખાને જેમ અગ્નિ દ્વારા ગમે તેટલી પાકક્રિયા કરવામાં આવે તો પણ તેનામાં જેમ પાક અર્થાત્ વિકલ્લેદન થતું નથી. તેમ વ્યાવહારિક વેધસંવેદ્યપદ હોતે છતે નરકાદિમાં ગયેલા સમ્યગ્રષ્ટિ જીવને ગમે તેવા શરીરના દુઃખો હોવા છતાં ભાવ પાક થતાં નથી.સતો- પહેલી ચાર દ્રષ્ટિમાં રહેલા અવેધસંવેધપદથી અન્ય એવું જે અચરમાવર્ત કાળમાં તેમજ ચરમાવતમાં દૃષ્ટિ પામતા પહેલા જે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004613
Book TitleYogadraushtina Ajwala Part 3
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy