SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ ૧૮૯ હોય ? પછી તો ભજન નથી. બંદગી નથી. પછી સ્મરણ કોનું ? સ્મરણ તો આપણાથી ભિનનું જ હોય. આખરે તેઓએ મન્સુરને ફાંસી ઉપર લટકાવ્યા. છતાં મન્સુરને કોઈ દુ:ખ નથી. લોકો જોવા માટે ઉમટયા છે. ત્યારે મન્સૂર હસે છે. આત્મા ક્ષણવાર લોકોએ હસવાનું કારણ પૂછ્યું તો કહે છે ચાલો. આ બહાને પણ તમે ઉપર જોયું. શાયદ મને જોતાં જોતાં આ મૃત્યુની ઘડીમાં, મૃત્યુના આઘાતમાં તમારી વિચાર પ્રક્રિયા બંધ થઈ જાય અને અંદરનું આકાશ ખુલી જાય, તમને તેના દર્શન થઈ જાય કે જે હું છું. મન્સૂર જો ભારતમાં જન્મ્યા હોત તો લોકો તેમને એક સંત માની લે પૂજત. એમની ગણના મહર્ષિઓમાં થાત પણ તે આરબ દેશમાં પેદા થયા માટે ફાંસી મળી. યહુદીઓ પણ જિસસને સહન કરી શકયા નહિ. તેણે કહ્યું કે હું અને મારો પિતા કે જેમણે મને બનાવ્યો છે તે અમે બંને એક છીએ માત્ર તે ઉપર છે અને હું નીચે છું. આ ઘોષણા યહુદીઓને પસંદ ન પડી. તેમને તેમાં અહંકાર દેખાયો, તેમને પણ યહુદીઓએ ફાંસી આપી. ભક્તિમાર્ગીઓ જ્યારે પોતાની માન્યતામાં કટ્ટર આગ્રહી બને છે ત્યારે તેઓ જ્ઞાનમાર્ગની ઉપાસનાને સમજી શકતા નથી. જ્યાં ઝનુન છે ત્યાં ઉપશમભાવ નથી. આશ્ચર્ય રહસ્ય શંકરાચાર્ય ભ્રમણ કરતાં કરતાં દક્ષિણમાં આવ્યા. ત્યાં તેમણે એક આશ્ચર્ય જોયું. સખત તાપમાં એક ઘાયલ દેડકો ગરમ રેતીમાં પડ્યો રહી તરફ્તતો હતો. દેડકો પાણીમાં રહેનાર કોમળ પ્રાણી છે. કોઈક કારણવશાત્ એના પગ તૂટી ગયા હતા. એ તરફ્ટતા દેડકા પર એક નાગ છાયા બનીને બેઠો હતો જેનાથી દેડકાને તાપ ન લાગે એમને આની પાછળનું રહસ્ય જાણવાની ઇચ્છા થઈ. તેમણે ૠષિ મુનિઓને પુછયું. આનું રહસ્ય શું છે? કેમ કે દેડકો સાપનું ભક્ષ છે છતાં સાપ તેના પર છાયા કરીને બેઠો છે? ૠષિઓએ કહ્યું અહીંની ભૂમિના પરમાણુઓનો આ પ્રભાવ છે કે અહીં હિંસક પણ અહિંસક બની જાય છે. અહીં વર્ષો સુધી શૃંગેરી ૠષિએ આત્મ સાધના કરી છે. તેના આહાર-વિહાર-આચાર-વિચાર અતિ પવિત્ર હતા. એટલા - - માટે આ ભૂમિ અતિપવિત્ર બની ગઈ. આ ક્ષેત્રની સીમામાં આવનાર પ્રત્યેક જીવ અહિંસક બની જાય છે તે આચારથી કોમળ અને હૃદયથી દયાળુ બને છે. આ સાંભળીને શંકરાચાર્યે નિશ્ચય કરી લીધો કે હું પહેલા અહીં જ મઠની સ્થાપના કરીશ. આ ભૂમિ તો તીર્થ છે એટલા માટે પ્રથમ મઠ તેમણે શૃંગેરીમાં સ્થાપ્યો. એક શૂફી કથા થઈ ગઈ. માત્ર પડછાયાથી Jain Education International 2010_05 - - એક માણસ હતો જેણે પોતાના પડછાયાથી ઘૃણા જ નહિં તેના પગના ચિહ્નોથી પણ ઘૃણા થઈ. તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004613
Book TitleYogadraushtina Ajwala Part 3
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy