SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ ન થાય, ત્યાં જ બેસી રહેવું ગમે એ પરમાત્માનું એટેચમેન્ટ છે, અને ત્યારે કહેવાય કે સંસાર સાથેનું જોડાણ તૂટ્યું છે. આપણો મનોયોગ જ તૈયાર થતો નથી તેથી મનોયોગ પ્રેરિત વચનયોગ-(સ્તુતિ) થતો નથી. પહેલાં મનોયોગ તૈયાર કરો. પરમાત્માના ઉપકારથી ગગ મનોયોગ બનાવો. ચોવીશે કલાક પરમાત્માના ઉપકારથી મનોયોગ વાસિત જ હોવો જોઈએ. જો આ શાસન ન મળ્યું હોત, જો પરમાત્મા ન મળ્યા હોત! તો આપણે કેવા હોત ? આપણે ક્યાં હોત ? સંસારમાં જીવવા માટે બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી જોઈએ છે. બુદ્ધિના આધારે જીવે તે બુદ્ધિજીવી. શ્રમ કરીને જીવે તે શ્રમજીવી. રૂપને આધારે જીવે તે રૂપ જીવી છે. વારાંગના રૂપજીવી છે. રૂપને જ આગળ કરીને, રુપને કેન્દ્રસ્થાને રાખીને જીવે છે. તમે રૂપજીવી નહિ પણ રૂપવાન બનો. જે રૂપની સાથે સંસ્કાર ભળે તેને રૂપવાન કહેવાય છે. એમ તમે બુદ્ધિજીવી નહીં પણ બુદ્ધિમાન બનો... જે બુદ્ધિની સાથે તર્ક જ ભળે, વારંવાર તર્ક જ લગાડે તે બુદ્ધિજીવી છે. પણ જે બુદ્ધિની સાથે શ્રધ્ધા ભળે, શાસ્ત્રની શ્રદ્ધા ભળે, પરમાત્માના વચનની શ્રદ્ધા ભળે, વિવેક ભળે તે બુદ્ધિમાન.... એમ ચારિત્રજીવી પણ જગતમાં છે. ચારિત્રના બળ ઉપર જીવનારા સાધુઓ છે. સમયે સમયે, ડગલે ને પગલે ચારિત્રને આગળ કરનારા સાધુઓ છે. પરમાત્માનો ઉપકાર અહીં મનોયોગ પ્રેરિત વચનયોગ કહે છે. ખાલી સ્તુતિ - નમસ્કાર કરી લ્યો તે મનોયોગ પ્રેરિત વચનયોગ નથી. સમયે સમયે પ્રભુનો ઉપકાર યાદ આવે છે ? પ્રભુ! તમને ન પામ્યો હોત તો નરકમાં ગયો હોત ! નરકના ભયંકર દુ:ખો અને વેદનામાં આજે સબડતો હોત ! હે પ્રભો ! તું મળ્યો તો મારી નરક ટળી, તિર્યંચગતિ ટળી, એકેન્દ્રિયાદિ-દુર્ગતિ ટળી. હે પ્રભો ! તું ન મળ્યો હોત તો મારું શું થાત ! તું મને આજે મળી ગયો છે. એ જ મારું લોકોત્તર સૌભાગ્ય છે. એકેન્દ્રિયમાં અનંતકાળ પ્રભુ તું ન મળ્યો, તો અમે કેવા ટીચાયા ! કેવા ભટક્યા ! અમારી કેવી દુર્દશા થઈ છે ! વિકસેન્દ્રિયમાં પણ પ્રભુ ! સંખ્યાતકાળ સુધી તમે નથી મળ્યા. પંચેન્દ્રિય તિર્યંચમાં ભૂખ-તરસ , ટાઢ-તડકા, છેદન-ભેદન વગેરે દુઃખો વેઠ્યા છે. આવી બધી દુર્દશા, યાતના પ્રભુ તારી કૃપાથી ટળી ગઈ છે.. જે પરમાત્માએ આટલો બધો ઉપકાર કર્યો છે, તે પરમાત્મા મળે તો કેટલો આનંદ આવે? એના ઉપકાર કેવા યાદ આવે? જેનો ઉપકાર યાદ આવે, તે વ્યક્તિ મળે તો, આપણે શું ન કરીએ ? તે વખતે મનોયોગ કેવો ? વચનયોગ કેવો ? અને કાયયોગ કેવો ? માનો કે તમે અટવીમાં ભૂલા પડ્યા. તેમાં ચાર ગુંડા મળ્યા. તમારું બધું જ લૂંટાઈ જવાની તૈયારીમાં છે. તે વખતે તમને એક માણસ મળી ગયો. તમને વિપત્તિમાંથી આબાદ બચાવી લે છે. તમારી બધી સંપત્તિ બચાવે છે. તમને બચાવે છે, અને ઇષ્ટ સ્થાને પહોંચાડે છે. હવે તેનાથી તમે છૂટા પડો છો ત્યારે તમારું મન કેવું હોય ? તમારા વચનો કેવો હોય ? તેની સાથે તમે કેવા ભાવથી વાતો કરો ? તમે એને ઘરે આવવાનું પણ ખાસ કહો ને ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy