SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી આગળ બાઈ પોતાની વાત કરે છે... ભાઈ ! પરમાત્માનો કેવો અન્યાય છે ! જેને કોઈ ખાનારા નથી, પીનારા નથી - તેને અઢળક સંપત્તિ આપે છે. આજે મારી પાસે ખાવાનું નથી, પીવાનું નથી તો ય ઈશ્વરે મારા પતિને ખેંચી લીધો... જૂઓ – ભંડાર જ્યાં ભરપૂર છે, ત્યાં કોઈ ખાનારું નથી, ને ખૂબ છે ખાનાર જ્યાં, ત્યાં કાંઈ ખાવાનું નથી. (૧) લાખોના ખાલી મહેલ છે, ત્યાં કોઈ રહેનારૂં નથી; રખડે બિચારા લાખ જેને, ઝૂપડું રહેવા નથી. (૨) જ્યાં ધોધ પાણીના વહે, ત્યાં કોઈ પીનારું નથી; તરસે મરે છે સેંકડો, જેને, કોઈ પાનારું નથી. (૩) ઈશ્વર કેવા છે ? કેવા અન્યાયી છે ? મારા સામું પણ ન જોયું ? ફલોસોફર કહે છે – બેન ! તમે ભૂલો છો. પરમાત્માએ તમને અન્યાય કર્યો નથી. પરમાત્માએ તો તમારા ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો છે. તમે પાઉન્ડ, શીલીંગ, પેન્સથી જ પરમાત્માને માપો છો, પણ પરમાત્માએ તમારા ઉપર ઉપકાર કર્યો છે. પરમાત્માએ તમને સત્ત્વ ખીલવવાની તક આપી છે, જો, હું તમને થોડા પૈસા આપું છું, એક બિસ્કીટની હાટડી ખોલો. અત્યારે નાના પાયા પર ધંધો શરૂ કરો... પણ જુઓ ! જ્યારે કંઈ બને, કંઈ મળે, ત્યારે પરમાત્માના ઉપકારને ભૂલતા નહીં. તેમાં પરમાત્માનો ઉપકાર માનજો... હવે કોઈ પણ ઘરાક આવે, થોડો માલ કોઈ લે... ત્યારે તેમાં પ્રભુ! તારો ઉપકાર, આ ચિત્તલય થઈ ગયો. એનાથી કિલષ્ટકર્મનો હ્રાસ થઈ ગયો. પછી તો જે કોઈ પણ ઘરાક આવે તે, બાઈ એનો જે ભાવ કહે તે ભાવે દરેક જણા લઈ જાય છે.. સતત પરમાત્માને યાદ કરે છે, પરમાત્માનો ઉપકાર સતત માને છે. અંદરમાં સતત આનંદ આનંદ આવે છે. ધીરે ધીરે, એ બાઈ ધનાઢય બની ગઈ.. તમે પણ દરેક કાર્યમાં ૨૪ કલાક પરમાત્માનો ઉપકાર ઘુસાડી ઘો. તમે ક્ષણે ક્ષણે પરમાત્માનો ઉપકાર છે એમ માનો છો ? આ “નિનેષુ શર્તિ ચિત્તમ્' એ યોગબીજ છે. મન-વચન-કાયયોગથી પરમાત્માની ઉપાસના કરો તો વાસ્તવિક ઉપાસના કહેવાય. અણગમો-અપ્રીતિ વેષાદિના અભાવ પૂર્વક પરમાત્માની ભક્તિવાળું, આદરવાળું ચિત્ત સતત રહે તે મનોયોગની સાધના છે. “તનક્કર 4 ચ'' પરમાત્માને નમસ્કાર કરો. આવા મનોયોગથી ગર્ભિત સ્તુતિ, પરમાત્માની પાસે બોલ્યા જ કરો. ગમે તેટલી સ્તુતિ બોલો, ઓછી જ લાગે... વાચિક રીતે ૧૦૦ સ્તુતિ બોલો. તેમાં વધુ આનંદ આવે.... બુદ્ધિજીવી, શ્રમજીવી, રૂપજીવી પરમાત્માના મંદિરમાં ગયા પછી, ત્યાંથી છૂટા પડવાનું ન ગમે, ત્યાંથી ખસવાનું મન Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy