SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ - યોગદૃષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ પરમાત્મ કૃપા जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च, प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥२३॥ (૧) જિનોપાસના....(૨) ભાવાચાર્યાદિનું વૈયાવચ્ચ. (૩) સહજ ભવોઢેગ... (૪) સિદ્ધાંતોને લખાવવાદિ શાસ્ત્રો પાસના... (૫) દ્રવ્યથી અભિગ્રહોનું પાલન. આ પાંચ બીજો પહેલી દષ્ટિમાં પ્રાપ્ત કરે છે. યોગબીજો વગર ન ચાલે... એકાદ બીજ પણ જોઈએ જ. જિનોપાસના એ સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, અનુપમ બીજ છે. પરમાત્માની ભક્તિ, પરમાત્માની ઉપાસના જેવું કોઈ ઉત્તમ યોગ બીજ નથી. આ સંસારમાં સઘળા કાર્યમાં (૧) પરમાત્મા એ જ શ્રેષ્ઠ આલંબન છે. પરમાત્માના અવલંબન વિના કોઈ પણ કાર્યની સફળતા નથી. (૨) પરમાત્માના આલંબન વિના જીવ આગળ વધી શકતો નથી. (૩) અને આપણે જે પામવાનું છે તે પણ એને જ પામવાનું છે. એના આલંબન વિના પામી શકાતું નથી. પરમાત્મા સાધન-સાધ્ય ઉભય છે. માટે આ સંસારમાં પરમાત્માથી વધુ ઉપકારી, શ્રેષ્ઠ ઉપકારી, પુષ્ટ આલંબન, પુષ્ટ નિમિત્ત તત્ત્વ બીજું કોઈ નથી. આપણે જિનોપાસનારૂપ યોગબીજને સાધી શકતા નથી કારણ કે જિનની ઉપકારીતા સમજાઈ નથી. કૃતજ્ઞતા ગુણને વિકસાવ્યો જ નથી. આપણો જીવ અનંતીવાર શાસન પામ્યો, અનંતીવાર ચારિત્ર પામ્યો છતાં સંસારમાં ડૂળ્યો છે કારણ કે કૃતજ્ઞતા ગુણને પામ્યો નથી. કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારને જાણવા, યાદ રાખવા અને બદલો વાળવો. કૃતજ્ઞતા ન હોય તો જિનોપાસના આવે નહીં, ગુરુ ઉપાસના ન આવે. પરમાત્માનો ઉપકાર જ યાદ નથી આવતો, એ કૃતજ્ઞતા ગુણનો અભાવ બતાવે છે. જ્યાં જ્યાં, જે જે કાર્ય બને, ત્યાં ત્યાં, “પ્રભુ ! તારો ઉપકાર છે.”હે પ્રભો ! આ તારો જ ઉપકાર છે. પ્રભો! તારી કૃપાથી આ બન્યું છે. તારી કૃપા વગર બને જ નહીં... આ રીતે કરવાથી કૃતજ્ઞતા ગુણ વિકસે છે ને અહંકાર નાશ પામે છે. જો પરમાત્માનું શાસન ન હોત, અને શાસન પામ્યા ન હોત તો આપણે આજે જેવા દેખાઈએ છીએ તેવા દેખાત? તેવા હોત ? ન જ હોત..... જંગલી દેશોમાં, અનાર્ય દેશોમાં જે ક્લેશ, સંક્લેશ, દુર્ગુણો, અનાચારાદિ દેખાય છે તેનું કારણ ત્યાં પરમાત્માનું શાસન નથી. જ્યાં પરમાત્માનો યોગ નથી. ત્યાં માનવ, માનવ બની શકતો નથી. ત્યાં માનવ, મહામાનવ બની શકતો નથી ત્યાં માનવ, સજજન બની શકતો નથી. ત્યાં માનવ સંત બની શકતો નથી. ત્યાં માનવ, પરમાત્મા બની શકતો નથી. પરમાત્માના ઉપકારથી આ સંસારમાં અસાધ્ય વસ્તુ પણ સાધ્ય બને છે, પરમાત્મા કદી અભ્યાસ કરતાં જ નથી એક બાઈ હતી... ૪૦ વર્ષની ઉંમરે તેનો પતિ મૃત્યુ પામ્યો. તેને ત્રણેક સંતાનો છે. તેને ખૂબ આઘાત લાગ્યો.. પરિસ્થિતિ ખૂબ નબળી છે. તેને એક ફીલોસોફર મળ્યો. તેની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy