SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અવધ્ય યોગબીજો ૬૧ તત્ત્વનો વેષ છે... જીવતત્ત્વની અરુચિ એ પરમાત્મતત્ત્વની અરુચિ છે. જેનાથી આગળ તત્ત્વ પામી ન શકાય. આ દષ્ટિમાં રહેલા જીવને બીજા શું કરે છે ? તેની પરવા જ ન હોય. કદાચ બીજા જીવો વિપરીત કરતાં દેખાય, તો પણ દ્વેષ ન આવે. પણ એના હૈયામાં કરૂણા જ પેદા થાય છે. હૃદય કુણું થયું છે. ધર્મ માટે હૃદય કોમળ અને વિશાળ જોઈએ. આ પહેલી દૃષ્ટિનો બોધ છે. અહીં રહેલો યોગી અવધ્ય એવા યોગબીજોને ગ્રહણ કરે છે. અવધ્ય યોગબીજો करोति योगबीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ॥२२॥ આ પહેલી મિત્રા દૃષ્ટિમાં રહેલો જીવ સુંદર યોગબાજોને ગ્રહણ કરે છે. જે મોક્ષને માટે અવધ્ય હેતુ છે. આ યોગબીજો મોક્ષને આપનાર છે. યોગબીજો, યોગને લાવે, યોગ, મોક્ષને લાવે.. જેમ ખેડૂત પહેલાં બિયારણ લાવે છે, પછી જમીન ખેડે છે ને પછી વાવે છે અને પછી પાક પ્રાપ્ત કરે છે. સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ યોગ છે. એ ત્રણે પરાકાષ્ઠાના બને છે ત્યારે યોગનું ફળ કેવળજ્ઞાન, મોક્ષ પ્રાપ્ત થાય છે... આ અવધ્ય મોક્ષના બીજો છે. અવશ્ય એટલે અમોઘ-સફળ બને તેવા બીજો. જે યોગબાજોને સાધે છે તે યોગને સાધે છે. જે યોગ સાધે તેને અવશ્ય મોક્ષ હાથમાં આવે. રાત દિવસ આત્માએ પુરુષાર્થ કરવાનો છે. અને અંદરથી નિરાળા રહેવાનું છે. એક ક્ષણનો પણ પ્રમાદ કરવાનો નથી. જ્ઞાનીએ બતાવેલો કંઈને કંઈ પુરુષાર્થ કરવાનો હોય છે. ત્રણે યોગથી મોક્ષ સાધના કરવાની છે. છતાં અંદરથી નિરાળા રહેવાનું છે. પુરુષાર્થ અને ભવિતવ્યતા બે સમજાય તે વહેલો મોક્ષ પામે છે. એકલા પુરુષાર્થની પ્રધાનતા માનીએ, તો વહેલું ઠેકાણું પડે નહીં, વિલંબે ઠેકાણું પડે છે. અને “એકલી ભવિતવ્યતા જ કાર્યસાધક છે.” એવું માને તો, પણ કોઈ રીતે આગળ વધી ન શકાય, બંનેનું યોગ્ય સ્થાને આલંબન લેતાં આવડે તો જ આગળ વધી શકાય. પ્રશ્ન : ભવિતવ્યતાનું આલંબન કેવી રીતે લેવાનું? ઉત્તર : સભ્યપુરુષાર્થ કર્યા પછી નિરાશા મળતાં હતાશામાંથી બચવા માટે તેનું આલંબન જરૂરી છે. અને સમ્યગુ પુરુષાર્થની સફળતામાં પણ ભવિતવ્યતાનું આલંબન લેવાનું છે, કે, જ્ઞાનીના જ્ઞાનમાં જે જોવાયું હતું તે જ બન્યું છે. હું તો માત્ર નિમિત્ત રૂપ છું, આવું સમાધાન કરવાથી ગર્વ-અહંકાર ન આવે. આમ સફળતા મળે કે નિષ્ફળતા મળે, બન્ને વખતે ભવિતવ્યતાનું આલંબન લેવાનું છે. યોગબીજ પરંપરાએ મોક્ષનું કારણ છે. યોગબીજથી યોગ, અને યોગથી મોક્ષ... યોગબીજ પાંચ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy