SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અને કદાચ અભિપ્રાય આપવાનો વખત આવે તો સારો અભિપ્રાય આપવો પણ ખોટો તો આપવો જ નહીં. ખોટો અભિપ્રાય તે તે વ્યક્તિ ઉપર અણગમો પેદા કરે છે. અભિપ્રાય આપવા માટે બે સ્થાન છે. (૧) જડ (૨) ચેતન... જડ માટે અભિપ્રાય આપો છો ? ‘આ ગાડી બહુ સારી’, ‘આ બંગલો બહુ સારો' એમ કહો છો? અને ચેતન માટે પણ અભિપ્રાય આપો છો ? એક માણસે કોઈ એક જગ્યાએ ચોરી કરી, તમે એ વાત પચ્ચીસ જગ્યાએ કહો છો કે એણે ચોરી કરી અને તેથી એ વ્યક્તિ સામે આવે ત્યારે આપણે પૂર્વગ્રહથી જ જોઈએ છીએ, આપણે એને ચોર જ માનીએ છીએ. કદાચ વચલા ગાળામાં એ સુધરી ગયો હોય, ચોરી કરતો મટી ગયો હોય, પણ આપણે એને આ વિપરીત રૂપે જોઈએ છીએ, આપણે એ આત્માને સિદ્ધ સ્વરૂપે જોતાં જ નથી એટલે આપણે વીતરાગતાથી દૂર ખસતાં જઈએ છીએ... દૂર દૂર જઈએ છીએ. આપણે તો વીતરાગતાની જ સાધના કરવાની છે. અને વીતરાગતાની સાધના માટે મુખ્યતયા સ્વરૂપમાં રહેવાનો અભ્યાસ કરવાનો છે... કહો કે જેને માટે સારો અભિપ્રાય આપો છો તેના માટે ક્યારેય ખરાબ નહીં આપો ? ક્યારેક ખરાબ અભિપ્રાય આપી દેવાય છે. જ્ઞાનીઓએ ખરાબ અભિપ્રાયનું પ્રાયશ્ચિત કહ્યું છે. તમે પ્રાયશ્ર્ચિત કરો. તેના એક-બે ગુણો આગળ કરીને, પછી ‘એ બહુ સારો છે,' એ બહુ સારો છે' એમ કહેવું. દ્વેષથી બચવા ખોટા અભિપ્રાયથી બચો... ખોટો અભિપ્રાય એ અણગમો ઊભો કરે છે. અને અણગમો એ દ્વેષ છે. ૬૦ મનુષ્યભવમાં જેટલો પુરુષાર્થ શક્ય છે, જેટલી જાગૃતિ શક્ય છે, જેટલી સાધના શક્ય છે - એ બીજે કોઈ ઠેકાણે શક્ય નથી. માટે જેટલા ખોટા સંસ્કાર પાડીશું તેટલા આપણને તેના નુકશાન થશે... આ કુસંસ્કારો પાપના અનુબંધને ટકાવી રાખે છે. નવા નવા કર્મો બંધાવ્યા કરે છે. કર્મો એ ઉધઈ છે. તો કુસંસ્કારો એ ઉધઈની મહારાણી છે. ઉધઈને દૂર કરવા માટે તેની મહારાણીનો નાશ કરવો જોઈએ, જો ઉધઈની મહારાણી જીવતી રહી ગઈ, તો લાખો ઉધઈઓ ઉત્પન્ન થઈ જશે. એમ કુસંસ્કારો ઉધઈની મહારાણી જેવું કામ કરે છે. તેનાથી દૂર રહો... કુસંસ્કારોને તોડો. જીવો પ્રત્યેનો દ્વેષ તત્ત્વપ્રાપ્તિમાં બાધક આગળ વધવા, જીવો પ્રત્યે દ્વેષ ન જોઈએ, તેમ તત્ત્વ પ્રત્યે દ્વેષ ન જોઈએ. પણ જીવો પ્રત્યે મૈત્રી જોઈએ. દેવકાર્યમાં, ગુરુકાર્યમાં ઉત્સાહ જોઈએ, આત્માનું શુદ્ધ સ્વરૂપ એ તત્ત્વ છે. તેની રુચિ જોઈએ. તત્ત્વનો દ્વેષ નીકળી જાય, એટલે સ્વરૂપનો દ્વેષ નીકળી જાય છે. આત્માના શુદ્ધસ્વરૂપનો ઈન્કાર ન કરે, આત્માના શુદ્ધ સ્વરૂપને સાંભળે, સાંભળવામાં તત્પર થાય - એ અદ્વેષનું ફળ છે. યોગની દૃષ્ટિ, યોગ પામવા માટે છે. યોગ, મોક્ષ પામવા માટે છે. તત્ત્વના અદ્વેષ માટે જીવોનો અદ્વેષ શા માટે ? કારણ કે જીવો તત્ત્વ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે. જીવો ઉપર દ્વેષ એ પરમાત્માનો દ્વેષ છે. જીવો ઉપર દ્વેષ એ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy