SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પાપના અનુબંધ તોડવાના બે ઉપાયો ૫૯ જેઓ દેવ કાર્ય, ગુર કાર્ય કરતાં નથી સંસારના કાર્યમાં રચ્યા-પચ્યા છે ૧૮ પાપસ્થાનોમાં ચકચૂર છે... તેવા જીવોના પરિચયમાં આપણે આવીએ તો પણ આપણને તેમના પ્રત્યે લેશમાત્ર અરુચિ થવી ન જોઈએ, લેશમાત્ર દ્વેષ થવો ન જોઈએ. દૃષ્ટિનો અર્થ જ આ છે. જે આપણને ગમે તે બીજાને ન ગમે, અને જો દ્વેષ આવે, અને તે દ્વેષ પણ પાછો ટકેલો રહે, - નીકળે નહીં, તો સમજવું કે હજુ દષ્ટિ આવી નથી. આપણને જે ચીજ સારી લાગે, તે બીજાને સમજાવીએ, છતાં તે ન સ્વીકારે, તો દ્વેષ કેમ કરાય? સર્વત્ર વૈષને હટાવતા શીખો... દૂર કરતાં શીખો, શત્રુભાવને દૂર કરવાનો છે. જગતમાં વિરોધી ઘટતાં જાય, એક પણ વિરોધી ન રહે તેવી સ્થિતિ સર્જવાની છે. તમારી સાચી વાત બીજો ન સ્વીકારે અને કેષ આવે તો આપણો ધર્મ ભારેલા અગ્નિ જેવો છે. પહેલું ગુણસ્થાનક વાસ્તવિક પામવા માટે, વૈરાગ્ય અને પ્રજ્ઞાપનીયતા બંને જોઈએ. વૈરાગ્યમાં જો કષાય, અજ્ઞાન, દૂરાગ્રહ ભળે તો, તે વૈરાગ્ય મોહ ગર્ભિત કહેવાય છે. કષાય, અજ્ઞાન, દૂરાગ્રહ દૂર થતા જીવમાં પ્રજ્ઞાપનીયતા આવે છે. વેરાગ્યની સાથે પ્રજ્ઞાપનીયતા આવે ત્યારે જ જીવ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકે છે. પ્રજ્ઞાપનીયતા એટલે સુયોગ્ય વ્યક્તિ દ્વારા સાચું સમજવાની અને સ્વીકારવાની યોગ્યતા. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બનાવવા માટે અને બોધને સ્વચ્છ બનાવવા માટે પ્રજ્ઞાપનીયતા જોઈએ; પ્રામાણિકતા જોઈએ. જો એ ન આવે તો વૈરાગ્ય મોહગર્ભિત કહેવાય. ત્યાં ગુણસંપન્ન પહેલું ગુણઠાણું કે પહેલી દષ્ટિ પણ નથી. પ્રશ્ન - ઘણીવાર દ્વેષ કરવાથી સામેની વ્યક્તિ સાચી વાત સ્વીકારે છે... જવાબ - ના, એ ખોટું છે, સમજ ખોટી છે. વૈષ કરવાથી એણે સ્વીકાર્યું નથી. પણ તમારું પુણ્ય હતું માટે સ્વીકારે છે. જો કૅષ કરવાથી જ સ્વીકાર્યું હોય તો, જેટલા દ્વેષ કરે તેને સફળતા મળવી જ જોઈએ. અને આપણી સાચી વાત સામો સ્વીકારે, એવો આગ્રહ પણ ન હોવો જોઈએ. મારે મારા આત્મા માટે કરવાનું છે, મારે મારા આત્માને સાચવીને કરવાનું છે, મારે મારી પરિણતિની રક્ષા કરવાની છે. બીજા ધર્મ પામે તેના કરતાં મારે મારા આત્માના કલ્યાણ માટે, રક્ષા માટે અનંતગુણો પ્રયત્ન કરવાનો છે. બીજા આત્માને પમાડવા તો ફક્ત નિમિત્ત જ બનવાનું છે. અને બીજો જો લાયક હશે, યોગ્ય હશે, તો પામશે. પુરુષાર્થ કરવામાં ત્યાં ફળ અનેકાસ્તિક છે. એના કરતાં પોતાનામાં - જ્યાં ફળ એકાંતિક છે. ફળની નિશ્ચિતતા છે - ત્યાં જ પુરુષાર્થ કરવાનો હોય છે. આપણા આત્મા માટે પુરુષાર્થ કરશું તો નિશ્ચિત ફળ મળશે જ. પહેલા જાતને પમાડવાનું છે. પછી જગતને !! થોડો પણ કષાય-પરિણામ આત્માને બગાડે છે. ક્યારે પણ જીવો ઉપર દ્વેષ નહીં કરવાનો. જીવો પ્રત્યેના દ્વેષને અટકાવવો હોય તો, પહેલા જીવો પ્રત્યે વિપરીત અભિપ્રાય અટકાવવો જોઈએ. સારો કે ખોટો અભિપ્રાય ન આપવો એ પ્રથમ માર્ગ છે. કારણ કે અભિપ્રાય આપવો એ આત્માનું સ્વરૂપ નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy