SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ યોગદષ્ટિનાં અજવાળાં ભાગ-૨ ભરાઈ જાય, તે એક વખત ગજેન્દ્ર - મોક્ષનું નૃત્ય કરવા માટે દિલ્હીના વિશાળ હોલમાં મંચ ઉપર ઊભા થયા. મંચ ઉપર અબીલ ગુલાલ - પાથર્યું હોય, તેના ઉપર એવી રીતે નૃત્ય કરવાનું કે જેથી જેમ જેમ પગ પડતા જાય તેમ તેમ તેમાં હાથીનું ચિત્ર ઉપસી આવે. આખી સભા ભરાઈ ગઈ. નૃત્ય શરૂ થયું. હજી ૨૦-૨૫ મીનીટ થઈ હશે.. એટલામાં એક પતંગીયું ઉડતું ઉડતું આવીને મંચ ઉપર બેસી ગયું... ચોંટી ગયું. તાલ ભંગ ન થાય, નૃત્ય ભંગ ન થાય માટે, તે રીતે પતંગીયાને ઉડાડવા પ્રયત્નકરે છે પણ હઠીલું પતંગીયું ઉડતું જ નથી. તે વિચારે છે કે હવે શું કરવું ? મારે મારી કળા બતાવવી હોય, અને હાથીનું ચિત્ર ઉપસાવવું હોય તો આ પતંગીયા ઉપર પગ મૂકું તો જ બની શકે તેમ છે. દયાળુ નૃત્યકારે તે પતંગિયાને ઉડાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા પણ જ્યારે તે ન જ ઉડયું ત્યારે તે સ્ટેજના એક ભાગ ઉપર આવીને ઊભા રહી ગયા. લોકોના જોવામાં ભંગ પડયો. લોકો આશ્ચર્ય સાથે પૂછે છે, કે, કેમ નૃત્ય અટકાવી દીધું ? ત્યારે દયા જેના રોમરોમમાં પડી છે તે નૃત્યકાર કહે છે કે, આ પતંગિયાને બચાવવા, એને ઉડાડવા મેં ઘણા પ્રયત્ન કર્યો તે રીતે તાલ આપ્યા પણ જ્યારે તે ન જ ઉડયું, તો હું તેને મારીને, મારી કળા બતાવી શકું તેમ નથી. મારી કળા બીજાને જીવાડવા માટે છે, કોઈને મારવા માટે નથી. જોવામાં ભંગ પડવા છતાં લોકો તેની દયાભાવના પર મુગ્ધ બની ગયા. આર્ય સંસ્કૃતિ કહે છે કે કોઈની હિંસા કરીને કળાને બતાવવી એ કુશળતા નથી. દયાના આવા સંસ્કાર અંદરમાં પડેલા હોય તો તે મૃત્યુના સમયે ગુણાકાર બની, આવીને ઊભા રહે છે. અણીના સમયે જે ધર્મને સાચવે છે, ધર્મને ટકાવે છે, સંસારના પ્રલોભનોને ગૌણ કરે છે - તે આત્મા જ ભાવધર્મને પામી જાય છે. અણીના સમયે ધર્મ ટકાવનાર વિરલા હોય છે. પળ આવે ને ચૂકી જઈએ તો ખોટું, પ્રલોભનો સામે ટકવું મુશ્કેલ છે. આ દૃષ્ટિમાં અહિંસાદિ યમની ઇચ્છા હોય છે. ક્યારેક પ્રવૃત્તિ પણ હોય છે. હોંશ પૂર્વકની પ્રવૃત્તિ કરે છે. દેવ-ગુરુના કાર્ય-સેવા કરવામાં ખેદ નથી થતો, આનંદથી કરે છે. પાપના અનુબંધ તોડવાના બે ઉપાયો તીર્થંકર પરમાત્માની પર્યાપાસના અને સાધુની સેવા-સઘળા પાપના અનુબંધોને તોડી નાંખે છે. અનાદિના પાપના અનુબંધોને તોડી મોક્ષમાર્ગ (યોગ) પામવા માટેના આ બે ઉપાય છે. આ બે ન આવે તો ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ કરીએ, પુરુષાર્થ કરીએ તો પણ પાપના અનુબંધ ન તૂટે. એકલા ભણતરથી કંઈ ન વળે. આ બે આવે તો જ જ્ઞાન સફળ છે. આ બે ચીજને કેન્દ્રવર્તી ન બનાવો તો ઉત્થાન નથી. કોઈના પણ ઉત્થાનમાં આ બે નિમિત્ત રૂપે છે. ધર્મ આત્મામાં રહેલો જ છે. વીતરાગતા, કેવળજ્ઞાન આત્મામાં પડેલા જ છે. તેને પ્રગટ કરવા આ બંને શ્રેષ્ઠ નિમિત્તો છે. સંસારના તમામ કાર્યો પડતા મૂકીને, ગૌણ કરીને જે દેવ-ગુરુનું કાર્ય કરે છે, તે જ, આત્મા મહાન બની શકે છે. સંસારના તમામ કાર્યો કરે, પણ દેવકાર્ય, ગુરુકાર્ય આવે ત્યારે પહેલી દષ્ટિમાં રહેલ જીવ ઉત્સાહથી આગળ વધે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy