SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કળાની સુવાસ પ૭ જે દીન દુ:ખીની અનુકંપા કરનારો છે. જે જીવો ની દયા પાળનાર છે. જે જીવોની મન મૂકીને સેવા કરનારો છે. તે સતત બીજાને શાતા આપે છે. બીજાની ચિત્તપ્રસન્નતા ટકાવે છે, પ્રેમને ટકાવે છે, બીજાના પ્રેમનો નાશ કરતો નથી, તે સ્વ-કષાયોને દબાવે છે ને ગુણ પ્રાપ્તિનો અધિકારી બને છે. પ્રેમ જે માં પડેલો છે. તેનો નાશ નથી કરતો, તેના કારણે પ્રેમ જે માં વિસ્તૃત પડેલો છે તેવું સમ્યકત્વ પામી શકે છે. | દા.ત. ચક્રી ભરતે ભોગોમાં રહીને સમ્યકત્વ ટકાવી રાખ્યું છે. જે જીવો પરોપકાર કરે છે ! જે જીવો પરની સેવા કરે છે ! જે કર્મયોગ પરાકાષ્ઠાન કરે તેના હદયમાં કરૂણા કેટલી વિકસિત બનેલી હશે !!! કરૂણા પરાકાષ્ઠાએ પહોંચે તો તેને શું ગ્રન્થિ ન ભેદાય ?... જીવોનું દુઃખ એ પોતાનું દુ:ખ તરીકે દેખાતું જાય એટલે કરૂણાંશ વધે જ, કરૂણાંશ એટલે પ્રેમનો અંશ. અને કષાયો દબાતા જાય છે. આ કરૂણાંશ વધતા વધતા બ્ધિ મેદાય છે, ઓચિત્ય, પ્રેમ, વાત્સલ્યથી બધાની સાથે વર્તો, કષાય થાય તેવું કદી ન કરો. આખા ય જીવનમાં જેણે આવું કર્યું હશે તે આરંભ-સમારંભ વચ્ચે હોવા છતાં દુર્ગતિમાં ન જાય. સદ્ગતિ જ થાય તો જીવન જીવતાં આવડવું કહેવાય. બીજાને અનુકૂળ વર્તન કરે તે જ બીજાને કષાય ન કરાવી શકે. અનુકૂળ વર્તન કરે તો જ સામાને કષાય ન થાય. જે મન, વચન, કાયાનો સદુપયોગ બીજા માટે કરે છે તે શું કામ દુર્ગતિમાં જાય ? - એકવાર દ્વેષને દૂર કરતાં શીખી લો. એટલે ધર્મ પામવાની યોગ્યતા તમારામાં ઊભી થતી જાય. મનનો સદુપયોગ, વચનનો સદુપયોગ, કાયાનો સદુપયોગ, ધનનો સદુપયોગ કરતા આવડે અને દ્વેષને કાઢતાં આવડે, તો બધું આવીને ઊભું રહે. કળાની સુવાસ મિત્રા દષ્ટિમાં બોધ અલ્પ હોય છે. પણ તે અલ્પ બોધ પણ આત્માના ઘરનો છે. યોગનું અંગ “યમ”ની અહિં પ્રાપ્તિ હોય છે. યમ - અહિંસાદિ પાંચ સ્વરૂપે છે. અહિં અહિંસાનું પાલન, પ્રવૃત્તિ, સિદ્ધિ આવી જાય એવું નથી પણ અહિંસાદિ પાંચ ગમતા ન હતા, તે હવે ગમતા થઈ ગયા છે. હિંસાદિથી જગતમાં આજ સુધી કોઈનું કલ્યાણ થયું નથી. આજ સુધી મારૂં પણ પરિભ્રમણ આ હિંસાદિના કારણે જ થયું છે. તેથી અહિંસાદિ પાલન કરવાનું મન થાય છે. અને તેમાં વિદન આવે તો પણ તેમાંથી પસાર થવાનું બળ પ્રાપ્ત કરે છે. હૃદયથી અહિંસા ગમે છે. એક પ્રસિદ્ધ નૃત્યકાર ઉદયશંકર, કે જેના નામ ઉપર ઓડીયન્સ હકડેઠઠ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy