SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ એમ? ના, એવું નથી. કહેવું એ તો અજીર્ણ છે. ત્રણ પ્રકારના અજીર્ણ હોય છે. (૧) તપનું અજીર્ણ એ ક્રોધ છે. (૨) જ્ઞાનનું અજીર્ણ અહંકાર છે અને (૩) ક્રિયાનું અજીર્ણ નિંદા-તિરસ્કાર છે. હા, તેના કલ્યાણ મિત્ર બની પ્રેમથી-મીઠાશથી કહી શકો છો, પણ નિંદા-તિરસ્કાર ઠેષ તો ન જ થાય.. પ્રેમનો અંશ ખીલે તો જેમ તેમ કહી શકાય નહીં. કોઈની ભૂલ સુધારવાની જરૂર છે. ભૂલની ઉપેક્ષા પણ ન કરાય. પણ એવું Firing ન કરવું, કે તેને ઘા લાગે. કોઈ ભૂલ કરે તો યાદ કરાવવું કે નહીં ? ભૂલ કરનારાને કહેવું તો જોઈએ. ઉપેક્ષા કરશો તો નુકશાન થશે જ. લાયક આત્માની ઉપેક્ષા ન કરાય. ઉપેક્ષા કરવાનું મન કેમ થાય છે ? કારણ કે માતૃ-વાત્સલ્ય હૃદય બન્યું નથી. જીવો પ્રત્યે પ્રેમ ઉભરાવો જોઈએ તે નથી ઉભરાતો, માટે ઉપેક્ષા થાય છે. તમને પ્રેમ ઉભરાયો હશે, પ્રેમથી ભરેલા તમારા ઉદ્ગારો હશે... તો તે તમારા વચનને માનશે જ. તમારા વચનનો અનાદર તો નહીં જ કરે. ધર્મ સ્થાનમાં આવેલા ધર્મી જીવોનું કર્તવ્ય છે કે “મારા પરિચયમાં આવેલો કોઈ પણ આત્મા આગળ જ આવવો જોઈએ.” - વણમાંગી સલાહ અપાય ? ઉત્તર – કોઈ માણસ ખાડામાં પડતો હોય તો તેને અણકહે બચાવો કે તે કહે તો જ બચાવો ? તે કહે કે ન કહે તો પણ તેને પકડવો જોઈએ - બચાવવો જ જોઈએ. બધા જ નિરપેક્ષ બને તો કેમ ચાલે ? “પરસ્પરોપગ્રહો ગોવાના' આપણે કેટ-કેટલા જીવોની અને પુદ્ગલોની સહાયથી જીવીએ છીએ. બધાય દ્રવ્યોની સહાયથી આપણું જીવન છે. જેના વિના જીવી શકતા નથી તો તેને બચાવવો એ પ્રાણીમાત્રનો ધર્મ બની રહે છે. પ્રેમથી કહો, તો માનશે. બધાની વચ્ચે કહો તો કદાચ ન માને, પણ એકાંતમાં પ્રેમથી કહો તો કેમ ન માને ? આપણે બધા જ પ્રેમ વિહોણા છીએ. છતે પૈસે ભીખારી છીએ. બહારથી પુણ્યશાળી છીએ, અંદરથી પાપી છીએ. બહારથી પૈસા છે. અંદર કષાય છે - જે સ્વયં બગડેલો છે તો તે કોને સુધારશે ? બહારના કરોડ હોય કે ન હોય પણ અંદરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ હોય તો તે બીજાને સુધારી શકશે. જે તપ-ત્યાગ-સંયમ પાળી શકતો નથી. જેને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ નથી થયો, તેવો પણ આત્મા પોતાને મળેલી લક્ષ્મી, સંપત્તિ, સામગ્રીને સાત ક્ષેત્રો - આઠમું અનુકંપા, તેમાં મન મૂકીને ખર્ચે, સેવાનો ભેખ લઈને નીકળી પડે... પછી ભલે કદાચ સંસારના ભોગોને છોડી શકતો ન હોય. તો ય સમ્યક્તને પામી શકે છે. કેમ ? જે બીજાની સેવા કરનાર છે. જે છૂટે હાથે દાન દેનાર છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy