SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ દેવ કાર્ય - ગુરૂકાર્ય આદિ ધર્મક્રિયામાં ખેદ – ગ્લાનિ - અનુત્સાહ આવે નહીં.” અખેદ આવે છે. મિત્રા નામની પહેલી દૃષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ હોય છે... જેવી રીતે ખેદ નામના દોષનો ત્યાગ થાય છે તેવી જ રીતે આ દૃષ્ટિમાં જીવને અદ્વેષ નામનો ગુણ પણ પ્રાપ્ત થાય છે દેવકાર્ય, ગુરૂકાર્ય પોતે તો કરે છે પણ જેઓ દેવ કાર્ય કરતા નથી, ગુરૂકાર્ય કરતાં નથી, પણ વિપરીત કાર્યો કરતાં બીજાને જૂએ છે ત્યારે દ્વેષ, પેદા થતો નથી. દ્વેષ એટલે માત્સર્ય, ઇર્ષ્યા, અરુચિ પેદા થતી નથી. અદ્વેષ ગુણની પ્રાપ્તિ થઈ છે, હિંસા જૂઠ – ચોરી કરતાં જૂએ, કોઈને બેવચની બનતા જૂએ, બેવફા બનતા જૂએ ત્યારે પણ “માર્યવીર્થત્રીનમાવે fu' ઇર્ષ્યા, અરુચિ, દ્વેષ પેદા થાય તેવું વીર્ય અંદરમાં પડેલું જ છે. છતાં વિપરીત કાર્યો કરનારા પ્રત્યે દ્વેષ-ઇર્ષ્યાનું બીજ હોવા છતાં, તેમાંથી અંકૂરો પેદા થતો નથી કારણ કે તત્ત્વવેદીપણું પ્રાપ્ત થયું છે, ભવાભિનંદીપણું છોડ્યું છે, એટલે સામા જીવોની પરિસ્થિતિ સમજી શકે છે. પરિસ્થિતિનો વિચાર કરી શકે છે કે, એમને માર્ગ મળ્યો નથી, કષાયથી ઘેરાયેલા છે માટે તેઓ આવા પાપો કરે છે. બિચારા! શું કરે ? એ જીવો નિર્દોષ છે નિરપરાધી છે. એના કર્મો એમાં દોષિત છે. હજી ઓઘદૃષ્ટિમાં છે. યોગદષ્ટિ પામ્યા નથી. એના કર્મો આવી વિપરીત પ્રવૃત્તિ કરાવે છે. આવી વિચારણા પહેલી દષ્ટિના જીવો કરી શકે છે. ગમે તેટલા પાપીને જૂવે છતાં પહેલી દૃષ્ટિના જીવોને નિંદા કરવાનું, ટીકા કરવાનું, દ્વેષ કરવાનું મન થતું નથી. એ જીવોનો દોષ તેને દેખાતો નથી, તેથી દ્વેષાદિથી થતાં પાપોથી બચાવી લે છે. પહેલી દૃષ્ટિનો બોધ આત્માને કેટલો માર્ગે ચઢાવી દે છે, તે જોવા જેવું છે, અને તે પોતાના દેવકાર્યમાં, ગુરુકાર્યમાં એટલો બધો લીન હોય છે કે, તેને આવું બધું જોવાનો સમય જ નથી હોતો. પોતાના સદનુષ્ઠાનાદિમાં અનુરક્ત હોવાના કારણે બીજાના દોષો જોવાનો રસ જ નથી, ફુરસદ જ નથી. અને કદાચ તેવા જીવો દેખાય ત્યારે પણ કાંઈક કરૂણાંશનું જ સ્કુરણ થાય છે. દ્રષ-માત્સર્ય પેદા થતાં નથી. વીર્ય બે પ્રકારે છે. એક કરૂણાદિ સતું વીર્યનું બીજ અને બીજું દ્રષ-અસૂયાદિ અસત્ વીર્યનું બીજ. અહીં આ દૃષ્ટિમાં જીવ આવ્યો એટલે અસતું વીર્ય બીજ દબાઈ જાય છે. દોષોના બીજ હોવા છતાં દોષને પેદા થવા દેતા નથી, અંકુરા ફુટતા નથી. પણ કરૂણાદિ સતું વીર્ય સ્કુરાયમાન થાય છે. જેમ કોઈ નીરોગી-તંદુરસ્ત માણસ, કોઈ રોગી-નાદુરસ્તને દેખે તો તેને તેના પ્રત્યે દ્વેષ-ઇષ્ય ઘણા નથી થતી, બલકે દયા-કરુણા ભાવ આવે છે. તેવી જ રીતે અહીં જીવો પ્રત્યે કરૂણા આવે છે. અષ પેદા થાય છે. આ અદ્દેષ ગુણ આપણને એ સમજાવે છે કે, તમે પોતે ગમે તેટલા ધર્મક્ષેત્રે - અનુષ્ઠાનાદિમાં આગળ વધ્યા હો તો પણ અન્ય જે ધર્મહીન છે, અસત પ્રવૃત્તિમાં પ્રવર્તી રહેલા છે, તેઓ પ્રત્યે ઇર્ષ્યા - દ્રષ - નિંદા કરવાનો તમને કોઈ જ અધિકાર નથી. જો ઈર્ષા, દ્રષ-નિંદા-ટીકા કરશો તો પહેલી દષ્ટિમાંથી પણ ફેંકાઈ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy