SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિની શક્તિ ૫૩ વિશિષ્ટ આત્માને આપવી જોઈએ, ઉત્તમ આત્માઓ પોતાની પાસે જે ચીજ હોય તે પાત્રને આપવા માટે તૈયાર હોય છે. આપણી ઉત્તમ - સારી ચીજ બીજાને આપશું તો જ પરંપરા ચાલશે, પ્રવાહ ચાલશે. સુયોગ્યને આપવું એજ પોતાનું કર્તવ્ય છે, એજ શ્રેષ્ઠતા છે. અને સુયોગ્ય પાત્ર જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી આપવાની તેઓ ઉતાવળ પણ નથી કરતા, આ સંસારમાં પુણ્યના ઉદયે જે કાંઈ સારી ચીજ મળે તે સંસારમાં લાયક જીવને આપવા માટે મળી છે એવું માનો છો ? જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જ્ઞાન મળે કે લાભાંતરાયના ક્ષયોપશમથી લક્ષ્મી વિગેરે જે મળે તે સુયોગ્યને આપવું.... એવો ભાવ છે ? નયસારનો સમર્પણ ભાવ, નયસારની ભકિત વિગેરે જોઈને મહાત્માને નયસારમાં યોગ્યતા દેખાય છે. તેથી પોતાની પાસે જે છે, તે આપવાનું મન થાય છે. નયસાર માર્ગ બતાવવા જાય છે. ત્યારે મહાત્મા કહે છે, અમારે તમને કંઈ આપવું છે. તમે અમને દ્રવ્ય અટવીનો માર્ગ બતાવ્યો છે. પણ તમે આ સંસાર રૂપ ભાવ અટવીમાં ભૂલા પડેલા છો... નયસાર કહે – ભગવંત ! આપ આપના આ સાધુઓને જેમ આપના માનો છો, અને તેમને દરેક કાર્યમાં વિના સંકોચે સૂચન કરો છો, તેમ મને પણ આપનો માનીને જે કહેવા યોગ્ય હોય તે કહેવાની કૃપા કરો. ત્યાં મહાત્માએ તેને દેવ-ગુરુ-ધર્મ ઓળખાવ્યા. આત્મ-સ્વરૂપ સમજાવ્યું, મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું, સંસારનું સ્વરૂપ સમજાવ્યું.. ક્લીયર પીક્સર સમજાવ્યું... ભક્તિની શકિત દેવ-ગુરુની ભક્તિ કરતાં આવડે તો આ જગતમાં એવી કઈ ચીજ છે કે જે ન પામી શકાય ? દેવ-ગુરુ પ્રત્યે જેટલો ગાઢ સંબંધ, નિકટનો સંબંધ બંધાય તેટલો બાંધવા જેવો છે. સંસારથી માંડીને મોક્ષ સુધીની બધી જ વચલી ચીજ દેવ-ગુરુની ભક્તિથી મળી શકે છે. દેવ-ગુરુ સિવાય વીતરાગી રસ બંધાય તેમ નથી. શ્રાવકને પત્ની સાથે જેટલો સંબંધ હોય તેનાથી વધુ ગાઢ સંબંધ ગુરુ સાથે હોય... પત્નીને કિંમતી ચીજોથી સજે, લાખોના કિંમતી અલંકારોથી સજે પણ પત્નીને ટી.બી., કેન્સર થાય ને દવા ન કરે તો તે કેવો કહેવાય? તેમ સાધુને રોજ વંદનાદિ કરે પણ સાધુ માંદા થાય ત્યારે સેવા ન કરે, કાળજી ન રાખે તો કેવો કહેવાય ? આ દૃષ્ટિમાં દેવ-ગુરુ સંબંધી કાર્ય ઉપસ્થિત થાય ત્યારે ખેદ ન થાય પણ પ્રસન્નતા જ હોય. આનંદ જ આવે. જેમ સંસારરસિક – ભવાભિનંદી જીવોને માથું દુખે, શરીરમાં રોગ હોય છતાં તેને ભોગ આપો તો તે ઉત્સાહિત થાય છે. માથાના દુખાવાને, રોગોને અવગણીને ભોગોને ભોગવે છે. તેમ આ દષ્ટિમાં આવેલ જીવ દેવ-ગુરુનું કાર્ય ઉલ્લાસથી કરે, મન મૂકીને કરે. વીર્યનું સમ્યગ પ્રવર્તન સંસારનો રસ તીવ્ર બને એટલે જીવની રૂચિ કષાયમય બને છે. અને તે જીવને અઢાર પાપ સ્થાનક તરફ લઈ જાય છે. એટલે સંસારની રૂચિ ઘટે, સંસારનો રસ ઘટે તો ધર્મમાં રુચિ ઉત્પન્ન થાય. સ્વરૂપરુચિ - મોક્ષદષ્ટિ ખુલી હોવાના કારણે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy