SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ યોગદષ્ટિના અજવાળાં : ભાગ-૨ પણ દિલથી કરે છે. સમજે છે કે મારા આત્માના કલ્યાણ માટે આ જગતમાં દેવ અને ગુરુ જ સમર્થ છે, એટલે ઉત્સાહથી, આનંદથી, ચિત્ત પરોવીને, રુચિપૂર્વક કરે છે. જ્યારે જ્યારે દેવ-ગુરુના કાર્ય ઉપસ્થિત થાય ત્યારે આનંદ, લાગણી, સંતોષ અને વેગ પેદા થાય છે. ને સામે ચાલીને એ કાર્ય કરે, અને કોઈ તેને કહે તો ય તે કાર્ય ઉત્સાહથી કરે. સાધુની સેવા કરે, વિનય – વૈયાવચ્ચ કરે, ગોચરી-પાણી વિ. જરૂરીયાતો પુરી પાડે. ત્યારે તેમાં તેને આનંદ આવે છે. એટલે નિકટના કાળમાં આગળ વધી જશે. જૂઓ નયસાર... અટવીમાં ગયેલા છે. ગામના મુખી છે. એકલા નથી ગયા. રસાલા સાથે ગયેલા છે. રાજાના કામ માટે - ઇમારતી લાકડા લેવા માટે ગયા છે. મધ્યાહ્ન સમય થયો. ભોજન તૈયાર થઈ ગયું છે. ભોજનના સમયે તેને અતિથિ યાદ આવે છે. જો કોઈ અતિથિ મળી જાય તો તેને જમાડીને હું જમું. આ ભાવના માત્ર કરીને બેસી રહેતા નથી. એની ભાવના હૃદયસ્પર્શી હતી. તમને કોઈ દિવસ જમતાં પહેલાં કોઈને જમાડવાનું મન થાય છે ? કે જમા જ કરવાનું મન થાય છે ! જગતમાં જીવો ભિન્ન ભિન્ન વૃત્તિ – પ્રવૃત્તિવાળા હોય છે. કોઈકે કહ્યું છે કે (૧) જે જમે છે તે જસલોકમાં જાય છે. (૨) જે જમા કરે છે, તે જમલોકમાં જાય છે અને (૩) જે જમાડે છે તે જગદીશ્વરને મેળવે છે. (૧) જે જમે છે એટલે એનો અર્થ એ છે કે મને મળેલું હું જ ભોગવું. હું ખાઉં... એને ખાવા-પીવામાં જ આનંદ છે. એવો માણસ જ્યાં ને ત્યાં, જ્યારે-ત્યારે, જેવી તેવી, જે - તે ચીજ ખા-ખા કરે છે તેને મુંબઈમાં “જસલોક” હોસ્પીટલમાં જવું પડે છે. (૨) જે જમા કરે છે એટલે પોતાને મળેલી ચીજોનો પોતે ઉપભોગ પણ નથી કરી શકતો અને ભેગું જ કરે છે. પરોપકારાદિ કાર્યોમાં વાપરતો નથી. તે જમલોક (યમલોકોમાં જાય છે. મમ્મણની જેમ દુર્ગતિમાં જાય છે. (૩) જે જમાડે છે, તે જગદીશ્વરને મેળવે છે, એટલે પોતાને મળેલી ચીજોનો સદુપયોગ કરે છે. સત્પાત્રમાં અર્પણ કરે છે. પરાર્થમાં વાપરે છે. તે ઉત્તરોત્તર આગળ વધી આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે. - અહીં નયસારને ભોજન કરતાં પહેલાં અતિથિને ભોજન કરાવવાની ભાવના થાય છે. જગતમાં જ્ઞાન કરતાં ભાવના બળવાન છે. “ભાવના ભવનાશિની” છે. જ્ઞાન ગમે તેટલું હોય પણ ભાવના ન હોય તો શું કરવાનું? જ્ઞાનનું કાર્ય સારું-ખોટું સમજાવવાનું છે. જ્ઞાનનું કાર્ય આ કરવા જેવું, આ ન કરવા જેવું એમ સમજાવવાનું છે. પણ જો રુચિ પેદા ન થાય, ભાવના ન થાય તે જ્ઞાન શું કામનું ? આજ સુધી અહિત કર્યું છે, તે અશુભ ભાવનાના બળે જ... ને હિત સાધ્યું છે તે શુભભાવનાના બળે જ... શુભ ભાવનાથી આગળ વધી શક્યા છીએ. શુભ ભાવનાથી સતત આત્માને ભાવિત રાખવાનો છે. તે તે પ્રસંગે, તે તે પ્રકારની ભાવનાથી ભાવિત કરવાનો છે." Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy