SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી દષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ ૪૯ પાયથાગોરસનો આત્મા તડબૂચમાં પણ જીવ જુવે છે. જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ અને અહિંસાભાવ આમ ઠેઠ એકેન્દ્રિય સુધી તેનામાં વ્યાપેલો હતો. જયણાનો પરિણામ હોય તો અલ્પ કર્મબંધ થાય હિંસા-અહિંસાના સ્વરૂપને જે સમજે છે તેની દરેક પ્રવૃત્તિ, યતના પૂર્વકની હોય છે. જીવોની જયણા પાળવાનો ખ્યાલ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી, આત્મા તે તે દષ્ટિમાં, તે તે ગુણસ્થાનમાં આગળ વધી શકતો નથી. સર્વત્ર જીવોને ખ્યાલમાં રાખીને પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉપયોગ વિનાની પ્રવૃત્તિ બધી જ ભલે સારી હોય તો પણ મામુલી પુણ્ય બંધાવે. કાળજી વિનાની પ્રવૃત્તિથી અલ્પ પુણ્યબંધ થાય. સર્વત્ર યતના બહુ જરૂરી છે. યતના એટલે દોષથી અને પાપથી બચવાની ઇચ્છા અર્થાત્ ઓછામાં ઓછું પાપ કેવી રીતે લાગે ? વધુ પાપ ન લાગે. તેની સતત જાગૃતિ હોય છે. તેથી શ્રાવક પણ બધી જ પ્રવૃત્તિ કરવા છતાં “અપ્પોસિ હોઈ બંધા” બને છે. તે જયણાના કારણે જ છે. જયણાનો પરિણામ એટલે પાપ-દોષ-હિંસા આદિથી બચવાનો પરિણામ. તે કર્મનિર્જરા કરાવે છે. પુણયબંધ કરાવે છે. પાપબંધ અલ્પ કરાવે છે, સગતિ પ્રાપ્ત કરાવે છે. જીવન વ્યવહારમાં અલ્પમાં અલ્પ દોષથી આગળ વધવું જોઈએ. યોગની દૃષ્ટિ આત્માના આંતરિક ભાવ ઉપર નિર્ભર છે. કઠોર હદય, માર્ગને પામી ન શકે. કાળમીંઢ પત્થર જેવું હૃદય જ્યારે પીગળે ત્યારે તે માર્ગને પામી શકે છે, ભવનો ભય અચરમાવર્તમાં હોતો નથી. ત્યાં નિઃશંકપણે હિંસાદિ પ્રવૃત્તિ હોય છે, ચરમાવર્તમાં ભવનો ભય પેદા થયા પછી જ અંદરની કઠોર પરિણતિ ભેદાવા માંડે છે. કઠોર પરિણતિ ભેદાયા વિના જીવ વાસ્તવિક પુણ્યકર્મ કરી શકતો નથી. શ્રાવિકા - રસોઈ કરતાં પહેલા ચૂલો, બર્નલ પુંજણીથી સાફ કરે છે. પંજણીથી પુંજીને સળગાવે. દરેક પ્રવૃત્તિમાં પુંજવાનું - પ્રાર્જવાનું કરે. જીવોની જયણા કરે એટલે આત્મા યોગની દૃષ્ટિને પામ્યો કહેવાય - તે અલ્પકર્મબંધ કરે. અહીં અહિંસાદિની ઇચ્છા તીવ્ર બને, તાલાવેલી જાગે. એટલે અવશ્ય અહિંસાદિની પ્રવૃત્તિ કરાવે છે. યોગનું અંગ અહીં પ્રાપ્ત કરે છે. તે રીતે સત્ય, અચોર્ય આદિમાં પણ પહેલા ઇચ્છા પેદા થાય છે, પહેલા ઇચ્છમાં ધર્મ આવે છે, અને એ પ્રબળ ઇચ્છા પ્રતિપક્ષી દોષોની નિવૃત્તિ કરાવે છે. અને પ્રવૃત્તિમાં આગળ વધારે છે. પહેલી દષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ આ દૃષ્ટિમાં ખેદ નામનો દોષ ટળી જાય છે. ખેદ એટલે કંટાળો, થાક, અનુત્સાહ. તે અહીં નીકળી જાય છે. દેવના કાર્યમાં અને ગુરુના કાર્ય કરવાના સમયે ખેદ-કંટાળો ન આવે એટલે કે અત્યાર સુધી દેવ-ગુરુના કાર્ય જેમ તેમ કરતો હતો, વેઠ વાળતો હતો. ઉત્સાહ રહિત કરતો હતો. તે હવે આ દૃષ્ટિમાં આવ્યો. એટલે ઇષ્ટ દેવ, દેવાધિદેવ - પરમાત્માના કાર્ય - વંદન - પૂજન - દર્શન, સન્માન કે તેવા બીજા કોઈ પણ કાર્ય કરવાના હોય ત્યારે તેમાં તેને ખેદ નથી થતો પણ ઉત્સાહ થાય છે. તેવી રીતે ગુરુના કાર્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy