SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ ઉપેક્ષાવાળો, દોષની પ્રશંસા કરનારો ન નભે... મારે તમને પહેલી દષ્ટિમાં નાંખવા છે. તમને સૌને પહેલી દષ્ટિમાં લાવીને મૂકવા છે. પાયથાગોરસની અહિંસા; ભાવનાની મહત્તા પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજા યોગની આઠ દૃષ્ટિઓ સમજાવી રહ્યા છે. તેમાં પહેલી મિત્રા દૃષ્ટિનો બોધ અત્યંત મંદ છે. વિશિષ્ટ બોધ ભલે નથી. પણ એ બોધ આત્માના ઘરનો છે. અત્યાર સુધી જીવની પુગલમય દૃષ્ટિ હતી. વિષય - કષાયમય દષ્ટિ હતી. હવે યોગદષ્ટિ પ્રાપ્ત થઈ છે. અહીં પહેલી દષ્ટિમાં યોગનું અંગ -- યમ હોય છે. અહિંસાદિ પાંચ યમ છે. અહીં યમની ઇચ્છા થાય છે. યમમાં પ્રવૃત્તિ થાય છે. યમમાં આગળ વધે છે. પાંચમ - (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ છે. તે દરેક ઇચ્છાદિ ૪ પ્રકારે છે. અત્યાર સુધી અનંતાનુબંધીનો કષાય તીવ્ર હતો, અનાદિ અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કાળનો પરિપાક થયો ન હતો, એટલે આજ સુધી હિંસાદિ પાપોમાં રસ હતો, રચ્યો - પચ્યો રહેતો હતો, પાપ હોંશે હોંશે કરતો હતો. તેને હવે આત્માની શ્રદ્ધા પેદા થઈ છે, “આત્મા પરલોક અનુયાયી છે, આત્માનો મોક્ષ થાય છે.” આવી શ્રદ્ધા થવાના કારણે હિંસાદિ મારું સ્વરૂપ નથી. કોઈને દુઃખ – પીડા આપવી એ હિંસા છે. બીજાને દુ:ખ આપીને સુખ મેળવવું અને એ સુખ ઉપર જીવવું એ વાહિયાત વાત લાગે છે. હવે અહીં હિંસાની પ્રતિપક્ષી અહિંસાદિ ગમે છે, રુચિ થઈ છે. અહિંસા ગમી એટલે આગળ વધે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળની આ એક વાત છે. પાયથાગોરસ નામનો એક માણસ ગ્રીસ દેશમાં થઈ ગયો. તે ગણિતશાસ્ત્રનો વિદ્વાન હતો. પ્રભુ મહાવીરના સમકાલીન હોવાથી, મહાવીરના સિદ્ધાંતો ત્યાં પણ તેને જાણવા મળ્યા હશે, એમાં એને અહિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાયું હશે. એને કારણે એને અહિંસા ખૂબ ગમી ગઈ. જીવો પ્રત્યેની દયા તેના રોમરોમમાં વ્યાપક બની હતી, એકવાર એ ઘરેથી બહાર નીકળ્યો છે. બજારમાં ગયો. ત્યાં એક તડબૂચની લારીવાળો હતો. તે તડબૂચની ચીરીઓ કાપીને આપે છે. જૂઓ આ કેવું સુંદર છે ? જુઓ કેવું લાલ લાલ છે ? કેવું મીઠું છે. ખાઈને ખાત્રી કરો. નહીં તો લ્યો આ ચપ્પ... ગમે તે તડબૂચ જાતે કાપીને જોઈ લો... ગમે તે લઈ લો... એમ કહી તેણે પાયથાગોરસના હાથમાં ચપ્પ આપ્યું... પણ પાયથાગોરસ તેને કાપી શકતો નથી. તેના હાથમાંથી ચપ્પ નીચે પડી ગયું. એ વિચારે છે – ઓહ! પ્રભુ મહાવીર આમાં તો જીવ બતાવે છે..... આ જીવને હું કાણું? આમાં રહેલ જીવ મરીને મારા રાજાની રાણીના પેટે કદાચ જન્મ લે તો ! અને ગ્રીસદેશના લોકો પોતાના રાજાને ભગવાન માને છે, તો શું મારે ભાવિ રાજાને એટલે કે ભગવાનને મારવાનો ? એને હું કેમ મારી શકું? આ તડબૂચને કાપતાં હું મારા ભાવિ રાજાને મારનાર પણ બનું ! આમ વિચારતા ચપ્પ નીચે પડી જાય છે. આમ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy