SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ પણ ક્યારે યોગદષ્ટિ ગુમાવે ? ૪૭ - erty office)ની રૂમ છે. ત્યાં તપાસ કરજો. તમારો બધો સામાન ત્યાંથી તમને મળી જશે. અને તેને બધો સામાન મળી ગયો. છતાં ત્યાં દષ્ટિ નથી, કેમ ? આટલી બધી પ્રામાણિકતા છે, પણ સાથે આત્મા ગમી જાય તો પહેલી દષ્ટિમાં એને મૂકી દે છે. નીતિ આવે તો પહેલી દૃષ્ટિ આવે એવું નથી. ચારિત્ર આવે તો પણ પહેલી દષ્ટિ આવે એવું નથી પણ અનીતિથી આત્મા બગડે છે, અનીતિથી આત્મા મલિન થાય છે એવી શ્રદ્ધા હોય તો નીતિ ગમી કહેવાય. એક માણસ છે - નીતિ ગમે છે પણ પાળી શકતો નથી. બીજો માણસ છે – નીતિ પાળે છે પણ આત્મા નથી ગમતો, બેમાં કોણ ચઢે ? આજના બધા જ બજારો અનીતિના ધામ જેવા છે. કારખાનાઓ ચલાવે છે, જે લુસ ચલાવે છે, તે બધા ચોરી કરે છે. ઘણી ઘણી જાતની ચોરી કરે છે પણ પહેલી ચોરી પાવરની કરે છે. ઇલેક્ટ્રીસીટીનું બીલ માનો પશ્ચીશ હજારનું આવ્યું.... તો પહેલા પેલાના ખીસામાં પાંચ હજાર દબાવી દે.. એટલે પેલો સીધું પાંચ હજારનું બીલ બનાવી દે.. એટલે ૫૦૦૦+૫૦૦૦=૧૦,૦૦૦માં પતી ગયું... સીધો ૧૫,૦૦૦નો ફાયદો... સાધુ પણ ક્યારે યોગદષ્ટિ ગુમાવે ? જેને આત્મા - પરલોક સતત દેખાય તો તે યોગદષ્ટિને ગુમાવતો નથી. સાધુ પણ - સાધુ થયા પછી પણ, કોઈપણ કારણ પ્રસંગે પોતાને કરવા યોગ્ય બધા કામો નોકરચાકર પાસે કરાવે, ગૃહસ્થ પાસે આધાકર્માદિ કરાવે, આરંભ - સમારંભ કરાવે તે વખતે તેના હૈયામાં થડકારો ન હોય, હાયકારો ન હોય, ધૃણા કે અફસોસ ન હોય, ખેદ કે દુઃખ ન હોય તો તે સાધુ પણ પહેલી દષ્ટિ ગુમાવે છે. જ્યાં હિંસા કર્તવ્ય લાગે,હિંસા અકર્તવ્ય ન લાગે, તો યોગની પહેલી દષ્ટિ ટકી શકતી નથી. શ્રાવિકા છે – દિવાળી આવી. ઘરમાં સાફ - સુફી કરે, કચરા-પોતા કરે તે વખતે અંદરમાં જીવોની દયા ન હોય, જીવોનો વિચાર ન હોય, હિંસાનો પણ વિચાર નથી, અને અહિંસાની ઉપેક્ષા છે. આવી રીતે હિંસામાં જો આડી - અવળી રીતે પણ કર્તવ્ય બુદ્ધિ પેસી ગઈ તો યોગની પહેલી દૃષ્ટિ રહી ન શકે. જ્યા અંશે પણ પાપનો ખટક નથી ત્યાં યોગની દષ્ટિ નથી. જ્યાં સુખની આસક્તિ લેશથી પણ ઘટી હોય તો એને એ પાપની અંશે પણ ખટક હોય જ. તો જ યોગની પહેલી દષ્ટિ આવે છે. સંસારમાં ૧૮ પાપ સ્થાનકોમાં કયા પાપો કર્તવ્ય માનીને કરો છો ? ક્યા કયા પાપ રાજી થઈને કરો છો ? ક્યા પાપની પ્રશંસા કરો છો? કદાચ હિંસાદિમાં પ્રવૃત્તિ ચાલુ હોય. કદાચ અહિંસાદિની પ્રવૃત્તિ ન હોય પણ પાપ કર્યા પછી પશ્ચાત્તાપ તો હોવો જ જોઈએ... પાપ હૃદયથી ખટકે છે? કર્મનો ઉદય ભલે પ્રવૃત્તિ કરાવે.પણ કર્યા પછી માથું પટકવાનું મન થાય છે? જાત નિંદનીય લાગે છે ? સંસારમાં કરવા પડતાં તે તે પાપો પ્રત્યે જો અંતરમાં દુઃખ છે, અફસોસ છે, તો તે આત્મા “યમ'માં આવ્યો છે. દષ્ટિમાં છે. જૈન શાસનમાં હજી પાપી નભે છે, પણ પાપને સારું માનનારો નભતો નથી. કપણ નભે છે, પણ કૃપણતાને સારી માનનારો ન નભે... દોષવાન નભે, પણ દોષની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy