SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ ન કરતાં ઘાસ ખાતા થઈ ગયા છે. હિંસા ભૂલી જતાં, કોમલ હૃદયના બની જતાં, જેથી હરણ-સસલાને શિયાળ જેવાં પ્રાણી નિર્ભય રીતે ત્યાં આવતા. અને સાથે બેસતાં.... જેમ પરમાત્માના સાન્નિધ્યમાં વાઘ અને બકરી, સર્પ અને નોળીયો સાથે બેસતાં, તેમ અહીં આ મુનિવરની પાસે પણ પશુઓ જાતિવેરને ભૂલીને મિત્રની જેમ સાથે બેસતા. ઇચ્છા, પ્રવૃત્તિ, વૈર્ય રૂપ ત્રણ સ્ટેજ પછી સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય? સિદ્ધિ રૂપ પાંચે યમ ક્યારે પ્રાપ્ત થાય ? કે જ્યારે આત્મા પુલમાંથી નીકળીને સ્વઘરમાં રહેતાં શીખે, જ્યારે આત્મસ્વરૂપમાં રમણતાં કરતો થાય ત્યારે ગુણોની વાસ્તવિક સિદ્ધિ થાય છે. અને એ બીજા જીવોમાં અહિંસાદિનો વિનિયોગ કરી શકે છે. આવી ટોચકક્ષાની સિદ્ધિ આવે એટલે સામી વ્યક્તિમાં રહેલા વૈરભાવ શાંત થઈ જાય-વૈરભાવ ભૂલી જાય. મૈત્રીભાવ પ્રગટ થાય. આપણી પાસે આવનારા, આપણા પરિચયમાં આવનારા શાંત થવા જોઈએ. તમારી પાસે આવનારનો ગુસ્સો ડબલ થાય છે કે ઘટે છે ? જો આવનારનો ગુસ્સો શાંત નથી થતો, બબ્બે ગુસ્સો ડબલ થાય તો સિદ્ધિ થઈ નથી. અને તે પોતે સ્વયં કષાયમાં રમે છે. પોતે જ અંદરથી કષાયમાં છે, નહીંતર આવનારનો ગુસ્સો શાંત થઈ જ જાય... બળભદ્ર મુનિએ અહિંસાની સિદ્ધિ કરી છે. ઘણી ઘણી સાધના પછીની આ વાત છે. અહીં તો યોગની પહેલી દષ્ટિની વાત કરે છે. હિંસાથી આત્મા માલિન થાય છે. અહિંસાથી આત્મા નિર્મળ થાય છે. આ વાત ગમે તો યોગની દષ્ટિ છે. જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહથી આત્મા મલિન થાય છે. અહિંસાદિથી આત્મા શુદ્ધ થાય છે. પણ જગતમાં અહિંસા પાળીએ તો ક્રેડીટ વધે છે અને હિંસા કરીએ તો ક્રેડીટ ઘટે છે. તેવી રીતે સાચું બોલીએ તો ક્રેડીટ વધે છે અને જૂઠ બોલીએ તો ક્રેડીટ ઘટે છે. આવી રીતે પ્રસિદ્ધિ કે આબરૂના માધ્યમથી જો નીતિ વિ. સદાચારોનું પાલન થતું હોય તો તે વાસ્તવિક ધર્મ નથી. યોગદષ્ટિ નથી. આત્મકલ્યાણની રુચિથી યોગદષ્ટિમાં પ્રવેશ થાય છે. આજે, નીતિમાં પરદેશીઓ ચઢીયાતા છે. જ્યાં ત્યાં એમના વખાણ કરો છો. જ્યારે ત્યારે પરદેશીઓના દષ્ટાંતો લાવતાં અને એમના જ વખાણ કરતાં આપણા મોઢા સુકાતા નથી. પણ તેમાં પહેલી દૃષ્ટિ આવી છે ખરી ? તે તો તપાસો. પ્રામાણિકતા ગમે તેટલી ઊંચી હોય પણ સાથે આત્મા ગમે છે ? આત્મતત્વની શ્રદ્ધા છે ? આત્મા ગમી જાય તો દૃષ્ટિમાં આવે છે. મોટામાં મોટો ફિલ્મ પ્રોડ્યુસર રામાનંદ સાગર એકવાર જાપાન ગયો. તેની પાસે બે બેગ છે. ટ્રેઇનમાં મુસાફરી કરતા એક બેગ ઉપર મૂકે છે, એક પોતાની પાસે રાખે છે. સ્ટેશન આવ્યું અને તે ઉતરી ગયો... પણ ભૂલમાં ઉપર મૂકેલી બેગ ટ્રેઇનમાં ભૂલી ગયો... ગાડી ઉપડી ગઈ....ને ખ્યાલ આવ્યો કે અરે ! બેગ તો ટ્રેઇનમાં જ ભૂલી ગયો, હવે શું થશે ? એમાં મારા ઘણા જ કામના કાગળો હતાં.. પ્લેટફોર્મ પર આમતેમ ફરે છે. શું કરવું ? તેની ચિંતામાં છે. ત્યાં, તેને કોઈએ કહ્યું. આ ગાડી આગળ જઈને છેલ્લા સ્ટેશને ખાલી થઈ જાય છે. ત્યાં L.P0. (Lost prop Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy