SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિ પછી વિનિયોગ સૂની વાત નથી. ઇચ્છા જ પ્રવૃત્તિને ખેંચી લાવે છે. જેને હૃદયથી અહિંસા, સત્ય ગમી જાય છે ત્યારે તે વ્યક્તિ જ્યારે જ્યારે અહિંસાદિની પ્રવૃત્તિની તક મળે ત્યારે તે એને છોડે ? ન જ છોડે. જગતમાં પ્રવૃત્તિ તેની જ થાય કે જેની ઇચ્છા હોય... “રુચિ અનુયાયી વીર્ય” જે જેની સાચી ઇચ્છા કરે છે તે, તે વસ્તુ પામવાને યોગ્ય બને છે. આત્મ ગુણોની આવી સાચી ઇચ્છા થાય એટલે સંસારસુખની ઇચ્છામાં ઘસારો પડે જ, અને તોજ અહિંસાદિની ઇચ્છા વાસ્તવિક ગણાય અને સંસારની ઇચ્છામાં ઘસારો પડે એટલે આસક્તિ પણ ઘટે જ, એ નિશ્ચિત છે. સાચી ઇચ્છામાંથી પ્રવૃત્તિ જન્મે છે. પ્રવૃત્તિ કરતાં કરતાં ધૈર્ય આવે છે એટલે એ પ્રવૃત્તિની બાધક ચિંતા નીકળી જાય છે અને અંતે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહિંસા ગમવી એટલે હિંસા પ્રત્યે અરૂચિ, ધૃણા, તિરસ્કાર પેદા થવો, આ ધૃણા પણ વૈષયિક સુખોની આસક્તિ ઉતરે ત્યારે થાય છે એટલે સંસારમાં થતાં હિંસામય આરંભ-સંમારંભમાં એને અણગમો હોય છે. એનું દિલ દુ:ખી હોય, વ્યથિત હોય... દુ:ખનું કારણ છે પાપ, પાપનું કારણ સુખ છે. વૈષયિક સુખને કૃત્રિમ સુખ સમજો અને એની આસક્તિ છોડો. તો જીવનમાં આગળ વધી શકશો. હિંસા, જૂઠ, ચોરીને પાપ માનનારા આ જગતમાં ઘણા છે પણ મૈથુન અને પરિગ્રહને પાપ માનનારા આ જગતમાં કોક વિરલા છે. આ જગતમાં જેને મૈથુન અને પરિગ્રહની જરૂર છે, તેને હિંસા, જૂઠ ચોરી કરવા પડે છે. તો કોણ ખરાબ ? હિંસા, જૂઠ, ચોરી, ખરાબ કે જેના કારણે એટલે કે મૈથુન - પરિગ્રહના કારણે – અર્થ અને કામના કારણે - ધન અને ભોગના કારણે જે હિંસા - જૂઠ, ચોરી કરવા પડે છે, તે (મૈથુનપરિગ્રહ) ખરાબ ? હિંસા-જૂઠ અને ચોરી ઉભા છે - આ બે પાપ ઉપર એટલે મૈથુન પરિગ્રહ ઉપર. જેને આ બે પાપ, પાપ તરીકે સમજાઈ ગયા તે ધર્મ પામ્યો છે. જેમ જેમ અહિંસાદિની ઇચ્છા બળવાન બને છે તેમ તેમ પ્રવૃત્તિ સુંદર બને છે. અને પ્રવૃત્તિ જેમ સુંદર બને તેમ ઉપયોગ અહિંસામય બને છે. અને ઉપયોગ જેમ જેમ અહિંસામય બનતો જાય તેમ તેમ અંતે સ્વૈર્ય પ્રાપ્ત થાય... ધૈર્ય આવે એટલે એમાંથી અહિંસાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહિંસા સ્વભાવસ્થ બને છે. અહિંસા સહજ બને છે. અહિંસા આત્મસાતુ બને છે. એટલે કે અહિંસાનો વિચાર, વિકલ્પ કરવો પડતો નથી. એટલે ત્યાં હિંસાથી પાપ કર્મ બંધાય છે, દુર્ગતિમાં જવું પડે છે, એવા ભયના વિકલ્પથી અથવા તો શાસ્ત્રોમાં હિંસા નિષિદ્ધ છે એવા વિકલ્પપૂર્વક અહિં અહિંસાનું પાલન નથી. પણ સહજ અહિંસાના ભાવ હોય છે. તે વખતે સહજ અહિંસાની પ્રવૃત્તિ થઈ જાય છે તે સિદ્ધિરૂપ અહિંસા છે, અને તે સિદ્ધિ એ અહિંસાની ઉત્કૃષ્ટ કક્ષા છે. સિદ્ધિ પછી વિનિયોગ દા.ત. બળભદ્ર મુનિ - જેમણે અહિંસાની સિદ્ધિ કરી છે. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી દીક્ષા લીધી છે. ઉચ્ચ કોટિના સંયમનું પાલન કર્યું છે. અહિંસાને આત્મસાત્ કરી છે. તેથી તેઓ જે જંગલમાં રહેતાં ત્યાં વાઘ-સિંહ જેવા ક્રૂર પ્રાણીઓ પણ માંસાહાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy