SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસુખ્રિસ્તની ક્ષમા નથી. એટલે સંસારીને આસક્તિ સતાવે એ બને, પણ અંદરમાં સતાવે છે તે વાત ઉપર ઢાંક-પીછોડો કરી, માયા-પ્રપંચ કરીને ધર્મીપણાનો દેખાવ કરો છો.... ત્યાં કઈ રીતે ધર્મ હોઈ શકે ? કમમાં કમ અમારી પાસે તો સીધા ચાલો ! અમારી પાસે તો એકરાર કરો! આવી વાતો ભલે બધે નથી કહેવાની, પરંતુ તમારી જાતને ક્યાંક ખુલ્લી કરો. જ્યારથી સુયોગ્ય સ્થાને જાતને ખુલ્લી કરવા માંડશો ત્યારથી પાપ ગભરાવા માંડશે. ભવભ્રમણ વધારે છે માટે જ પાપને ઢાંકવાનું મન થાય છે. જે પાપભીરૂ હશે, જે સરળ હશે તે સુયોગ્ય સ્થાને એકરાર કરશે, તે મરતાં મરતાં પણ સુધરી જશે. યોગની પહેલી દૃષ્ટિમાં આવી જશે. થોડો પણ નક્કર ધર્મ તમને એ પહેલી યોગની દૃષ્ટિ આપીને રહેશે. દેવ-ગુરુ-ધર્મની છાયા હોવા છતાં, દેવ-ગુરૂ ધર્મની પડખે રહેવા છતાં પણ વૈષયિક સુખ માટે ભયંકર પાપો કરીને, પાછા એને ઢાંકવાના પ્રયત્ન કરશો ? ક્યાંય ખુલ્લા કરવા નથી ? કોઈ સુયોગ્યસ્થાને પણ કહેવા નથી ? તો તેનો ઉદ્ધાર ખરો ? તેનો ઉદ્ધાર કઇ રીતે શક્ય બની શકે ? જ્યાં સુધી હૃદયમાં પાપભીરુતા અને સરળતા ન આવે ત્યાં સુધી આ કષાયનો ઉપશમ દેખાવનો, ગુણો પણ દેખાવનાં અને મુક્તિનો અષ પણ દેખાવનો, કેમકે સંસારનું બીજ અંદરમાં જેવું છે, તેવું ને તેવું જ પડેલું છે. જ્ઞાનીઓ જે સુખને ખરાબ કહે છે, તે સુખ મને કેમ પ્રિય લાગે છે ? જ્ઞાનીઓ જે સુખ-ભોગમાં સંસારનું પરિભ્રમણ બતાવે છે તે મને કેમ ગમે છે ? આવું સંવેદન મનમાં ચાલે છે? આવું ઘમસાણ મનમાં ચાલે છે ? રાત્રે કોઈ દિવસ તમારી ઊંઘ હરામ બની છે? ભવભય વિનાના આ બધા ગુણો નકામા અહિંસાદિ ગુણો ભવભય વિના આત્મકલ્યાણ કરી શકતા નથી. જેને ભવભય લાગે તેના અહિંસાદિ ગુણો વાસ્તવિક છે. ઇસુખ્રિસ્તની ક્ષમા ઈસુ ખ્રિસ્તે તેના જીવનમાં ક્ષમા કરી છે. તે ક્ષમાને શેમાં મૂકશો? તેને હદયથી ગુણો ગમ્યા છે. અને એ સ્વાર્થ વિનાના ગુણો છે. જેને ઇહલોકિક કે પારલૌકિક સ્વાર્થ વિના ગુણ ગયા છે તે બધા જ મોક્ષમાર્ગના પહેલા પગથીએ આવેલા છે. અને એ ગુણો આત્માના છે પણ પુલના નથી. વળી એ ગુણો એને હૃદયથી ગમ્યા છે એવું શાથી કહી શકાય? તો ઈસુને કોઈ પૂછે છે કે મારા શત્રુએ મને સાત સાત વાર હેરાન કર્યો. મેં સાત વાર તેને માફી આપી... છતાં હજી કનડગત કર્યા જ કરે છે. હવે શું કરું? ક્યાં સુધી મારે માફી આપવી ? તો કહે છે - સાત વાર નહીં, પણ ૭X૧૦= ૭૦ વાર માફી આપ. ૭૦૦ વાર માફી આપ. એટલે કે તારો સ્વભાવ તો ક્ષમા આપવાનો જ છે. તારો પોતાનો સ્વભાવ કોઈને કનડગત કરવાનો નથી જ. આ શું બતાવી રહ્યા છે ? આને જ હૃદયથી ક્ષમા ગુણ ગમ્યો કહેવાય. હૃદયસ્પર્શી ગુણોની ઇચ્છા એજ આત્માની ઇચ્છા છે. ઇસુને જ્યારે ક્રોસ - ફાંસી ઉપર ચઢાવવામાં આવ્યા ત્યારે તેના આ ઉદ્ગાર છે. હે પ્રભો ! તું આ બધાને માફ કરી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy