SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ અંદરમાં ચિનગારી પેદા થાય, તો મુક્તિઅદ્વેષ તાત્ત્વિક આવ્યો કહેવાય.. અભવ્યને આચાર પાલનથી જન્ય કષાયોની મંદતા થવાથી ગુણો છે પણ એ તાત્ત્વિક ગુણો નથી. અને તાત્ત્વિક ગુણો નથી એટલે મુક્તિનો અદ્વેષ પણ તાત્ત્વિક નથી. ૪૨ તાત્ત્વિક મુક્તિનો અદ્વેષ ચરમાવર્તમાં આવે છે. અને તાત્ત્વિક મુક્તિનો રાગ પણ ચરમાવર્તમાં આવે છે. અચરમાવર્તમાં મુક્તિનો અદ્વેષ અતાત્ત્વિક હોય છે, ચરમાવર્તમાં જીવ આવ્યો એટલે અદ્વેષની યોગ્યતા આવી... કાળ પરિપાક થયો. કાળ પ્રતિબંધક હતો તે નીકળી ગયો... પછીથી તારક તત્ત્વોનું નિમિત્ત મળે, કષાયના વિપાકોનું પરિભાવન કરે... જે વિષય સુખોની આસક્તિ હતી તે આસક્તિ ઘટે, ત્યારે વાસ્તવિક દૃષ્ટિ પામ્યો કહેવાય અને ત્યારે ગુણસંપન્ન અપુનર્બંધક અવસ્થા આવે છે. ક્રિયારૂચી, ચરમાવર્તી જીવને આવે છે. આત્માના ગુણો ચરમાવર્તમાં આવે છે, આત્મગુણોના પ્રાપક આચાર ચરમાવર્તમાં ગમે છે માટે આસ્તિકપણું ચરમાવર્તમાં આવે છે. અભવ્ય ચારિત્રને માને છે, જ્ઞાન-દર્શન-ચારિત્રના આચારોને પાળે છે, આત્માને માને છે, પુણ્ય, પાપ, આશ્રવ સંવર, નિર્જરા આદિ ૮ તત્ત્વોને માને છે પણ મોક્ષને નથી માનતો, શુદ્ધાત્માને નથી માનતો, શુદ્ધ આત્માના ગુણોને નથી માનતો એટલે ક્ષાયિક ગુણોને નથી માનતો, અને તેથી ક્ષાયિક ગુણોને અપાવનાર ક્ષાયોપશમિક ગુણોને પણ નથી માનતો અને ક્ષાયોપમિક ગુણોને નથી માનતો એટલે આત્માને નથી માનતો એમ કહેવાય.. માટે નાસ્તિક કહેવાય છે. અભવ્ય આટલું બધું કરે તો પણ નાસ્તિક કહેવાય અને તમે કશું નથી કરતાં છતાં આસ્તિક કહેવાઓ? સરળતા વિના યોગની દૃષ્ટિ ન આવે ન આજે જીવો બહુલતાએ ડબલ લાઈફમાં જીવી રહ્યા છે, જાતને ધર્મ કહેવરાવવી છે... ધર્મીમાં ખપવું છે. અને વૈયિક સુખની આસક્તિમાં લેશમાત્ર ઘટાડો નથી કરવો... અને એ વૈષયિક સુખો સીધી રીતે ન મળે તો આડકતરી રીતે પણ મેળવવા છે. તે માટે માયા, કપટ, પ્રપંચ, જૂઠ, વિશ્વાસઘાત બધું કરવા તૈયાર છે. આવી ડબલ લાઇફ જીવનારા કેવી રીતે ધર્મ પામી શકે ? આવી માયા કરીને ધર્મ કહેવરાવવું છે ? માયા-કપટ, જૂઠ-ચોરી વિગેરે કરી કરીને જીવશું તો અનંતકાળ સુધી સંસારમાં રખડવું પડશે. આપણે કેવા છીએ, તે આપણા બોલ ઉપરથી આપણા હાવ-ભાવ ઉપરથી જણાય છે. મને કોઈ જાણતું નથી. મારું બદમાશીભર્યું જીવન કોઈને ખબર નથી એમ નહીં માનતા... પણ જગત સજ્જન છે. માટે કોઈ બોલે નહીં... એનો અર્થ એ નથી કે જગત તમને જાણતું નથી. વૈષયિક સુખો સતાવે છે, એવું સ્પષ્ટ કહો... પણ માયા તો ન જ કરો... એક માણસ... મોટી ઉંમરે... ફરી લગ્ન કરે છે... અંદરથી વાસના સતાવે છે. બહારના ડોળ જુદા બતાવે... શું કરું... લગ્ન કર્યા વિના છૂટકો નથી... વિગેરે... આવી માયાને છોડો... યોગની પહેલી દૃષ્ટિ પામવા માટે પણ માયાવી જીવન ઉપર તિરસ્કાર છૂટવો જોઈશે. સંસારમાં વૈષયિક સુખની આસક્તિ સતાવે... એ કાંઈ બહુ મોટો ગુન્હો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy