SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ઘદૃષ્ટિમાં ભવનો ભય નહીં ૩૯ તે ઓઘદૃષ્ટિ છે. અનંતપુદ્ગલપરાવર્ત કાળ સુધી, અને છેલ્લા પગલપરાવર્તિમાં પણ આવી (ઘ) દષ્ટિ જ હતી. ઓઘદૃષ્ટિમાં રહેલો જીવ ત્યાં ધર્મ કરતો હતો, ચારિત્ર પણ લેતો હતો, કષ્ટો પણ સહન કરતો હતો. કેમ? એનાથી સંસારના સુખો મળે છે ને ! દેવના સુખો તો મળે છે ને ! આટલો પુરુષાર્થ સંસારના ઊંચા સુખો માટે કર્યો. ઊંચા વૈષયિક સુખો ચારિત્રના પાલનથી મળે છે. થોડા કાળના ચારિત્રના કષ્ટો વેઠી લેવાથી દીર્ધકાળના સંસારના સુખો તો મળશે ને ! માટે ચારિત્ર પાલન કર્યું, કષ્ટો સહન કર્યા, તપ-ત્યાગ કર્યા, પણ આત્મ સ્વરૂપની વિચારણા પેદા ન થઈ. ઓઘદૃષ્ટિમાં ભવનો ભય નહીં ભવનો ભય જ નહીં, મારું શું થશે ? એવી વિચારણા પણ નહીં. આવો અચરમાવર્તકાળ એ ધર્મનો બાલ્ય કાળ છે. ત્યાં ધર્મ - યોવન પ્રાપ્ત થતું નથી. તેમાંથી આત્મા જ્યારે જાગે છે. ઓઘદૃષ્ટિમાંથી આત્મા જરા બહાર નીકળે છે, ત્યારે મિત્રા દૃષ્ટિ - પહેલી યોગદષ્ટિ પામે છે. જો કે અહીં એનો બોધ છે, તે શ્રદ્ધાથી રંગાયેલો છે, છતાં તે ઘણો બધો મંદ છે, પણ એ મંદ બોધ પણ આત્માના ઘરનો છે. હું આત્મા છું, દેહભિન્ન છું, પરલોકવાયી છું, મારું સ્વરૂપ ભિન્ન છે. આ વાત પ્રામાણિકપણે માનવા તૈયાર થયો છે. સંસારમાં કર્મ બંધાય છે અને કર્મના વિપાકો, કર્મના ફળ જીવને જ મળે છે. એટલે જે કરે છે, જે કર્મ બાંધે છે, તેને જ ભોગવવા પડે છે. આવી શ્રદ્ધા થાય છે. અચરમાવર્તિમાં જીવ, દયાના પરિણામ કરે છે. અચરમાવર્તમાં કષાયની મંદતાના પરિણામ હોય છે, પણ ત્યાં જીવને ભવભ્રમણનું લેશ ભાન નથી હોતું, પરિભ્રમણનો કોઈ ખ્યાલ નથી હોતો, પરલોકમાં મારું શું થશે? હું મરીને ક્યાં જઈશ? આવો વિચાર નથી આવતો. ચરમાવર્તમાં પહેલી દષ્ટિમાં આવો વિચાર આવે છે, તે માર્ગમાં આવ્યો છે. “હવે ભટકવું નથી' એવો નિર્ણય થાય, અને “ઘણું ભટક્યા” એનું ભાન થાય છે, ત્યારે ઓઘ દૃષ્ટિમાંથી જીવ યોગદષ્ટિમાં આવે છે. અભવ્ય જીવોને આ સંસારમાં મારું શું થશે ? અને ક્યાં સુધી ભટકવાનું ? આવો ભવભ્રમણનો વિચાર નથી અને ભવભ્રમણનો થાક નથી. તેઓને આત્મા ક્યાંથી સમજાય ? કષાયોની મંદતા એ જુદી ચીજ છે. અને ભવભય એ જૂદી ચીજ છે. અનાદિની વિષય-કષાયની પરિણતિ એ ભવ છે. અને એનો ક્યારે અંત આવશે? આ વાત અભવ્ય પાસે નથી, જ્યારે જીવને હવે મારો મોક્ષ ક્યારે થશે ? ક્યારે પાપથી મારો છૂટકારો થશે ? એવો ભવનો ભય, પાપનો ભય, પાપથી છૂટવાની ઇચ્છા આ પહેલી દષ્ટિમાં આવે છે. મિત્રાદષ્ટિનું સ્વરૂપ આ મિત્રા દષ્ટિમાં આવે એટલે (૧) યોગનું અંગ પ્રાપ્ત થાય છે. (૨) દોષનો ત્યાગ થાય છે, (૩) આદરણીય ગુણની પ્રાપ્તિ થાય છે. આ મિત્રા દૃષ્ટિમાં યમ નામનું યોગાંગ હોય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને યમ કહેવાય છે. આ યોગાંગ - યમ તો સાધુના વ્રતો છે. શ્રાવકનાં વ્રતો છે. સાધુના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy