SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ મહાવ્રત અને શ્રાવકના ૧૨ વ્રત સ્વીકારે તેને આ અંગ આવે. તો શ્રેણિકરાજા વિગેરે કે, જેમની પાસે આ વ્રતો નથી તો તેઓને યમ વિનાના કહેવા ? ના, અહીં યમના ચાર ભેદ છે. ઇચ્છા, પ્રવૃત્તિ, વૈર્ય અને સિદ્ધિ. એટલે ઇચ્છાયામ, પ્રવૃત્તિયમ, ધૈર્યયમ અને સિદ્ધિયમ, એમ ચાર સ્વરૂપે છે. અત્યાર સુધી જીવ હિંસા, કષાય વગેરે પાપ રાચી-માચીને કરતો હતો. તેને અહીં અહિંસાની ઇચ્છા થઈ એટલે પહેલી દષ્ટિ શરૂ થઈ છે. અહીં અહિંસાની ઇચ્છા તે ઇચ્છારૂપ અહિંસાયમ, અહિંસાની પ્રવૃત્તિ તે પ્રવૃત્તિરૂપ અહિંસાયમ, અહિંસામાં ધૈર્ય તે સ્વૈર્યરૂપ અહિંસાયમ, અને અહિંસા આત્મસાત્ થઈ તે અહિંસાની સિદ્ધિ તે સિદ્ધિ રૂપઅહિંસાયમ. આ પ્રમાણે સત્ય વિગેરે યમમાં પણ ઇચ્છાદિ ૪-૪ પ્રકારો જોડતાં કુલ ૨૦ ભેદ પ્રાપ્ત થાય છે. જીવ અહિંસાદિ યમોની ઇચ્છા માત્ર કરે તો પણ તે ઇચ્છારૂપ અહિંસાયમમાં આવ્યો. એટલે પહેલી દષ્ટિમાં આવ્યો છે. અભવ્યને અહિંસા પાળવા છતાં “આ અહિંસા આત્મસ્વરૂપ પ્રગટ કરાવનાર છે અને મારે આત્મસ્વરૂપ પ્રગટ કરવું છે...” આવી દૃષ્ટિ જ નથી. આવી અંતર પરિણતિ જ નથી, વૃત્તિ જ નથી માટે પહેલી દષ્ટિમાં પણ તેનો પ્રવેશ નથી. કદાચ અહિંસાની ઇચ્છા થાય, અહિંસાનું પાલન પણ થાય એટલા માત્રથી પહેલી દષ્ટિ આવે જ એવું નથી. પણ સાથે સાથે વિષય - કષાયની પરિણતિરૂપ સંસાર ખરાબ લાગે, અંશે પણ ખરાબ લાગે ત્યારે જીવ દૃષ્ટિમાં આવે છે. સંસારી જીવોનું સુખ જગતમાં બે પ્રકારે છે. (૧) કાષાયિક સુખ. શું કષાયમાં પણ સુખ છે ? હા. ક્રોધાદિમાં પણ સુખ અનુભવાય છે. અભિમાનમાં પણ સુખ અનુભવાય છે. બીજાને ઠગવામાં તેમજ અનુકૂળ પદાર્થની ઇચ્છા કરવામાં પણ જીવને સુખ અનુભવાય છે (૨) વૈષયિક સુખ-પાંચ ઇન્દ્રિયના ભોગો સુખરૂપ લાગે છે. મિથ્યાત્વના ઉદયથી ઇન્દ્રિયોના વિષયોમાં જીવને સુખાનુભવ થાય છે. પુણ્યની અપેક્ષાએ અહિંસાદિનું પાલન અભવ્ય પણ કરે છે. વિષય સુખ - કષાયસુખ રૂપ ભવ અને તે સુખની જે આસક્તિ છે તેનો આંશિક ઘટાડો થાય ત્યારે મુક્તિનો અદ્દેષ આવે છે, પહેલી દૃષ્ટિમાં આ અદ્વેષ ગુણને પ્રાપ્ત કરે છે. મુક્તિનો અદ્વેષ - આત્માનો અદ્વેષ, આત્મ સ્વરૂપનો અદ્વેષ છે. અત્યાર સુધી વૈષયિક સુખોની તીવ્ર આસક્તિ અને તીવ્ર તલસાટ જે મુક્તિપ્રત્યે દ્વેષ પેદા કરતો હતો, તે હવે સંસારના વૈષયિક સુખોમાં અંશે ઘટાડો થાય, આસક્તિનો ઘટાડો થાય છે ત્યારે મુક્તિનો અદ્દેષ આવે છે. મુક્તિઅદ્વેષ ક્યારે આવે ? આજ સુધી સાંસારિક સુખાસક્તિનો જે ફોર્સથી પ્રવાહ હતો તેમાંથી એકાદ અંશ તૂટે, ઘટાડો થાય, આસક્તિનો આંશિક ત્યાગ થાય ત્યારે મુક્તિનો અદ્વેષ એટલે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy