SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતીને દેવલોક જેલ છે અજ્ઞાન, મોહ, કષાયથી પડે તો તે પડ્યો કહેવાય. અહીં એવું પતન નથી. આ દેવ ભવ જ એવો છે કે, જ્યાં ચારિત્રમોહનીયનો ઔદયિકભાવ વર્તે છે. અહીં પ્રવાસીના પ્રવાસની ઉપમા આપીને જેમ પ્રવાસી રાત્રિના નિદ્રા લેવારૂપ વિસામો કરે છતાં સતત પ્રવાસ ચાલુ કહેવાય છે. તેમ સ્થિરાદિ ચાર દષ્ટિમાં દેવલોકમાં ચારિત્રનો વિધાત એ વિસામા તુલ્ય હોવાથી જીવ યોગદષ્ટિમાં સતત આગળ વધતો રહે છે. આંતરશત્રુઓ સામે લઢવા માટે આ મનુષ્યભવ છે. ચક્રવર્તીના છ ખંડ જીતવા સહેલા છે, લાખો શત્રુઓ પર વિજય મેળવવો સહેલો છે પણ આંતર શત્રુઓ પર વિજય મેળવવો, આંતર શત્રુઓ સામે ઝઝૂમવું - એ વિરલાનું કામ છે. મોહની ભયંકરતા સમજાય, તો જ આ કરી શકાય તેમ છે, ધર્મ ખાલી ઉપર ઉપરથી થાય છે, બાહ્ય સંઘર્ષ કરવાના નથી. બાહ્ય સંઘર્ષ અટકાવ્યા પછી આંતરશત્રુ સામે ઝઝુમવાનું છે. મળેલા વૈયિક સુખને છોડે તે આંતર સંઘર્ષ કરી શકે, વિષયોના ત્યાગ વિના, ભોગ વચ્ચે રહીને, ભોગ પુરુષાર્થ કરવાથી આંતરશત્રુ સામે સંઘર્ષ ન થાય.. ઘરમાં રહીને ધર્મ કરીશું, એ મોટો ભ્રમ છે. સારાકાળમાં પણ ઘરમાં રહીને ધર્મ થઈ શક્યો નથી, તો અત્યારે તો ઊંટના અઢાર વાંકા જેવી સ્થિતિ છે... તે વખતે ઘરમાં રહીને આંતરશત્રુ સામે સંઘર્ષ કરવાની શક્યતા નહિવત્ છે. ભરત મહારાજા ચક્રવર્તી છે. ષટ્ખંડ પૃથ્વીના માલિક છે છતાં આંતર જીવન કેવું છે ?... રોજ વિચારે છે કે ‘હું કપૂત છું... મારા નવ્વાણુ ભાઈઓ સપૂત છે; પિતા પાસે દીક્ષિત બની કેવી સુંદર આરાધના કરી રહ્યા છે ! મારી બેનો પણ દીક્ષિત બની કેવી સુંદર આરાધના કરી રહ્યા છે ! અને હું પાપી સંસારમાં રહ્યો ! મારા જેવો અધમ કોઈ નહીં... આવી આવી ભાવનામાં રમતા ભરત મહારાજા જ્યારે રાજ્યગાદી પર બેસતાં ત્યારે પિતાને અને નવ્વાણુ ભાઈઓને તથા બ્રાહ્મી સુંદરી બેનોને નમસ્કાર કરીને બેસે છે... અને હજારો કલ્યાણ મિત્રો તેમણે રાખ્યા છે... તમારે અહીં જ રહેવાનું - ખાવાનું-પીવાનું, ચોવીસે કલાક અહીં રહી ધર્મારાધના કરવાની. તમારા નિર્વાહની બધી જ જવાબદારી મારે માથે... પણ જ્યારે હું રાજ સિંહાસન ઉપર બેસું, ત્યારે તમારે હંમેશા મને યાદ કરાવવું... શું ? (૧) નિતો ભવાન્ (૨) વર્ધને મી: (૩) મા હળ. પણ (૧) નિતો મવાન્- એટલે કે જગત આપને છ ખંડના વિજેતા માને છે. કર્મશત્રુઓથી આપ જિતાયેલા છો... (૨) વર્ષતે ની: મૃત્યુનો ભય નિરંતર માથે છે. સંસારમાં રોગ-જરા, વૃદ્ધાવસ્થા આદિ અનેક ભયો વચ્ચે જીવી રહ્યા છો. મારે ૬૪૦૦૦ સ્ત્રીઓ છે, ૮૪ લાખ હાથી-ઘોડા-૨થ વગેરે છે. ૯૬ કરોડ પાયદળ, ૧૪ રત્નો, નવનિધાન છે. આ છે, તે છે, પણ મૃત્યુની તાતી તલવાર તમારા માથા ઉપર લટકી રહી છે. કલ્યાણમિત્રો રોજ આવું સંભળાવે છે. મૃત્યુનો ભય તો દરેકને માથે છે. તમે પણ રોજ મૃત્યુની Jain Education International 2010_05 68 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy