SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ રહે છે. સમ્યકત્વથી પ્રતિપાત નથી. પણ છઠ્ઠા ગુણસ્થાનકનો વિઘાત તો છે જ. ચારિત્ર ત્યાં નથી. એટલે દષ્ટિનો પ્રતિપાત થયો કહેવાય ને ? આનું સમાધાન આ શ્લોકમાં આપે છે કે આ દેવલોક એ વિસામા સમાન છે. વિસામો લેવો એ પ્રયાણનો ભંગ નથી. દા.ત., જેમ કોઈ પ્રવાસી, પોતાના ગામથી કન્યકુબ્બ (શહેર) જવા માટે પગપાળા નીકળ્યો છે. રોજ ને રોજ પ્રયાણ કરે છે. છતાં પણ રાત્રિએ કોઇ પણ ધર્મશાળાદિ સ્થાનમાં નિદ્રા લેવા રોકાય છે. પાછો સવારથી પ્રયાણ ચાલુ કરે છે. ક્યાંક ભોજન માટે પણ રોકાય, છતાં સતત પ્રયાણ ચાલુ છે. જેમ, આ નિદ્રાથી તેના પ્રયાણનો ભંગ નથી થયો. બલ્ક વિસામો, નિદ્રા એ પ્રયાણને વેગ આપનાર છે. પ્રયાણ અભંગ બને છે. એટલે એ પ્રવાસી સતત પ્રયાણથી ઇષ્ટ સ્થાને પહોંચ્યો એમ કહેવાય છે. એવી રીતે જીવે અહીં મનુષ્યભવમાં સાધના શરૂ કરી. સમ્યકત્વ અને ચારિત્રનું પાલન કરી દેવલોકમાં ગયો. દેવલોકમાં જવાથી તેનું મોક્ષમાર્ગગમન અટકતું નથી પણ અભંગ પ્રયાણ ચાલુ છે. કારણ કે દેવીસુખોમાં પણ ચારિત્રપાલનથી જન્ય વૈરાગ્યના તીવ્ર સંસ્કારના બળે અલિપ્ત રહે છે, ઉદાસીન રહે છે. ક્યાંય રાગાદિથી આત્માને લેપાવા દેતો નથી. અને અંતે સમાધિમૃત્યુ પામી માનવભવમાં આવી ચારિત્ર લઈ આગળ વધે છે. સમકિતીને દેવલોક જેલ છે સમ્યક્તીને દેવલોક પણ સજા લાગે છે. મઝા નથી લાગતી. સમ્યકત્વને વૈષયિક સુખો વચ્ચે રહેવામાં જે પીડા છે, તે બીજો સમ્યકત્વી જ સમજી શકે છે. બીજા ન સમજે. મિથ્યાત્વીને દેવલોકમાં લીલાલ્હેર લાગે છે. સમ્યકત્વીને ત્યાં પણ ગમતું નથી, જે સ્થાન ગમે નહીં અને પાછું ત્યાંથી છુટાય તેમ પણ નથી, એવા સ્થાનમાં વર્ષોના વર્ષો સુધી રહેવું પડે તેમ છે, તો જીવ કેવી રીતે રહે ? રહેવું પડે છે ને રહે છે. ચક્રવર્તીના સુખ હોય કે દેવલોકના સુખ હોય, સમકિતીને કોઈ વિશેષતા દેખાતી જ નથી. સંસારના સુખમાં આપણને જે વિશેષતા દેખાય છે તે મૂઢતા છે. અંદરમાં ઠરવાનું છે એના બદલે જીવ બહાર ઠર્યો એટલે એ જ મહામૂઢતા છે. દેવલોકમાં વધુમાં વધુ ચાર ગુણસ્થાનક હોય છે માટે સમ્યકત્વીને અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. પરંતુ પાંચમું, છટ્ઠ ગુણસ્થાનક ત્યાં નથી કારણ કે અપ્રત્યાખ્યાનીય કષાય અને પ્રત્યાખ્યાનીય કષાય રૂપ ચારિત્રમોહનીયનો દયિકભાવ હોવાથી ત્યાં ચારિત્રમાં પ્રવૃત્તિ નથી, છતાં પણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય અત્યંત મંદ છે, જેના કારણે વૈરાગ્ય ટકી રહે છે અને તેથી જ, જ્યાં દેવભવ પુરો થયો અને મનુષ્યભવમાં આવ્યો. જ્યાં ૮-૯ વર્ષનો થયો કે ફરી પાછો ચારિત્રમાં જ આગળ વધશે. દેવભવમાં ચારિત્ર મોહનીયનો ઔદયિકભાવ છે, માટે ચારિત્ર નથી, માટે દેવભવમાં ચારિત્રનો ઘાત એ વિઘાત નથી, પણ વિસામાનું સ્થાન છે. વાસ્તવિક વિઘાત અને પ્રતિપાત તો એ છે કે જ્યાં પડ્યા પછી ફરી ચઢવા માટે મુશ્કેલી પડે, તેને વિઘાત કહેવાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy