SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નિદ્રામાં સમાધિ કહેવાય? ૩૫ વૈરાગ્ય માટે પણ ત્યાગ જરૂરી છે. મોહની તાકાતનો ખ્યાલ નથી માટે સંસારની પ્રવૃત્તિ જીવ નિઃશંક પણ કરી શકે છે. મોહના ઘરમાં રહીને, મોહને મારવો કઠીન છે. તેમાંથી જેઓ ભાગ્યા છે. જ્ઞાન-ધ્યાનના માર્ગે, તપ-ત્યાગના માર્ગે દોડ્યા છે તેઓ મોહની રાજધાનીમાંથી છૂટ્યા છે. સમ્યકત્વ આવે એટલે મોહમાંથી આંશિક છૂટ્યો કહેવાય, વિરતિ આવે એટલે વધારે આંશિક છૂટ્યો કહેવાય, પણ આ આંશિક છૂટેલો પાછો ક્યારે પકડાઈ જાય, મોહથી ક્યારે ફેંકાઈ જાય તે કહેવાય નહીં. પાછળની ૪ દૃષ્ટિમાં જીવ સાવધ રહે તો પ્રતિપાત નથી. અને ક્ષપકશ્રેણી માંડે તો નિકાચિત કર્મો પણ નીકળી જાય છે. પુરુષાર્થ કામ લાગે છે. જીવ સાવધ બની પુરુષાર્થ કરી આગળ વધી શકે છે. શ્રેણિક આદિને દુર્ગતિમાં જવા રૂપ પાત છે. પણ પરિણતિનો પાત નથી. જે ગુણઠાણે છે, ત્યાં માત્ર અશુભ લેશ્યા આવે છે. સમતિ જતું નથી. ક્ષાયિક સમ્યકત્વ છે. ક્ષયોપશમ સમકિત હોય તો છોડવું જ પડે.. મિથ્યાત્વે આવવું જ પડે છે. ક્ષાયિક સમકિતમાં જ ચોથું ગુણઠાણું ટકે છે. ફક્ત વેશ્યા બગડે છે. નિદ્રામાં સમાધિ કહેવાય ? ના, કેમ ના કહેવાય ? તો શું નિદ્રામાં વિકલ્પ છે? ના. પણ સ્વપ્ના આવે છે ને ? ના, સ્વપ્ના નિદ્રામાં નથી આવતા. સ્વપ્ના તો તન્દ્રામાં આવે છે. તન્ના અર્ધજાગૃત અવસ્થા છે. તન્દ્રામાં વિચારો આવે, નિદ્રા = ઘસઘસાટ ઊંઘ. નિદ્રામાં જડ સમાધિ કહેવાય, ક્લોરોફોર્મમાં જડ સમાધિ કહેવાય, મૂર્શિતાવસ્થામાં જડ સમાધિ કહેવાય, મંત્ર-તંત્ર જન્ય મૂર્ધામાં જડ સમાધિ કહેવાય, ઔષધપ્રયોગ જન્ય પણ જડ સમાધિ કહેવાય, અહીં અબુદ્ધિપૂર્વકના જ વિકલ્પ છે. છતાં આત્માને ઉન્નતિકારક આ સમાધિઓ નથી. મોહનીયના ક્ષયોપશમથી અને ઉપશમથી જે સમાધિ પ્રાપ્ત થાય છે તે સમાધિ વાસ્તવિક છે. સહજ સમાધિ અને ધ્યાનજન્ય સમાધિ તે ઉપાદેય છે. આત્માએ કર્મનો રસ તોડી-તોડીને સમાધિ મેળવી છે માટે ઉપાદેય છે. દા.ત., અહીં આપણને ત્રીજું જ્ઞાન નથી. પણ દેવલોકમાં ગયા ત્યાં દેવમાત્રને ત્રીજું જ્ઞાન છે. એટલે પક્ષીને જેમ પાંખ આવે, ઉડવાની શક્તિ આવે, તેમ દેવભવમાં ત્રીજું જ્ઞાન આવે એટલે જ્ઞાની થઈ ગયા કહેવાય ? નાં. તેમ નિદ્રામાં સમાધિ આવે તેને સમાધિ કહેવાય ? ના, એ જડ સમાધિ છે. જીવ એ સમાધિમાં નરકે પણ જઈ શકે છે. જ્યારે ધ્યાનજન્ય સમાધિ અને સહજ સમાધિમાં જીવ નરકે ન જઈ શકે, અહીં સ્થિતિ જ ઊંચી છે. प्रयाणभङगाभावेन, निशिस्वापसमः पुनः। विघातो दिव्यभवतश्चरणस्योपजायते ।। २० ॥ પાછળની ૪ દૃષ્ટિમાં પાત નથી. પણ સ્થિરાદિ દષ્ટિમાં સમ્યક્ત્વ અને ચારિત્રને પ્રાપ્ત કરીને, પાળીને, જે જીવ ભવાંતરમાં દેવલોકમાં જાય છે. ત્યારે આ ચારિત્ર જતું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy