SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપૂર્વકના વિકલ્પો અને અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ૩૩ શુભભાવ – મૈત્રી - પ્રેમ-વાત્સલ્ય-કરૂણાના ભાવો થવા એ શુભભાવ છે. પણ જ્યારે કષાયનો રસ મોળો પડે તો જ શુભભાવ અનુભવાય. અન્યથા શુભભાવ વેદાય જ નહીં. અશુભભાવની અપેક્ષાએ શુભભાવ ઉપાદેય છે, પ્રશસ્ત છે. જીવદ્રવ્ય એ ભાવુક દ્રવ્ય છે, સારા-નરસા સંયોગોની, સારા નરસા પદાર્થોની, સારી-નરસી પરિસ્થિતિની અસર થાય છે. બીજા કોઈ દ્રવ્યોને અસર થતી નથી. પરમશુદ્ધ ભાવ = પારમાર્થિક નિર્વિકલ્પક અવસ્થા. એ કેવળજ્ઞાનમાં છે. કેવળજ્ઞાન આવ્યા પછી નિર્વિકલ્પક અવસ્થા જતી નથી. માટે પારમાર્થિક છે. બુદ્ધિપૂર્વકના વિકલ્પો અને અબુદ્ધિપૂર્વકના વિકલ્પો જો કે ધ્યાન-સમાધિમાં પણ નિર્વિકલ્પક અવસ્થા છે. પણ જ્યારે સમાધિમાંથી જીવ બહાર આવે છે ત્યારે નિર્વિકલ્પક દશા ચાલી જાય છે. નિદ્રામાં પણ સમાધિ છે, પણ ત્યાં જડ સમાધિ છે. જે ઇચ્છનીય નથી. ધ્યાનજન્ય સમાધિમાં નિર્વિકલ્પતા છે અને ત્યાં અવ્યક્ત કષાય પણ છે. ૧૧-૧૨-૧૩ મે ગુણઠાણે કષાયનો ઉદય નથી.કષાયનું કામ વિકલ્પ પેદા કરવાનું છે અને સમાધિ છટ્ટે, સાતમે, આઠમે ગુણસ્થાનકે પણ છે અને સમાધિમાં તો નિર્વિકલ્પકતા છે. તો આ બે ભેગા થઈ શકે ? ના, કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી વિકલ્પ છે પણ વિકલ્પોના બે પ્રકાર છે (૧) બુદ્ધિપૂર્વકના વિકલ્પો. આ વિકલ્પો જ્યાં હોય ત્યાં સમાધિ હોઈ શકે ? ના.. પણ જયાં (૨) અબુદ્ધિપૂર્વકના વિકલ્પો છે, ત્યાં ભલે કષાય અંદરમાં પડેલા છે, પણ મનની ત્યાં શાંત-પ્રશાંત અવસ્થા છે. મન સ્વરૂપમાં ગયેલું છે. કષાયનાં ઉદયમાં મન ભળતું નથી માટે અવ્યક્ત વિકલ્પો છે. એટલે અબુદ્ધિપૂર્વકના વિકલ્પ છે, વ્યક્તિ વિકલ્પો નથી. દા.ત, એક સમુદ્ર છે તેમાં કાંકરો પત્થર નાંખ્યો નથી તેથી તરંગો નથી, શાંત છે, પણ પવનની જરાક લહેર આવે, ત્યારે સૂમ હલન છે. કંઈક ચંચળતા છે. તો તે સમુદ્ર વ્યવહારથી શાંત છે, નિશ્ચયથી શાંત નથી. કારણ કે સૂક્ષ્મ અસ્થિરતા દેખાય છે. તેવી રીતે સંપૂર્ણ નિર્વિકલ્પક દશા અહીં આવી નથી, પરંતુ મોહનીયના વિકલ્પનું જોર નહિવતું હોય છે. વિકલ્પોનું બળ નથી, બુદ્ધિપૂર્વકના વિકલ્પો નથી. તેથી શાંત સમુદ્રના તરંગોની ધીમી ગતિ સમાન અહીં જીવના અવ્યક્ત વિકલ્પો ચાલુ હોય છે પણ મોહની પ્રેરકતા નાશ પામી હોવાથી તે બાધક નથી. કેવળજ્ઞાનમાં પારમાર્થિક નિર્વિકલ્પકતા છે. આત્મા સંપૂર્ણપણે આત્મ-સ્વરૂપમાં સમાઈ ગયો છે. તે પહેલાં સાતમે ગુણઠાણે સાધકે કષાયને શાંત કર્યા છે, અનુભવરૂપે તીવ્ર કષાય ત્યાં ન અનુભવાય.. સાતમે ગુણસ્થાનકે સંજ્વલનના કષાય છે ખરાં, પણ આટલે-(સમાધિ) સુધી પહોંચ્યો છે, તેથી સંજ્વલનના કષાયનો રસ મામુલી જ રહ્યો છે, ઘણો બધો શાંત થઈ ગયો છે, તેથી આ વ્યાવહારિક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy