SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ - - અન્ય પ્રવૃત્તિઓમાં પસાર કરે છે. પણ અંદરમાં રૂચિ શેની? પ્રતીતિ શેની ? રત્નની હોય છે. એટલે બીજી બધી ક્રિયા કરતાં જેની પ્રતીતિ ચૂકાય નહીં, સતત અંદરમાં જે વસ્તુ ચુકાય જ નહીં તે પ્રતીતિ રૂપ સમ્યકત્વ છે. સંસારના સુખો ભોગવો ત્યારે તેનો અનુભવ કહેવાય. અને સંસારના બીજા-ત્રીજા કાર્યો કરો ત્યારે તેની સ્મૃતિ, પ્રતીતિ રૂપે હોય છે. અનુભવની યાદ, સ્મૃતિ, વિશેષતા જે ભાસે છે તે પ્રતીતિ છે. સંસારમાં અનુભવ અને પ્રતીતિ બન્ને ચાલે છે. હૃદયમાંથી જે ચીજ ખસે નહીં તે પ્રતીતિ છે. (૧) પ્રથમ સમ્યક્તનો અનુભવ છે. (૨) તત્ત્વચિંતન-મનન-તત્ત્વની વિચારણા વખતે ઉપયોગમાં સ્વરૂપનું ભાન રહે છે. જેમાં તીવ્રતા વધતાં ધ્યાન - સમાધિ પ્રાપ્ત થતાં આત્માનો અનુભવ થાય છે. ત્યારે અનંતાનુબંધીનો અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ હોય છે. પરંતુ વિશેષ રસની હાનિ થવાથી ઉપયોગ દેહથી છૂટો પડી સ્થિરતાને પામેલો હોય છે. વિશેષ રસની હાનિ ન થાય ત્યારે સ્વરૂપનું લક્ષ પકડાયેલું રહેવાથી તે લક્ષ રૂપ સમ્યક્ત્વ છે. | વિષયોમાં અત્યંત રસ પૂર્વક પ્રવર્તવું તે આર્તધ્યાન છે. સંસારમાં એકમેક થવું તે આર્તધ્યાન છે. સંસારની સામે આત્મા છે. એક બાજુ સંસાર છે, તો સામી બાજુ આત્મસ્વરૂપ છે. તે કર્મથી અવરાયેલું છે. કષાયથી ઢંકાયેલું છે. તેને ખુલ્લું કરવાનું છે. જેમ જેમ ખુલ્લું થાય તેમ તેમ આત્મસ્વરૂપની અનુભૂતિ થાય છે. જે ધર્મ- ક્રિયા કરતાં કરતાં શુભ ભાવો સ્પર્શ નહીં... તે દ્રવ્ય ક્રિયા કહેવાય છે. અને તે મામુલી પુણ્યબંધ કરાવીને અટકી જાય છે અને શુભભાવ વૃદ્ધિ પામતાં પરાકાષ્ઠાનો થાય - એ આત્માના સ્વરૂપ પામવા માટેના સંધિસ્થાન સ્વરૂપ છે. દિગંબરો - શુદ્ધભાવને જ ઉપાદેય માને છે. ભાવ બે પ્રકારે છે. શુદ્ધભાવ, અશુદ્ધભાવ. – (૧) શુદ્ધભાવ એટલે જ્યાં વિકલ્પની અનુભૂતિ પણ ન થાય, આ પારમાર્થિક નિર્વિકલ્પ દશા છે. જે કેવળજ્ઞાન સ્વરૂપ છે. અને તે ઉપાદેય છે. બુદ્ધિપૂર્વકના રાગાદિ પ્રયુક્ત વિકલ્પો જેમાં ન વેદાય તે શુદ્ધભાવ છે. તે વ્યવહારથી નિર્વિકલ્પ દશા છે ઉપયોગની શુદ્ધિ વધતાં ધ્યાન, સમાધિમાં રાગાદિ વિકલ્પો શાંત થઈ જાય છે, તે વખતે અબુદ્ધિપૂર્વકના વિકલ્પ હોય છે આ આંશિક શુદ્ધ ભાવ છે. જ્યારે કેવલજ્ઞાન એ પારમાર્થિક નિર્વિકલ્પતા છે, પૂર્ણ શુદ્ધ ભાવ છે. ધ્યાન, સમાધિમાં જે નિર્વિકલ્પતા વેદાય છે તે વ્યાવહારિક નિર્વિકલ્પતા છે. (૨) અશુદ્ધ ભાવ બે પ્રકારે છે અશુભભાવ, શુભભાવ. અશુભભાવ – એટલે જ્યાં કષાયની અનુભૂતિ થાય. કષાય આત્માની વિકૃતિ છે. ક્ષુદ્રતા, ઈર્ષા, વેર - ઝેર, ક્લેશ વગેરેની અનુભૂતિ તે અશુભભાવ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy