SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યમરણ અને ભાવમરણ ૩૧ ‘હું' તરીકેની માન્યતા તે મોહ છે. આ મોહ અને અજ્ઞાનનાં બળ ઉપર આખો સંસાર ચાલે છે. દરેકનાં મૂળમાં મોહ અને અજ્ઞાન છે. દ્રવ્યમરણ અને ભાવમરણ. જીવને પોતાના સ્વરૂપનું એટલે આત્મ-સ્વરૂપનું વિસ્મરણ એ જ ભાવમરણ છે. દ્રવ્યમરણ એકવાર આવે છે. ભાવમરણ સમયે સમયે હોય છે. જીવ સમયે સમયે (પ્રતિપળે) દેહને આત્મા માનીને જીવે છે તે ભાવમરણ છે.. આવો અનાદિકાળથી દેહાધ્યાસ છે. તે ભ્રમ છે. ભ્રમ એ અજ્ઞાન છે. હું મણિભાઈ, હું શાંતિભાઈ એ અજ્ઞાન છે. આખા સંસારનું મૂળ ભ્રમ છે. ભ્રમ ઉપર સંસાર ચાલે છે. પાંચમી દષ્ટિમાં આ ભ્રમ ભાંગી જાય છે. આત્માનો આત્મસ્વરૂપે સ્વીકાર હોય છે. આત્માની એકવાર અનુભૂતિ થઈ ગઈ છે. આત્માની આત્મા રૂપે પ્રતીતિ વર્તે છે. વર્તે શુદ્ધ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” અહીં જીવને ભલે પ્રવૃત્તિ સંસારની હોય, પણ નિરંતર સ્વરૂપની રુચિ હોય છે. અહીં સાધક નિરંતર જ્ઞાનદશામાં વર્તતો હોય, તેના ઉપયોગમાંથી સ્વરૂપનો ખ્યાલ, સ્વરૂપની પ્રતીતિ ક્યારેય છૂટે નહીં. (૧) અનુભવ (૨) લક્ષ્ય (૩) પ્રતીતિ. અનુભવ એટલે ગ્રન્થિભેદ કરી, જ્યારે જીવ ઉપશમ સમ્યત્વ પામે છે, ત્યારે આત્માનો આંશિક અનુભવ થાય છે. આ અનુભવનો કાળ અલ્પ છે, પણ વિશુદ્ધિ ઘણી છે. ઔપશમિક સમ્યકત્વ અંતર્મુહૂર્ત માટે છે, ક્ષાયોપથમિક સમ્યકત્વ ૬૬ સાગરોપમ રહે છે. ૬૬ સાગરોપમ કાળમાં જીવ આગળ ન વધે, એટલે કે ક્ષાવિકભાવ પામે તો એકવાર તો જીવને નીચે ઉતરવું પડે છે. ભલે મિશ્ર ગુણસ્થાનકે જઈને આવે, પણ એકવાર તો નીચે ઉતરે... ક્ષયોપશમ સમ્યકત્વ છે, એટલે જાગૃતિથી ટકી રહે છે. જાગૃતિ જતાં તે પણ જતું રહે છે. - પ્રતીતિ એટલે ખ્યાલ... બીજી બધી ક્રિયા કરવા છતાં બીજી બધી પ્રવૃત્તિ કરવા છતાં ઉપયોગમાં સ્વરૂપનો ખ્યાલ સતત પકડાઈ રહે તે પ્રતીતિ છે. દા.ત. જેમ એક સ્ત્રી છે. તે કુલીન કન્યા છે. સુશીલ કન્યા છે, ખાનદાન કન્યા છે. તેનો પતિ પરદેશ ગયો છે.... અહીં રહેલી તે ઘરના બધા જ કામ કરે છે. અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. સવારથી સાંજ સુધીની એ પ્રવૃત્તિ કરતાં તેની વૃત્તિ ક્યાં ? તેનું મન ક્યાં હોય ? તેના પતિની યાદમાં તેની વૃત્તિ હોય છે. ઉપયોગ બધી પ્રવૃત્તિમાં હોવા છતાં પણ રુચિ, ખ્યાલ પતિનો જ હોય છે. જેમકે - એક શેઠને ચિંતામણી રત્ન પ્રાપ્ત થયું. તેણે તે તિજોરીના ચોરખાનામાં મૂક્યું... પછી દુકાને ગયો, વેપાર-ધંધો કરે છે... ચોવીસ કલાક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy