SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨ છીએ તેથી તેનાથી બંધાયેલું પુણ્ય પરલોકમાં રક્ષા નહીં કરે. સંસારમાં જે કરો છો તે ચોંટીને, એકમેક થઈને, સારું માનીને કરો છો અને કર્યા પછી પણ આનંદ, હર્ષ આવે છે.... એટલે સંસારની પ્રવૃત્તિ કરતા ૧૦૦ ટકા નુકશાન છે. પણ ધર્મની ક્રિયામાં કંઈ ખાટી જાવ છો તેવું લાગતું નથી. કારણ શું? માનોકે, અહીં તમારું મૃત્યુ થાય. અત્યારે ઉપાશ્રયમાં તમારું મૃત્યુ થાય. વ્યાખ્યાન સાંભળતા સાંભળતા મૃત્યુ થાય તો સ્થાન સારું, ક્રિયા સારી – બાહ્ય દૃષ્ટિએ દેખાય. બાહ્ય દષ્ટિએ મૃત્યુ સારું ગણાય. બધા કહેશે મોત બહુ સારું થયું. પણ એ તમને કયો દેવલોક અપાવે? ચોક્કસ વૈમાનિક દેવલોક અપાવે જ એવું ખરું ! જેટલો કષાય પર વિજય મેળવ્યો હોય, પ્રણિધાન દઢ હોય, સંવેદના વધારે હોય તો સગતિ ચોક્કસ છે. જેટલી સંવેદના વધુ તેટલું પુણ્ય ઊંચું બંધાય. સંસારમાં પત્ની આગળ પીગળી જાવ છો ! પૈસા આગળ પીગળી જાવ છો ! પુત્ર-કુટુંબ પાસે પીગળી જાવ છો! તેવી રીતે ધર્મ કરતાં કરતાં જીવ પીગળી જાય છે ખરો! જીવ ગળી જાય છે ખરો! ત્યાં (સંસારમાં) જાગે છે, અહીં કેમ નહીં ? જેટલી સંવેદના જાગે તેટલો દર્શન મોહનો ક્ષયોપશમ વિશેષ વિશેષ થાય, જેટલી સંવેદના વધુ એટલો દષ્ટિમાં આગળ વધ્યો કહેવાય. આ સાંભળવાનું તે સાંભળવા પૂરતું જ નથી. સાંભળતાં સંવેદના પેદા ન થાય તો આત્માને ધિક્કારો કે સંસારમાં ભોગો ભોગવતાં તું કેમ પીગળી જાય છે. અને અહીંયા કેમ નહીં ? “તમને તમારી જાત અધમાધમ, પાપી, દુષ્ટ લાગતી નથી' એજ પતનનું પહેલું પગથીયું છે. શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થયો છે અને દર્શનમોહનીયનો ક્ષયોપશમ નથી થયો. સાંભળવું એ જ પર્યાપ્ત નથી. આટલા ઉત્કૃષ્ટ સંયોગો મળવા છતાં મારું મોહનીય કર્મ કેટલું અને કેવું બળવાન છે ? કે હું આટલું સમજી શકું છું, આટલું બધું જાણી શકું છું, છતાં મારો આત્મા પીગળતો નથી ! - એમ સતત લાગવું જોઈએ. જાણ્યા પછી પણ આત્માને અનુરૂપ વીર્ય ફોરવી ન શકું તો મને શું લાભ ? દશ-દશ મીનીટે, કલાકે કલાકે આત્માની જડતી લ્યો.... અંદરથી કઠોરતાનો અવાજ આવે છે તો તેની નિંદા - ગહ કર્યા કરો. પહેલાં પોતાના પાપને ધિક્કારો, પોતાની પાપી એવી જાતને ધિક્કારો, બીજા કોઈને ધિક્કારશો નહીં. બીજાના પાપનો ધિક્કાર હોઈ શકે, પણ પાપીની તો કરૂણા જ હોય... પોતાની જાતને ધિક્કારો, અંદરથી હંટરનો માર મારો તો આત્મા ક્યારેક જાગી ઉઠશે. આના વિના – જાતના ધિક્કાર વિના, પાપના ધિક્કાર વિના પરમાત્માની પૂજા પણ બહુ કામ નહીં લાગે... પરમાત્માની પૂજા પોતાની જાતના દોષો જોવા માટે છે. પરમાત્માની પૂજા અને બીજા પણ અનુષ્ઠાનો જાતને જોવા માટે છે. દોષોને કચરવા માટે છે. જિનવાણી સ્પર્શાત્મક બોધ માટે છે સમજવા માટે જિનવાણી છે. સમજીને જીવનમાં ઉતારવા માટે જિનવાણી છે, ફિક્ત સાંભળીને રાજી થવા માટે નથી. ધંધો કરતાં કોડી પણ હાથમાં ન આવે તો શેનો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy