SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ભરત મહારાજાના ઉદ્ગારો.. દેખાય છે ? આવું ન દેખાય તો દષ્ટિબોધ હજી મંદ છે. જે ભૌતિક સામગ્રીમાં મુંઝાય છે તે આત્માને ભૂલે છે. ભૌતિક સામગ્રીમાં પરમાત્મા યાદ ન આવવા - તે જ મોટામાં મોટો અપરાધ છે. જીવનો પોતાનો જ અપરાધ છે, જીવનો પોતાનો જ ગુન્હો છે કે આપણા પોતાના સ્વરૂપ ને પામવા માટે ઝંખતા નથી. તલસતા નથી. આત્માને ભૂલી, પરમાત્માને ભૂલી ભૂતને કોણ વળગે ? પાગલ જ વળગે... ડાહ્યા માણસ તો બધા ભૂતથી ભાગે જ... જગતની બધી ચીજો પાંચ ભૂત સ્વરૂપ છે. આ ભૂતો ભૂતરૂપે નથી લાગતા માટે જ જીવ ભૂતની જેમ તેની પાછળ પડે છે. સંસાર પંચમહાભૂતમય છે. આત્માનો બોધ બળવાન બને ત્યારે સંસારની તમામ ચીજ નકામી લાગે છે. બાહુબલીની જાગૃતિ વધી.... પ્રમાદવીર્ય તૂટીને-ભાંગીને ભૂક્કો થઈ ગયું.. જાગૃતિ વધતાં ત્યાંને ત્યાં જ ચારિત્ર લઈને ઊભા રહી ગયા. જાગૃતિ આવે એટલે કષાયનો પારો નીચે ઉતરે જ. ભરત મહારાજના ઉદગારો... ભરત પાસે પણ જાગૃતિ છે, સમ્યકત્વ છે પણ ચક્રવર્તી નામકર્મનો ઉદય છે. બાહુબલી જ્યારે યુદ્ધભૂમિ ઉપર માથાનો લોચ કરી ચારિત્ર લઈ ઊભા રહે છે, ત્યારે ભરત કહે છે – ભાઈ ! તમે સુખેથી રાજ્ય સુખ ભોગવો મારે તમારું રાજ્ય જોઈતું નથી. મારા નવ્વાણું ભાઈઓને ધન્ય છે કે, તેઓએ પિતાના માર્ગે ચાલી આત્મકલ્યાણ કર્યું. જ્યારે પાપી એવો હું, રાજપાટ છોડી શકતો નથી. રાજ્ય એ સંસાર રૂપી વૃક્ષનું બીજ છે, એવું જે જાણતા નથી તે અધમ છે અને તે અધમોમાં પણ હું અધમ છું કે, જાણવા છતાં પણ છોડી શકતો નથી. સમ્યક્ત્વ અહીં ઝળહળે છે. બાહુબલીને ભરત કહે છે ભાઈ! તમે આ રાજ્ય લઈ લ્યો. તમે આ રાજ્ય ભોગવો... હું અધમ છું, દુષ્ટ છું. હું પાપી છું. ૯૮ ભાઈઓ પણ ચાલ્યા ગયા. !! ભાઈ ! મારે આ રાજ્ય નથી જોઈતું.. સુખેથી તમે રાજ્ય ભોગવો.. જુઓ, સમ્યકત્વ અણીના સમયે પણ બચાવે છે. સમ્યકત્વને કારણે આત્મસ્વરૂપનું દઢ પ્રણિધાન મરતી વખતે પણ આત્માને જાગૃત કરે છે.. અને તેથી જ આત્મા મરીને નિયમા વૈમાનિક દેવલોકમાં જાય છે. મનુષ્યભવ અને પરમાત્માનું શાસન આ માટે જ છે. પ્રણિધાન વિનાનો ધર્મ બધો જ કાચો છે. - જે જીવને ક્રિયામાં એકાગ્ર બનવા દેતો નથી. જ્યાં ધર્મમાં એકાગ્રતા ન આવે અને પ્રણિધાન ન હોય ત્યાં મામુલી પુણ્ય બંધાય છે. એટલે કે વિષયો ઉપર આદર-બહુમાન વધુ છે. એટલે પરમાત્મા પ્રત્યે આદર, બહુમાન અલ્પ છે. જે ક્રિયામાં સ્થિરતા ગઈ, એકાગ્રતા ગઈ, પ્રણિધાન ગયું, તે ક્રિયા વિશિષ્ટ પુણ્ય ન બંધાવે. તે ક્રિયામાં ઉપયોગ ભળે છે, ત્યાં વિશિષ્ટ પુણ્ય બંધાય છે અને વળી ઉપયોગ સાથે આદર-ભક્તિ-બહુમાન ભળે (વધે) ત્યારે વિશિષ્ટતર, વિશિષ્ટતમ પુણ્ય બાંધે છે. સંસારમાં આદર-ભક્તિ બહુમાન જેટલું વધારે છે તેટલું અહીં નથી. એ ખામી છે. આપણી ક્રિયાઓ બધી શુભક્રિયા છે પણ ખલનાવાળી છે. ક્રિયાકાળમાં પણ આપણે તેમાં સંસારનો રસ ઠાલવીએ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy