SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ તમે છરો કોઈને માર્યો હોય, એવું કદી બન્યું છે ? ના, કેમ? સંસ્કાર નથી. પ્રણિધાન દઢ છે. તેથી તેનું કાર્ય કરી શકે જ નહીં. આ દૃઢ પ્રણિધાન, શ્રદ્ધા-સંસ્કાર તેને આવું કાર્ય કરવા જ ન દે... સમજ્ય આવ્યું એટલે પ્રેમ તત્ત્વ ખીલ્યું, જીવ સાથે, સજાતીય સાથે આત્મીયતાના નાતે પ્રેમ બંધાયો... કષાયો પ્રત્યે જુગુપ્સા છે.. તેથી તે મારી જ ન શકે કારણ કે તેના પ્રણિધાનથી વિરુદ્ધ છે. કર્મનું બળ અહીં નથી અને પ્રણિધાન દઢ છે. મામુલી પાપો થાય છે, તે પ્રમાદના યોગ થાય છે. મશ્કરી – ઠઠામાં પાપ થાય. પણ તીવ્ર પાપ કરવાનું થાય ત્યારે પ્રણિધાન એને જાગૃતિ આપે જ... અતિશય સાવધ જીવને જે ન કરવું હોય, અને તે કરવું પડે તે કર્મકૃત વિર્યથી છે. ચક્રવર્તીને ચક્રવર્તી નામ કર્મનો ઉદય નિકાચિત હોય છે. તેથી છ ખંડ સાધવા, વગેરે કરવું પડે છે પણ એ સમજે છે – આ છ ખંડ મારું સ્વરૂપ નથી છતાં કર્મકૃતવીર્યથી બધું જ કરવું પડે છે. સખ્યત્વ એટલે આત્મજાગૃતિ ભરતે બધું જીત્યું પણ હજુ નવ્વાણુ ભાઈઓ જીતાયા નથી, તેમાં ૯૮ ભાઈઓને બોલાવવા માટે ભરતે દૂતને મોકલ્યો ત્યારે પિતાના ઉપદેશથી તેઓ ચારિત્ર પામ્યા, પછી ભારત અને બાહુબલી સામ-સામે આવ્યા - ચક્ર ફેકયું, મુઠ્ઠી ઉપાડી, આ કંઈ કર્મકત વીર્ય નથી. ચક્રે આ પ્રેરણા નથી કરી.. પણ પ્રમાદવીર્ય છે. પ્રમાદથી કદાચ અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરવા તૈયાર થાય, ત્યારે તેની પાસે સમ્યક્ત છે. સખ્યત્ત્વની હાજરીમાં સ્થિરાદિ દષ્ટિ છે તેથી આ ચીજ મારાથી થાય નહીં. આ પ્રણિધાન તેને ક્ષણવાર સજાગ કરે છે. પોતાના જીવનમાં અકરણીય વિશિષ્ટ પ્રવૃત્તિ થાય ત્યારે પ્રમાદ તેને કષાયમાં ધકેલવાનું કામ કરે છે. સમ્યકત્વ જીવને સ્વરૂપમાં પકડી રાખવાનું કામ કરે છે. આ બન્નેની સામે સમન્વીને ઝઝુમવાનું છે. માટે મુઠ્ઠી ઉપાડતાં વિચાર આવ્યો છે. કષાયવીર્ય, પ્રમાદ વીર્ય કેટલે સુધી ઉછળ્યું છે ! છતાં ત્યારે પણ ઉપયોગ આવ્યો કે હું કોને મારી રહ્યો છું ? ભાઈએ ભલે ભૂલ કરી. મારાથી કેમ થઈ શકે ? માટે તે પ્રવૃત્તિ કરતાં અટક્યા છે. તમને જે જે પાપો સતાવતા હોય અને તમને જે જે દોષો સતાવતા હોય તેનો પ્રતિપક્ષી ઉપયોગ સતત કર્યા જ કરો.... પ્રતિપક્ષી ગુણોનું પ્રણિધાન દઢ કરો.. તો દોષોની શક્તિ-પાવર ઘટતો જશે.. પ્રણિધાન આગળ વધતું જશે અને પ્રણિધાનના બળે ગ્રસ્થિભેદ સુધી જીવ પહોંચી જશે. ગુણનું પ્રણિધાન હશે, તલસાટ હશે, તાલાવેલી હશે, ત્યારે તમને મળશે જ, પરમાત્માનો વિરહ જ્યારે જ્યારે અતિશય સતાવશે, ત્યારે બીજી બધી જ ચીજો નકામી લાગશે. આનું શું કામ છે ? એવું થશે. બધી ચીજો નરક જેવી લાગશે. કરંસી નોટોમાં પૈસા દેખાય છે કે નરક દેખાય છે ? વીટીમાં પચાસ હજારનો હીરો એ હીરો દેખાય છે કે તેમાં નરકનું દર્શન થાય છે ? બંગલા, બંગલા દેખાય છે કે બીજું કંઈ પણ દેખાય છે. આ બધી ચીજો બનાવટી, કૃત્રિમ, અસાર દેખાય છે ? આ બધી ચીજોમાં મારું હિત કરવાની તાકાત નથી, પણ મને નરકાદિ દુર્ગતિ આપવાની તાકાત છે આવું તમને Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004612
Book TitleYogadraushtina Ajwala Part 2
Original Sutra AuthorN/A
AuthorMuktidarshanvijay
PublisherVardhaman Seva Nidhi Mumbai
Publication Year2004
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy